વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) માટે રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાંથી રજા આપવામાં આવી છે આ સાથે જ જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી.
- Advertisement -
રહાણેને કેમ મળ્યો મોકો
જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાએ ટેસ્ટમાં અજમાવ્યો હતો અને એ સામે શ્રેયસ ઐયર હાલ ઘાયલ છે એવામાં રહાણેનું આ IPLમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. નોંધનીય છે કે 34 વર્ષીય અજિંક્ય રહાણેએ ચેન્નાઈના પ્રદર્શનમાં શાનદાર ભૂમિકા ભજવી છે.
🚨 NEWS 🚨#TeamIndia squad for ICC World Test Championship 2023 Final announced.
Details 🔽 #WTC23 https://t.co/sz7F5ByfiU pic.twitter.com/KIcH530rOL
- Advertisement -
— BCCI (@BCCI) April 25, 2023
અજિંક્ય રહાણેએ અત્યાર સુધી આ IPLમાં પાંચ મેચમાં 199.04ના સ્ટ્રાઈક રેટથી 209 રન બનાવ્યા છે અને આ સિઝનમાં કોઈપણ બેટ્સમેનનો આ સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે. KKR સામેની મેચમાં રહાણેએ જે પ્રકારની બેટિંગ કરી તે ખરેખર ચોંકાવનારી હતી. રહાણેએ તે મેચમાં 29 બોલમાં 71 રનની ઈનિંગ દરમિયાન એવા શોટ્સ બનાવ્યા જેણે એબી ડી વિલિયર્સની યાદ અપાવી. મુંબઈ સામેની મેચમાં પણ રહાણેએ 27 બોલમાં 61 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા –
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.