By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    11 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    11 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    13 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    14 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    11 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    11 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    11 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    11 hours ago
    અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    14 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    7 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માતા-પિતાની મંજૂરી વગર સગીર બાળકને ટકો કરાવી, ધોળાં લૂગડાં પહેરાવી દીધાં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માતા-પિતાની મંજૂરી વગર સગીર બાળકને ટકો કરાવી, ધોળાં લૂગડાં પહેરાવી દીધાં!
રાજકોટ

માતા-પિતાની મંજૂરી વગર સગીર બાળકને ટકો કરાવી, ધોળાં લૂગડાં પહેરાવી દીધાં!

Khaskhabar Editor
Last updated: 2024/05/16 at 4:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

વડતાલ સ્વામિનારાયણ પંથની શરમજનક ઘટના, મોટાં સમઢિયાળા ગુરુકુળનો મામલો

બ્રેઇન વૉશ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભગવાધારી કટ્ટરવાદીઓથી ચેતવા જેવું !

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16

સુરતમાં પરિવારે તેમની મંજૂરી વગર 17 વર્ષ અને 10 મહિનાના પુત્રને સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવી દીધાનો આક્ષેપ કર્યો છે. દીકરાને ભણાવવાને બદલે સાધુ બનાવી દીધાનું તેમના કાકા મનસુખભાઈ સોજીત્રા કહી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, અમારી મંજૂરી વગર અમારા છોકરાનો ટકો કરાવી સફેદ કપડા પહેરાવી દીધા છે. હવે પાછો આપતા નથી. છોકરાને પાછો મેળવવા માટે એક મહિનાથી દોડાવી રહ્યા છે. તો બીજી તરફ ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોનો બ્રેઈનવોશ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો. 8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી.

આ અંગે ભક્તિસંભવ સ્વામીએ જણાવ્યું હતું કે, અમે નિર્દોષ છીએ, એમને તો આમાં કોઈ પ્રશ્ર્ન જ નથી. અમે તો કઈ કર્યું જ નથી તો તે ગમે તે આક્ષેપ કર્યા હોય. અમે કઈ કર્યું જ નથી તો કોઈ કઈ સાબિત કરી શકે નહિ. એ ખોટા છે. તેમને હાર પહેરાવીને તેમનો દીકરો આપ્યો છે. તેના ફોટો પણ છે. એ ફર્યા કરે છે. પહેલાં આપી ગયા હતા. હવે અમદાવાદવાળાએ ચડાવ્યા છે તો એ પાછા આવ્યા છે. એ આવ્યા તો અમે તો તેના દીકરાને સોંપી દીધો હતો. અમે ક્યાં એમને કઈ કહ્યું છે. જો તમારા હૃદયમાં ભગવાન વસ્યા હોય તો તમારે કરવું હોય તો કરો.

- Advertisement -

અમે તો સંત મૂળદાસના ગામ અમરેલીના છીએ. મૂળદાસને ગધેડા પર બેસાડ્યા હતા. એ નિર્દોષ હતા અને ખુશ હતા. પછી ખબર પડી કે તે નિર્દોષ હતા. અત્યારે અમે તેના દીકરાને સોંપી દીધો છે તે લઈ ગયા છે.

ગત 14 એપ્રિલ, 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં પરિવારે ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે પણ આપતા નથી તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બ્રેનવોશ કરી દીધાનો પણ આરોપ લગાવ્યો છે. એક વર્ષ પહેલા પરિવાર સાથે તેનો દીકરો સ્વામિનારાયણના સંતોના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી. મામલો ઉગ્ર બનતા મંદિર ખાતે પોલીસ પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
કાકા મનસુખભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, અમારા છોકરાને ફસાવ્યો છે, એક મહિનાથી અમને દોડાવે છે. મારા 80 વર્ષના માએ ખાવાનું બંધ કરી દીધું છે. આજે તેઓ પથારીવશ છે. તેને કાંઈ થશે તો તેની જવાબદારી સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે. અમારા છોકરાને એક મહિનાથી તે લોકોએ ગુમ કરી દીધો હતો. એક મંદિરેથી બીજા મંદિરે એમ ચાર મંદિરે ફેરવ્યો હતો અને અમને મળવા દેતા નહોતા. તેને મમ્મી નથી અને એકનો એક છોકરો છે. આ લોકો અમારા છોકરાને દેવા માગતા નથી.

વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ તો કહે છે કે, તમારા છોકરાને કસ્ટડીમાં રાખવો પડે. અમારી સાથે છેતરપિંડી કરી છે. હાર પહેરાવીને તમને રજા આપીએ છીએ તેવા ફોટા પાડ્યા. અમારી મંજૂરી વિના અમારા છોકરાનો ટકો કરાવીને સફેદ કપડા પહેરાવી દીધા છે. તે લોકોએ અમારા છોકરાનું બ્રેનવોશ કરાવ્યું છે. એવું કહ્યું છે કે, આ તારા પિતા નથી અને એમ કહેજે કે, મારે તમારા ઘરે આવવું નથી. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. ભક્તિસંભવ સ્વામી અને તેના ચેલા દ્વારા આવું કરવામાં આવ્યું છે.

સ્વામીઓની મોડસ ઓપરેન્ડી
એક વર્ષથી અમારા છોકરા પાછળ પડી ગયા છે અને કોઈ લોભ લાલચ આપી ભરમાવ્યો છે અને લઈ ગયા છે. ધો.12ની પરીક્ષા આપી પછી તરત ઉઠાવી લીધો છે. અમારો છોકરો મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે આ લોકોના સંપર્કમાં આવ્યો હતો. છોકરાને ભણવા પણ દીધો નથી. છોકરાના પિતાના હાલ બેહાલ કરી દીધા છે. અમારી માગ છે કે, અમારા વારસદાર તરીકે છોકરાને લઈ જવાનો છે અને સાધુ બનાવવો નથી.

દીકરાને સ્વામીને સોંપી દેવાયો !

આ સગીરે ધોરણ 12 સાયન્સમાં 70 ટકા પણ મેળવ્યા હતા. ત્યાર બાદ એક મહિના પહેલાં સ્વામી દ્વારા તેને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેના પિતા પણ હાજર હતા અને તેને પણ કંઈ કરી દેવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. પિતાની હાજરીમાં પોતાના દીકરાને સ્વામીને સોંપી દેવામાં આવતો હોય તેવી ઘટના બની હતી. સ્વામી દ્વારા પહેરાવવામાં આવેલા હાર કાઢતાની સાથે જ તેના પિતા ભાનમાં આવી ગયા હતા. ત્યારથી તેને શોધખોળ ચાલુ કરી હતી. ગત 14 એપ્રિલના રોજ પરિવાર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ અને પરિવાર બંને દ્વારા દીકરાને શોધવાની કામગીરી ચાલી રહી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તેમનો દીકરો ક્યાં છે તેની જાણ થતી તેઓ પહોંચે તે પહેલાં તેને અલગ અલગ જગ્યાએ ફરેવવામાં આવતો હતો.

પિતાનો આક્ષેપ જનાર્દન સ્વામી બ્રેઈશવોશ કરે છે

ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોનો બ્રેઈનવોશ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો. 8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી અને કોઈ પ્રસંગમાં પણ માંડ આવતો હતો. તેમણે જ મારા પુત્રને સાધુ બનવાની પ્રેરણા આપી હતી. પુત્ર હંમેશા ગુરુકુળ પાછા જવાની જ જીદ પકડતો હતો. તેને ના પાડવામાં આવે તો ઘરમાં ખાવા-પીવાનું બંધ કરી દેતો હતો અને એકરૂમમાં પુરાઈ જતો હતો. તે સતત સ્વામીજી સાથે ફોન પર વાત કરતો હતો અને પુત્રની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળવા એક એપનો ઉપયોગ કર્યા પછી બધા સંવાદો મળતા ભાંડો ફૂટ્યો. ગીરગઢડા તાલુકામાં આવેલા વડલી ગામમાં રહીને ખેતી કામ કરું છું. મારે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મારો પુત્ર શિક્ષણ સાથે ધર્મનું જ્ઞાન મેળવે તે માટે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.8માં મુક્યો હતો. પુત્રએ ધો.10 પૂરું કર્યા પછી હું તેને લેવા ગયો તો તેણે ઘરે આવવાની ના પાડી હતી. જ્યારે પણ ઘરે લઈ જવાની વાત આવે ત્યારે બહાના બતાવતો હતો. જો તેને રોકવામાં આવે તો ખાવા-પીવાનું છોડી દેતો હતો અને એકરૂમમાં પુરાઈ જતો હતો. એક દિવસ જનાર્દન સ્વામીનો ફોન આવ્યો કે, પઆખી વાત કોઈને કહેશો તો તમારી અને ગુરુકુળની બદનામી થશે’. આખરે મને શંકા ગઈ કે પુત્ર આવું વર્તન શા માટે કરે છે. તપાસ કરતા ખબર પડી કે, જનાર્દન સ્વામીએ તેનું બ્રેઇનવોશ કર્યું હતું.

 

You Might Also Like

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

મનપાના શાસકોએ ‘જતાં-જતાં’ છઠ્ઠું બજેટ આપ્યું પણ અમલ વખતે તેઓ ખુરશી પર નહીં હોય!

1.62 કરોડની ચાંદી ચોરીમાં 8 દિવસમાં 4 આરોપી 110 કિલો ચાંદી સાથે ગિરફતાર

TAGGED: Rajkot, SURAT, મોટાં સમઢિયાળા ગુરુકુળ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહુડી ઘંટાકર્ણ મંદિરમાંથી 130 કિલો સોનું, 14 કરોડ રોકડાંની ઉચાપત!
Next Article શિક્ષણ સમિતિનાં અનિષ્ટ ગણાતા દિનેશ સદાદિયાને કિરીટ પરમારની ઓથ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર કર્મચારીનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ધ્રાંગધ્રાના ક્લબ રોડ વિસ્તારમાં દીવાલ તોડવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
100થી વધુ પ્રજાતિનું કુદરતી ઘર, 400થી વધુ વનસ્પતિ અને 150થી વધુ પક્ષીના કલરવથી ગુંજતું રામપરા વીડી
ભડિયાદ વિસ્તારમાં સફાઈ કામગીરીનું નાયબ કમિશનર દ્વારા ઓચિંતું નિરીક્ષણ
ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી સી.સી. રોડ બનાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઆત
અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જામકંડોરણા પાસે ખાનગી બસમાંથી દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.માં 12-13 ફેબ્રુઆરીએ ‘અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ’: દેશભરના સંસ્કૃત વિદ્વાનોનો જમાવડો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

બાળકો રમતા-રમતા ભણશે: યુવા અનસ્ટોપેબલના સહયોગથી 10 આંગણવાડીઓ બની ‘સ્માર્ટ’

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?