By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    7 hours ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    7 hours ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    1 day ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    1 day ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    2 hours ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    5 hours ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    6 hours ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    7 hours ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    7 hours ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    1 day ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    3 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    5 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    5 hours ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    7 hours ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    7 hours ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    1 day ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માતા-પિતાની મંજૂરી વગર સગીર બાળકને ટકો કરાવી, ધોળાં લૂગડાં પહેરાવી દીધાં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માતા-પિતાની મંજૂરી વગર સગીર બાળકને ટકો કરાવી, ધોળાં લૂગડાં પહેરાવી દીધાં!
રાજકોટ

માતા-પિતાની મંજૂરી વગર સગીર બાળકને ટકો કરાવી, ધોળાં લૂગડાં પહેરાવી દીધાં!

Khaskhabar Editor
Last updated: 2024/05/16 at 4:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

વડતાલ સ્વામિનારાયણ પંથની શરમજનક ઘટના, મોટાં સમઢિયાળા ગુરુકુળનો મામલો

બ્રેઇન વૉશ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયનાં ભગવાધારી કટ્ટરવાદીઓથી ચેતવા જેવું !

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16

સુરતમાં પરિવારે તેમની મંજૂરી વગર 17 વર્ષ અને 10 મહિનાના પુત્રને સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સાધુ બનાવી દીધાનો આક્ષેપ કર્યો છે. દીકરાને ભણાવવાને બદલે સાધુ બનાવી દીધાનું તેમના કાકા મનસુખભાઈ સોજીત્રા કહી રહ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, અમારી મંજૂરી વગર અમારા છોકરાનો ટકો કરાવી સફેદ કપડા પહેરાવી દીધા છે. હવે પાછો આપતા નથી. છોકરાને પાછો મેળવવા માટે એક મહિનાથી દોડાવી રહ્યા છે. તો બીજી તરફ ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોનો બ્રેઈનવોશ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો. 8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી.

આ અંગે ભક્તિસંભવ સ્વામીએ જણાવ્યું હતું કે, અમે નિર્દોષ છીએ, એમને તો આમાં કોઈ પ્રશ્ર્ન જ નથી. અમે તો કઈ કર્યું જ નથી તો તે ગમે તે આક્ષેપ કર્યા હોય. અમે કઈ કર્યું જ નથી તો કોઈ કઈ સાબિત કરી શકે નહિ. એ ખોટા છે. તેમને હાર પહેરાવીને તેમનો દીકરો આપ્યો છે. તેના ફોટો પણ છે. એ ફર્યા કરે છે. પહેલાં આપી ગયા હતા. હવે અમદાવાદવાળાએ ચડાવ્યા છે તો એ પાછા આવ્યા છે. એ આવ્યા તો અમે તો તેના દીકરાને સોંપી દીધો હતો. અમે ક્યાં એમને કઈ કહ્યું છે. જો તમારા હૃદયમાં ભગવાન વસ્યા હોય તો તમારે કરવું હોય તો કરો.

- Advertisement -

અમે તો સંત મૂળદાસના ગામ અમરેલીના છીએ. મૂળદાસને ગધેડા પર બેસાડ્યા હતા. એ નિર્દોષ હતા અને ખુશ હતા. પછી ખબર પડી કે તે નિર્દોષ હતા. અત્યારે અમે તેના દીકરાને સોંપી દીધો છે તે લઈ ગયા છે.

ગત 14 એપ્રિલ, 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં પરિવારે ગુમ થયાની ફરિયાદ લખાવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે પણ આપતા નથી તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. બ્રેનવોશ કરી દીધાનો પણ આરોપ લગાવ્યો છે. એક વર્ષ પહેલા પરિવાર સાથે તેનો દીકરો સ્વામિનારાયણના સંતોના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કઈ બોલવા તૈયાર નથી. મામલો ઉગ્ર બનતા મંદિર ખાતે પોલીસ પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
કાકા મનસુખભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, અમારા છોકરાને ફસાવ્યો છે, એક મહિનાથી અમને દોડાવે છે. મારા 80 વર્ષના માએ ખાવાનું બંધ કરી દીધું છે. આજે તેઓ પથારીવશ છે. તેને કાંઈ થશે તો તેની જવાબદારી સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરની રહેશે. અમારા છોકરાને એક મહિનાથી તે લોકોએ ગુમ કરી દીધો હતો. એક મંદિરેથી બીજા મંદિરે એમ ચાર મંદિરે ફેરવ્યો હતો અને અમને મળવા દેતા નહોતા. તેને મમ્મી નથી અને એકનો એક છોકરો છે. આ લોકો અમારા છોકરાને દેવા માગતા નથી.

વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ તો કહે છે કે, તમારા છોકરાને કસ્ટડીમાં રાખવો પડે. અમારી સાથે છેતરપિંડી કરી છે. હાર પહેરાવીને તમને રજા આપીએ છીએ તેવા ફોટા પાડ્યા. અમારી મંજૂરી વિના અમારા છોકરાનો ટકો કરાવીને સફેદ કપડા પહેરાવી દીધા છે. તે લોકોએ અમારા છોકરાનું બ્રેનવોશ કરાવ્યું છે. એવું કહ્યું છે કે, આ તારા પિતા નથી અને એમ કહેજે કે, મારે તમારા ઘરે આવવું નથી. તમે કોણ છો? હું તમને ઓળખતો નથી. ભક્તિસંભવ સ્વામી અને તેના ચેલા દ્વારા આવું કરવામાં આવ્યું છે.

સ્વામીઓની મોડસ ઓપરેન્ડી
એક વર્ષથી અમારા છોકરા પાછળ પડી ગયા છે અને કોઈ લોભ લાલચ આપી ભરમાવ્યો છે અને લઈ ગયા છે. ધો.12ની પરીક્ષા આપી પછી તરત ઉઠાવી લીધો છે. અમારો છોકરો મંદિરે દર્શન કરવા જતો હતો ત્યારે આ લોકોના સંપર્કમાં આવ્યો હતો. છોકરાને ભણવા પણ દીધો નથી. છોકરાના પિતાના હાલ બેહાલ કરી દીધા છે. અમારી માગ છે કે, અમારા વારસદાર તરીકે છોકરાને લઈ જવાનો છે અને સાધુ બનાવવો નથી.

દીકરાને સ્વામીને સોંપી દેવાયો !

આ સગીરે ધોરણ 12 સાયન્સમાં 70 ટકા પણ મેળવ્યા હતા. ત્યાર બાદ એક મહિના પહેલાં સ્વામી દ્વારા તેને લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેના પિતા પણ હાજર હતા અને તેને પણ કંઈ કરી દેવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. પિતાની હાજરીમાં પોતાના દીકરાને સ્વામીને સોંપી દેવામાં આવતો હોય તેવી ઘટના બની હતી. સ્વામી દ્વારા પહેરાવવામાં આવેલા હાર કાઢતાની સાથે જ તેના પિતા ભાનમાં આવી ગયા હતા. ત્યારથી તેને શોધખોળ ચાલુ કરી હતી. ગત 14 એપ્રિલના રોજ પરિવાર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં સગીર પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ અને પરિવાર બંને દ્વારા દીકરાને શોધવાની કામગીરી ચાલી રહી હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તેમનો દીકરો ક્યાં છે તેની જાણ થતી તેઓ પહોંચે તે પહેલાં તેને અલગ અલગ જગ્યાએ ફરેવવામાં આવતો હતો.

પિતાનો આક્ષેપ જનાર્દન સ્વામી બ્રેઈશવોશ કરે છે

ગીરગઢડાના વડલી ગામના એક ખેડૂતે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી બાળકોનો બ્રેઈનવોશ કરાતો હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે. ખેડૂતે પુત્રને ગુરુકુળમાં ધો. 8માં મુક્યો હતો. પિતાનો આક્ષેપ છે કે ગુરુકુળમાં બ્રેઈનવોશને કારણે પુત્રએ ઘરની માયા મૂકી દીધી હતી અને કોઈ પ્રસંગમાં પણ માંડ આવતો હતો. તેમણે જ મારા પુત્રને સાધુ બનવાની પ્રેરણા આપી હતી. પુત્ર હંમેશા ગુરુકુળ પાછા જવાની જ જીદ પકડતો હતો. તેને ના પાડવામાં આવે તો ઘરમાં ખાવા-પીવાનું બંધ કરી દેતો હતો અને એકરૂમમાં પુરાઈ જતો હતો. તે સતત સ્વામીજી સાથે ફોન પર વાત કરતો હતો અને પુત્રની વાતચીતનું રેકોર્ડિંગ સાંભળવા એક એપનો ઉપયોગ કર્યા પછી બધા સંવાદો મળતા ભાંડો ફૂટ્યો. ગીરગઢડા તાલુકામાં આવેલા વડલી ગામમાં રહીને ખેતી કામ કરું છું. મારે સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મારો પુત્ર શિક્ષણ સાથે ધર્મનું જ્ઞાન મેળવે તે માટે મોટા સમઢિયાળાના સ્વામિનારાયણ ગુરુકુળમાં ધો.8માં મુક્યો હતો. પુત્રએ ધો.10 પૂરું કર્યા પછી હું તેને લેવા ગયો તો તેણે ઘરે આવવાની ના પાડી હતી. જ્યારે પણ ઘરે લઈ જવાની વાત આવે ત્યારે બહાના બતાવતો હતો. જો તેને રોકવામાં આવે તો ખાવા-પીવાનું છોડી દેતો હતો અને એકરૂમમાં પુરાઈ જતો હતો. એક દિવસ જનાર્દન સ્વામીનો ફોન આવ્યો કે, પઆખી વાત કોઈને કહેશો તો તમારી અને ગુરુકુળની બદનામી થશે’. આખરે મને શંકા ગઈ કે પુત્ર આવું વર્તન શા માટે કરે છે. તપાસ કરતા ખબર પડી કે, જનાર્દન સ્વામીએ તેનું બ્રેઇનવોશ કર્યું હતું.

 

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે

TAGGED: Rajkot, SURAT, મોટાં સમઢિયાળા ગુરુકુળ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહુડી ઘંટાકર્ણ મંદિરમાંથી 130 કિલો સોનું, 14 કરોડ રોકડાંની ઉચાપત!
Next Article શિક્ષણ સમિતિનાં અનિષ્ટ ગણાતા દિનેશ સદાદિયાને કિરીટ પરમારની ઓથ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?