પોલીસ દોડી જઈ આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ જેતપુર
જેતપુરના મોટા ગુંદાળામાં 23 વર્ષીય પરિણીતાએ ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
જેતપુરના મોટા ગુંદાળા ગામે રહેતી ઉષાબેન જયેશભાઈ સોલંકી ઉ.23એ ગઈકાલે બપોરે પોતાના ઘરે રૂમમાં જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવની જાણ થતા પરીવારજનો દોડી આવ્યા હતા.
અને બેભાન હાલતમાં રહેલ પરિણીતાને જેતપુર સીવીલ હોસ્પીટલે સારવાર અર્થે ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને જોઇ તપાસી મૃત જાહેર કરી હતી બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.એ. જાડેજા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.માં ખસેડી બનાવનું કારણ જાણવા પરીવારજનોની પુછતાછ હાથ ધરી હતી પરિણીતાના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયેલ અને તેણીનો પતિ મજુરીકામ કરે છે. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.