કેમ હનુમાનજીને ચડાવવામાં આવે છે સિંદૂર? કઈ રીતે પડ્યું બજરંગ બલી નામ? જાણવા જેવી છે ભગવાન હનુમાનજીના નામ અને સિંદૂર સાથે જોડાયેલી આ પૌરાણિક કથા.
બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજી ખૂબ જ શક્તિશાળી છે. તેમણે એક હાથે આખો પર્વત ઉપાડ્યો હતો. પુરાણો પ્રમાણે તેમનું આખું શરીર વજ્ર સમાન છે એટલે તેમને બજરંગ બલી કહેવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતાને સેથામાં સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે. તે પતિની આયુ વધારે છે
- Advertisement -
સંકટમોચક હનુમાનજીના ભક્તોની સંખ્યા અગણિત છે. હનુમાનજીને સમર્પિત કરવામાં આવેલા મંગળવાર અને શનિવારે લોકો વ્રત રાખે છે. તેમની પૂજા અર્ચના કરે છે. આવું કરવાથી હનુમાનજી પોતાના ભક્તોના તમામ સંકટો દૂર કરે છે. કહેવાય છે કે, આ દિવસે હનુમાનજીને સીંદુર અને તેલ ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે અને આ પાછળ હનુમાનજી અને સિતા મૈયા વચ્ચેનો એક સંવાદ અને કથા છે જેને કારણે તેમના આખા શરીર પર સીદુર લગાવવામાં આવે છે.
હનુમાન જીએ માતા સિતાની વાતને સાંભળીને વિચાર્યું કે જ્યારે માત્ર સેંથામાં સિંદૂર પુરવાથી ભગવાનને આટલો લાભ થાય છે તો હું આખા શરીર પર જ રામ નામનું સિંદૂર લગાવી લઉં છું, જેનાથી ભગવાન શ્રી રામ અમર થઈ જશે. હનુમાનજીને આખા શરીરમાં સિંદૂર લગાવેલા જોઈને ભગવાન શ્રીરામ તેનું કારણ પુછે છે. હનુમાનજી જ્યારે કારણ કહે છે તો તે જાણીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારે તેઓ હનુમાનજીને કહે છે કે, આજથી તમારું નામ બજરંગ બલી પણ રહેશે. બજરંગબલી બે શબ્દોથી બન્યું છે. બજરંગ એટલે કેસરી અને બલી એટલે શક્તિશાળી. બસ ત્યારથી જ રામભક્ત હનુમાનને સિંદુર ચડાવવાની પ્રથા છે. આનાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે.