PM મોદી આજ રોજ ગુજરાત પ્રવાસે છે. PM મોદી નવસારીમાં 3050 કરોડના વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ઈસરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને IN-SPACEના હેડક્વૉટરનું ઉદ્ધાટન કરશે. તેઓ નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે 764 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને 200 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરશે. ત્યારે તેઓ હાલમાં સુરતથી નવસારી જવા રવાના થઇ ગયા છે. અહીં તેઓ ગુજરાત ગૌરવ સંમેલનમાં સામેલ થશે અને નિરાલી હેલ્થ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરશે.
- Advertisement -
PM Modi to visit Gujarat today to launch projects worth Rs 3,050 cr
Read @ANI Story | https://t.co/R9euZewoUM#PMModi #Gujarat pic.twitter.com/sA0j6fBKtI
— ANI Digital (@ani_digital) June 10, 2022
- Advertisement -
જણાવી દઇએ કે, ખુડવેલમાં 5 જિલ્લાઓમાંથી લોકો સભાસ્થળે આવી પહોંચ્યા છે. દોઢ કિલોમીટર સુધી દૂર આવેલા પાર્કિંગથી લોકો પગપાળા સભાસ્થળે આવ્યા છે. 144 જેટલાં ક્લસ્ટરમાં જિલ્લા અનુસાર લોકોને બેસાડાશે.
નવસારીમાં ખુડવેલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન યોજાશે
PM મોદી કુલ 2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે
રૂ,1510 કરોડની પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરશે
માર્ગ મકાન વિભાગની 98 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરશે
આરોગ્ય વિભાગની 542 કરોડના કામો ખાતમુહૂર્ત કરશે
રૂ.901 કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે
રૂ.749 કરોડની પાણીની યોજના, 85 કરોડની ઉર્જા યોજનાનું લોકાર્પણ
46 કરોડની માર્ગ મકાન વિભાગની યોજનાનું લોકાર્પણ
20 કરોડ શહેરી વિભાગના વિકાસના કામનું લોકાર્પણ કરશે