By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    5 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    6 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    6 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    6 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    6 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    6 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    6 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    7 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    6 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 week ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    6 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    1 week ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    7 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    7 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું
Author

કોકિલાબહેન અંબાણીએ ‘મહારાજ’ નાટક જોઈને શું કહ્યું

Khaskhabar Editor
Last updated: 2024/06/19 at 4:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
11 Min Read
SHARE

વિશેષ: સૌરભ શાહ

નાટક પૂરું થયા પછી કોકિલાબહેન બેકસ્ટેજમાં આવ્યાં, નાટક લખવા બદલ ખૂબ વખાણ કર્યાં, દિગ્દર્શક વિપુલ મહેતા અને નિર્માતાઓ કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયાને આ સાહસ કરવા બદલ અભિનંદન આપ્યાં

- Advertisement -

જદુનાથ મહારાજના ક્ધયા કેળવણીનાં અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓનાં કામથી કરસનદાસ ખૂબ પ્રભાવિત. નર્મદે જદુનાથનાં કુકર્મો વિશે કરસનદાસનું ધ્યાન દોર્યું. 1860ના ઑક્ટોબરમાં કરસનદાસે એ વિશે વિગતે ‘સત્યપ્રકાશ’માં લખ્યું

કોકિલાબહેન ફરી ‘મહારાજ’ જોવા આવ્યાં આ વખતે એમની સાથે એમના પુત્રવધૂ ટીનાબહેન અંબાણી હતાં, સાસુવહુએ મનભરીને નાટક માણ્યું

‘મહારાજ’ નવલકથાનો પૂર્વાર્ધ, ફર્સ્ટ હાફ 1997માં લખાયો, અમદાવાદથી ‘નેટવર્ક’ નામનું સરસ સાપ્તાહિક નવું નવું શરૂ થયું હતું; ‘મહારાજ’ પુસ્તકમાં પણ ‘લેખકની જુબાની’માં એ વાત વણી લીધી છે, અને ‘મહારાજ’ ફિલ્મમાં પણ કરસનદાસ મૂળજીના મોઢે એ વાત ડાયલોગરૂપે સંક્ષિપ્તમાં મૂકાઈ છે

- Advertisement -

‘કોકિલાબહેન અંબાણી આવ્યાં છે.’ મારી ‘મહારાજ’ નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થઈ ચૂકી હતી અને એના પરથી મુંબઈમાં એ જ નામનું નાટક ચાલી રહ્યું હતું. 2014ની વાત. પાંચમો-છઠ્ઠો શો હતો. નાટક શરૂ થતાં પહેલાં કોઈએ આવીને મને કોકિલાબહેનના આગમન વિશે કહ્યું. હું વિચારમાં પડી ગયો. કોકિલાબહેન અંબાણી નાથદ્વારા ટેમ્પલ બોર્ડના વાઇસ-પ્રેસિડન્ટ છે. એ આ નાટક જોવા આવ્યા? મનમાં થયું કે ભલે જુએ, એમાં શું?
ઈન્ટરવલમાં મને કહેણ આવ્યું : ‘કોકિલાબહેન નાટકના લેખકને મળવા માગે છે.’
હું ગયો એમની પાસે. પહેલી જ વખત એમને મળતો હતો. એમની સાથે જે વાતો થઈ એમાંની બેત્રણ વાતોમાંની એક એ હતી કે ધીરુભાઈએ એમને જ્યારે નાથદ્વારા ટેમ્પલ બોર્ડના એક ટ્રસ્ટી તરીકે મૂક્યા (વાઈસ પ્રેસિડન્ટ ઘણાં વર્ષો પછી બન્યા) ત્યારે ધીરુભાઈએ એક સૂચના સ્પષ્ટ આપી હતી : ભગવાન સિવાય કોઈના પણ ચરણસ્પર્શ કરવાના નહીં. અને બીજી એક સલાહ પણ ધીરુભાઈએ કોકિલાબહેનને આપી હતી : લક્ષ્મીને ક્યારેય કોઈ મનુષ્યદેહધારીનાં ચરણમાં નહીં મૂકવાની (અર્થાત્ ભેટ ચડાવવી હોય તો હાથોહાથ કે અન્ય કોઈ માધ્મયથી ધરાવવી). બીજી થોડીક વાતો થઈ.
નાટક પૂરું થયા પછી કોકિલાબહેન બેકસ્ટેજમાં આવ્યાં. નાટક લખવા બદલ મારાં ખૂબ વખાણ કર્યાં. અમારા દિગ્દર્શક વિપુલ મહેતા અને નિર્માતાઓ કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયાને આ સાહસ કરવા બદલ અભિનંદન આપ્યાં. મહારાજનો રોલ કરતા ગુજરાતી નાટ્યજગતના સશક્ત અભિનેતા અભય હરપળેને તથા કરસનદાસ મૂળજીનો-હીરોનો, રોલ કરતા મલ્હાર ઠાકરનાં પણ વખાણ કર્યા. (2014 પછી મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર બની ગયા છે. ઘણા સારા અભિનેતા છે). નાટકની સમગ્ર ટીમને વધાઈ આપ્યા પછી વિદાય લેતી વખતે કોકિલાબહેને કહ્યું કે હું મારી પુત્રવધુને લઈને ફરી આ નાટક જોવા આવીશ.
અમને લાગ્યું કે નાટકનાં વખાણ કરવાની આ એક રીત છે. પણ બીજા પાંચ-છ શો પછી, નાટકના દસમા-બારમા શોમાં કોકિલાબહેન ફરી ‘મહારાજ’ જોવા આવ્યાં – આ વખતે એમની સાથે એમના પુત્રવધુ ટીનાબહેન અંબાણી હતાં. સાસુવહુએ મનભરીને નાટક માણ્યું.
ઇન્ટરવલમાં હું એમને મળવા ગયો. કોકિલાબહેન તો હવે મને ઓળખતા હતા. એમણે પોતાની પુત્રવધુની ઓળખાણ કરાવી. મેં એમને નમસ્કાર કરીને કહ્યું, ‘હું તો તમને નિવૃત્તિ મુનીમ તરીકે જાણું છું!’
ટીના મુનિમના નામે હિંદી ફિલ્મોમાં અભિનેત્રી તરીકે જાણીતાં થયાં તે પહેલાં તેઓ નિવૃત્તિ મુનિમ હતાં. અમે એક જ સ્કૂલમાં ભણતાં – મુંબઈમાં ખાર વિસ્તારની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં. તેઓ શાળાની નજીક જ રહેતાં. મારા કરતાં બેએક ધોરણ આગળ હતાં.
‘મહારાજ’ નવલકથા પરથી બનેલી હિંદી ફિલ્મ જોયા વિના દેશભરમાં જે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે સમયમાં મને સાહજિક રીતે એક દસકા પહેલાંના ‘મહારાજ’ નાટકના એ દિવસો યાદ આવી ગયા.
‘મહારાજ’ નવલકથાનો પૂર્વાર્ધ, ફર્સ્ટ હાફ 1997માં લખાયો. અમદાવાદથી ‘નેટવર્ક’ નામનું સરસ સાપ્તાહિક નવું નવું શરૂ થયું હતું. એમાં મેં ‘મહારાજ’ ધારાવાહિક સ્વરૂપે લખવાની શરૂઆત કરી. પ્રથમ પ્રકરણની સાથે એક પ્રસ્તાવના, નવલકથાની ભૂમિકા જેવી વાતો, લખી. ‘મહારાજ’ પુસ્તકમાં પણ ‘લેખકની જુબાની’માં એ વાત વણી લીધી છે. અને ‘મહારાજ’ ફિલ્મમાં પણ કરસનદાસ મૂળજીના મોઢે એ વાત ડાયલોગરૂપે સંક્ષિપ્તમાં મૂકાઈ છે.
કઈ વાત? આ વાત
મારો જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં થયો છે. શ્રીનાથજી મારા ઈષ્ટદેવ છે. જન્મે હું વૈશ્ય છું. અને મા સરસ્વતીના આશીર્વાદથી દાયકાઓથી લેખનકાર્ય કરીને આજીવિકા રળું છું એટલે કર્મે હું બ્રાહ્મણ છું. અને સ્વભાવે હું ક્ષત્રિય છું. મારી કલમને તલવાર બની જતાં મારા મિત્રોએ-મારા વાચકોએ અનેકવાર જોઈ છે. પણ મારું ધ્યેય શુદ્ર બનવાનું છે. મારામાં, મારા સમાજમાં, મારા ધર્મમાં, મારા દેશમાં – દુનિયામાં જ્યાં જ્યાં સફાઈ કરવાની જરૂર હોય ત્યાં હું સાફસૂફી કરતો રહું એવા આશીર્વાદ ભગવાન પાસે સતત માગતો રહું છું. ‘મહારાજ’ નવલકથાનું લેખન મારું આવું જ એક કાર્ય છે.
શું ‘મહારાજ’ હિંદુ ધર્મવિરોધી છે ? સનાતન વિરોધી છે ? વૈષ્ણવ સંપ્રદાયવિરોધી છે ? ના. ના. ના. પણ આનો સ્પષ્ટ જવાબ તમને તો જ જાણવા મળે જો તમે ‘મહારાજ’ નવલકથા વાંચી હોય.
નવલકથામાં કવિ નર્મદાશંકર લાલશંકર દવેનું ચરિત્ર ખૂબ સરસ રીતે ઉપસાવવામાં આવ્યું છે. કવિ નર્મદ અને કરસનદાસ મૂળજી એકમેકના સમકાલીન. બેઉ લગભગ સરખી ઉંમરના મિત્રો. કરસનદાસ વરસેક મોટા. 25 જુલાઈ 1832ના રોજ જન્મ. નર્મદનો જન્મ 24 ઑગસ્ટ 1833ના રોજ. નર્મદ પણ પત્રકાર. ‘ડાંડિયો’ નામનું સામયિક શરૂ કરેલું -1864 માં, જે ત્રણચાર વખત બંધ પડ્યું અને ફરી શરૂ થયું, છેવટે સંકેલી લેવું પડેલું. એ પહેલાં કરસનદાસે 1855 માં પોતાનું સામયિક ‘સત્યપ્રકાશ’ શરૂ કરી દીધું હતું. નર્મદ એમાં પણ લખે. એ અગાઉ બંને મિત્રો દાદાભાઈ નવરોજીના ‘રાસ્ત ગોફ્તાર’માં લખતા.
જદુનાથ મહારાજના ક્ધયા કેળવણીનાં અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓનાં કામથી કરસનદાસ ખૂબ પ્રભાવિત. નર્મદે જદુનાથનાં કુકર્મો વિશે કરસનદાસનું ધ્યાન દોર્યું. 1860ના ઑક્ટોબરમાં કરસનદાસે એ વિશે વિગતે ‘સત્યપ્રકાશ’માં લખ્યું. જદુનાથે આ લેખોના પ્રકાશન પછી રૂપિયા પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. નર્મદે આ કેસમાં એક અગત્યના સાક્ષી તરીકે અદાલતના કઠેડામાં ઊભા રહીને કરસનદાસની તરફેણમાં, જદુનાથની વિરુદ્ધમાં ખૂબ સુંદર જુબાની આપી.
નર્મદે જદુનાથને પડકારતા અને એમને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ આપતા ઘણા પત્રો લખ્યા. મુંબઈમાં એક ખીચોખીચ સભામાં બંને વચ્ચે શાસ્ત્રાર્થ થયો જેનું રિપોર્ટિંગ કરસનદાસે ‘સત્યપ્રકાશ’ માટે કર્યું. આ બધી રસપ્રદ વિગતો તમને ‘મહારાજ’ નવલકથામાં જ વાંચવા મળશે.
મુંબઈની સુપ્રીમ કોર્ટે જદુનાથ મહારાજે દાખલ કરેલા કેસમાં કરસનદાસ તરફી ચુકાદો આપ્યો.
શું મહારાજ લાયબલ કેસમાં પહેલેથી છેલ્લે સુધી કરસનદાસ મૂળજીની સાથે રહેનાર કવિ નર્મદ હિંદુવિરોધી હતો? સનાતનદ્રોહી હતો? વૈષ્ણવ સંપ્રદાયનો વિરોધી હતો?
24 ઑગસ્ટએટલે નર્મદની જન્મજયંતિ. ગુજરાતના અને દુનિયાભરના ગુજરાતીઓ આ પ્રસંગને દાયકાઓથી સત્તાવાર માતૃભાષા ગુજરાતી દિવસ તરીકે ઉજવે છે. શું આપણે ગુજરાતીઓ એટલા બેવકૂફ છીએ કે કોઈ હિંદુવિરોધી, સનાતનદ્વેષી, વૈષ્ણવ સંપ્રદાયવિરોધીના જન્મદિવસને આટલું મોટું બહુમાન આપીએ?
વિચારજો અને નક્કી કરજો. તમને જવાબ મળી જશે.
‘મહારાજ’ ફિલ્મની રિલીઝ નિમિત્તે કેટલાક લોકો ‘મહારાજ’ નવલકથા વિરુદ્ધ જે અપપ્રચાર ચલાવી રહ્યા છે તે સૌને શ્રીજીબાવા સદ્ બુદ્ધિ આપે એવી પ્રાર્થના. ‘મહારાજ’ને અને મને મનેમન તેમ જ પ્રગટ-અપ્રગટપણે સમર્થન આપનારા તમામ શુભેચ્છકોની શ્રીજીબાવા સહાય કરે.

‘મહારાજ’ નવલકથાનો પૂર્વાર્ધ, ફર્સ્ટ હાફ 1997માં લખાયો. અમદાવાદથી ‘નેટવર્ક’ નામનું સરસ સાપ્તાહિક નવું નવું શરૂ થયું હતું. એમાં મેં ‘મહારાજ’ ધારાવાહિક સ્વરૂપે લખવાની શરૂઆત કરી. પ્રથમ પ્રકરણની સાથે એક પ્રસ્તાવના, નવલકથાની ભૂમિકા જેવી વાતો, લખી. ‘મહારાજ’ પુસ્તકમાં પણ ‘લેખકની જુબાની’માં એ વાત વણી લીધી છે. અને ‘મહારાજ’ ફિલ્મમાં પણ કરસનદાસ મૂળજીના મોઢે એ વાત ડાયલોગરૂપે સંક્ષિપ્તમાં મૂકાઈ છે.
કઈ વાત? આ વાત
મારો જન્મ વૈષ્ણવ વણિક કુટુંબમાં થયો છે. શ્રીનાથજી મારા ઈષ્ટદેવ છે. જન્મે હું વૈશ્ય છું. અને મા સરસ્વતીના આશીર્વાદથી દાયકાઓથી લેખનકાર્ય કરીને આજીવિકા રળું છું એટલે કર્મે હું બ્રાહ્મણ છું. અને સ્વભાવે હું ક્ષત્રિય છું. મારી કલમને તલવાર બની જતાં મારા મિત્રોએ-મારા વાચકોએ અનેકવાર જોઈ છે. પણ મારું ધ્યેય શુદ્ર બનવાનું છે. મારામાં, મારા સમાજમાં, મારા ધર્મમાં, મારા દેશમાં – દુનિયામાં જ્યાં જ્યાં સફાઈ કરવાની જરૂર હોય ત્યાં હું સાફસૂફી કરતો રહું એવા આશીર્વાદ ભગવાન પાસે સતત માગતો રહું છું. ‘મહારાજ’ નવલકથાનું લેખન મારું આવું જ એક કાર્ય છે.
શું ‘મહારાજ’ હિંદુ ધર્મવિરોધી છે ? સનાતન વિરોધી છે ? વૈષ્ણવ સંપ્રદાયવિરોધી છે ? ના. ના. ના. પણ આનો સ્પષ્ટ જવાબ તમને તો જ જાણવા મળે જો તમે ‘મહારાજ’ નવલકથા વાંચી હોય.
નવલકથામાં કવિ નર્મદાશંકર લાલશંકર દવેનું ચરિત્ર ખૂબ સરસ રીતે ઉપસાવવામાં આવ્યું છે. કવિ નર્મદ અને કરસનદાસ મૂળજી એકમેકના સમકાલીન. બેઉ લગભગ સરખી ઉંમરના મિત્રો. કરસનદાસ વરસેક મોટા. 25 જુલાઈ 1832ના રોજ જન્મ. નર્મદનો જન્મ 24 ઑગસ્ટ 1833ના રોજ. નર્મદ પણ પત્રકાર. ‘ડાંડિયો’ નામનું સામયિક શરૂ કરેલું -1864 માં, જે ત્રણચાર વખત બંધ પડ્યું અને ફરી શરૂ થયું, છેવટે સંકેલી લેવું પડેલું. એ પહેલાં કરસનદાસે 1855 માં પોતાનું સામયિક ‘સત્યપ્રકાશ’ શરૂ કરી દીધું હતું. નર્મદ એમાં પણ લખે. એ અગાઉ બંને મિત્રો દાદાભાઈ નવરોજીના ‘રાસ્ત ગોફ્તાર’માં લખતા.
જદુનાથ મહારાજના ક્ધયા કેળવણીનાં અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓનાં કામથી કરસનદાસ ખૂબ પ્રભાવિત. નર્મદે જદુનાથનાં કુકર્મો વિશે કરસનદાસનું ધ્યાન દોર્યું. 1860ના ઑક્ટોબરમાં કરસનદાસે એ વિશે વિગતે ‘સત્યપ્રકાશ’માં લખ્યું. જદુનાથે આ લેખોના પ્રકાશન પછી રૂપિયા પચાસ હજારનો બદનક્ષીનો દાવો માંડ્યો. નર્મદે આ કેસમાં એક અગત્યના સાક્ષી તરીકે અદાલતના કઠેડામાં ઊભા રહીને કરસનદાસની તરફેણમાં, જદુનાથની વિરુદ્ધમાં ખૂબ સુંદર જુબાની આપી.
નર્મદે જદુનાથને પડકારતા અને એમને શાસ્ત્રાર્થ માટે આમંત્રણ આપતા ઘણા પત્રો લખ્યા. મુંબઈમાં એક ખીચોખીચ સભામાં બંને વચ્ચે શાસ્ત્રાર્થ થયો જેનું રિપોર્ટિંગ કરસનદાસે ‘સત્યપ્રકાશ’ માટે કર્યું. આ બધી રસપ્રદ વિગતો તમને ‘મહારાજ’ નવલકથામાં જ વાંચવા મળશે.
મુંબઈની સુપ્રીમ કોર્ટે જદુનાથ મહારાજે દાખલ કરેલા કેસમાં કરસનદાસ તરફી ચુકાદો આપ્યો.
શું મહારાજ લાયબલ કેસમાં પહેલેથી છેલ્લે સુધી કરસનદાસ મૂળજીની સાથે રહેનાર કવિ નર્મદ હિંદુવિરોધી હતો? સનાતનદ્રોહી હતો? વૈષ્ણવ સંપ્રદાયનો વિરોધી હતો?
24 ઑગસ્ટએટલે નર્મદની જન્મજયંતિ. ગુજરાતના અને દુનિયાભરના ગુજરાતીઓ આ પ્રસંગને દાયકાઓથી સત્તાવાર માતૃભાષા ગુજરાતી દિવસ તરીકે ઉજવે છે. શું આપણે ગુજરાતીઓ એટલા બેવકૂફ છીએ કે કોઈ હિંદુવિરોધી, સનાતનદ્વેષી, વૈષ્ણવ સંપ્રદાયવિરોધીના જન્મદિવસને આટલું મોટું બહુમાન આપીએ?
વિચારજો અને નક્કી કરજો. તમને જવાબ મળી જશે.
‘મહારાજ’ ફિલ્મની રિલીઝ નિમિત્તે કેટલાક લોકો ‘મહારાજ’ નવલકથા વિરુદ્ધ જે અપપ્રચાર ચલાવી રહ્યા છે તે સૌને શ્રીજીબાવા સદ્ બુદ્ધિ આપે એવી પ્રાર્થના. ‘મહારાજ’ને અને મને મનેમન તેમ જ પ્રગટ-અપ્રગટપણે સમર્થન આપનારા તમામ શુભેચ્છકોની શ્રીજીબાવા સહાય કરે.

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: Kokilabhen Ambani, Maharaj
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આધારકાર્ડ કેન્દ્ર પર સર્વર ઠપ્પ થતાં અરજદારોને થયો ધરમનો ધક્કો
Next Article રાજકોટમાં અગ્નિકાંડ બાદ આંતરિક બદલીનો ઘાણવો કાઢતા મ્યુ. કમિશનર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?