ખાસ-ખબર ન્યૂઝ મોરબી
ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 ડેમમાંથી આજે સવારે સાડા આઠ વાગ્યાથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલ્યો છે.
સિંચાઈ વિભાગના અધિકારીઓ મુજબ, ડેમી નદીમાં બનાવવામાં આવેલા ચેકડેમો ભરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેમમાંથી કુલ 37 MCFT પાણી છોડવાનું આયોજન છે. નદીમાં 3517 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
સલામતીના ભાગરૂપે, પાણી છોડતા પહેલા આસપાસના છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર, મોટા રામપર તેમજ મોરબીના ચાચાપર, ખાનપર અને કોયલી ગામનો સમાવેશ થાય છે.