આ વિઝા હેઠળ તમે જાપાનમાં 90 દિવસ સુધી રોકાઈ શકશો, ભારતના નાગરિકો તથા ભારતમાં વસતા વિદેશીઓ ઈ-વિઝા માટે અરજી કરવાને પાત્ર રહેશે
જાપાન જવા માંગતા ભારતીયો માટે મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, હવેથી જાપાન જવા માંગતા ભારતીય ટૂરિસ્ટોને સરળતા પડશે. જે ભારતીયો જાપાનની વિઝિટ કરવા માગે છે તેમણે તેમના પાસપોર્ટ પર ફિજિકલ વિઝા સ્ટીકર લગાવવાની જરૂર નહીં પડે. વિગતો મુજબ 1 એપ્રિલથી જાપાને ભારતીય સ્ટુડન્ટ્સ માટે ઈ-વિઝાની શરૂઆત કરી છે. નોંધનીય છે કે, જાપાનના આ ઈ-વિઝા પ્રોગ્રામની ઘણા સમયથી રાહ જોવાતી હતી. તેનાથી લોકો જાપાન વિઝા એપ્લિકેશન સેન્ટર દ્વારા વિઝા માટે ઈલેક્ટ્રોનિકલી અરજી કરી શકશે.
- Advertisement -
જાપાન વિઝા એપ્લિકેશન સેન્ટરનું સંચાલન VFS ગ્લોબલ દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત સિંગલ એન્ટ્રી શોર્ટ ટર્મ વિઝા મળી શકશે જે ખાસ ટુરિઝમના હેતુ માટે હશે. આ વિઝા હેઠળ તમે જાપાનમાં 90 દિવસ સુધી રોકાઈ શકશો. ભારતના નાગરિકો તથા ભારતમાં વસતા વિદેશીઓ ઈ-વિઝા માટે અરજી કરવાને પાત્ર રહેશે.
આ નવી સિસ્ટમ હેઠળ અરજકર્તાઓએ અગાઉની જેમ જ તેમની એપ્લિકેશન VFS ગ્લોબલ દ્વારા મેનેજ થતા વિઝા એપ્લિકેશન સેન્ટરને સબમિટ કરવાની રહેશે. જોકે ત્યાર પછી તેમના પાસપોર્ટ પર વિઝા સ્ટીકર લગાવવામાં નહીં આવે પરંતુ જે એપ્લિકેશન સફળ થશે તેને ઈલેક્ટ્રોનિક વિઝા અપાશે. આ સિસ્ટમમાં ટ્રાવેલર્સ એરપોર્ટ પર પહોંચે ત્યારે પોતાના ફોન પર વિઝા ઈશ્યૂની નોટિસ દેખાડે છે. જોકે અહીં નોંધનીય છે કે, આ માટે તમારા ફોન પર ઈન્ટરનેટ એક્સેસ થવું જરૂરી છે. ડિજિટલ વિઝા ઈશ્યૂઅન્સ નોટિસ સિવાય બીજું કંઈ નહીં ચાલે. એટલે કે તમે PDF, ફોટો, સ્ક્રીનશોટ અથવા પ્રિન્ટેડ કોપી આપો તે નહીં ચાલે.