ખાસ-ખબર ન્યૂઝ બાંગ્લાદેશ, તા.12
બાંગ્લાદેશમાં હિંસક વિરોધ વચ્ચે હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. આ હિંસા સામે 11 ઓગસ્ટ રવિવારે હજારો હિંદુઓએ કેનેડામાં રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. હિંદુઓ ઉપરાંત ખ્રિસ્તી અને યહૂદી સમુદાયના લોકોએ પણ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. કેનેડાના શહેર ટોરોન્ટોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો પાસે હિન્દુઓની સુરક્ષા માટે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર દબાણ લાવવાની માગ કરી હતી.હિંદુઓ પરના હુમલાના વિરોધમાં બ્રિટનના સંસદ હાઉસની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
- Advertisement -
તેઓએ ’હિન્દુ લાઈફ મેટર્સ’ ના નારા લગાવ્યા. માનવાધિકાર સંગઠનોના સભ્યો સહિત ઘણા લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સિવાય શનિવારે પણ ઘણા લોકોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારથી બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો, મંદિરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં દેખાવકારોએ માગ કરી છે કે હિંદુઓ પરના હુમલા રોકવા માટે જરૂૂરી પગલાં લેવામાં આવે. તેમણે લઘુમતીઓના હિતોની રક્ષા માટે અલગ મંત્રાલયની પણ માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ કહ્યું છે કે તેમને બાંગ્લાદેશની સંસદમાં 10% બેઠકો આપવામાં આવે. વિરોધીઓએ હિંસાથી પ્રભાવિત લોકો માટે વળતરની પણ માગ કરી હતી. આ ઉપરાંત તોડી પાડવામાં આવેલા મંદિરોને ફરીથી બનાવવાની પણ માગ કરવામાં આવી હતી. દેખાવકારોએ કહ્યું કે તેઓ આ દેશમાં જન્મ્યા છે. આ તેમના પૂર્વજોની જમીન છે. આ દેશ પણ એટલો જ તેમનો છે. જો તેને અહીં મારી નાખવામાં આવે તો પણ તે પોતાનું જન્મસ્થળ બાંગ્લાદેશ છોડશે નહીં. તેઓ તેમના હક મેળવવા માટે રસ્તા પર ઉતરશે.