By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવી અથડામણો ફાટી નીકળતાં ટ્રમ્પનો યુદ્ધવિરામ નિષ્ફળ ગયો, F-16 હવાઈ હુમલાઓ શરૂ થયો
    7 hours ago
    ભયાનક સ્પીડમાં આવતી મર્સિડીઝ હવામાં ઉછળી હતી અને રાઉન્ડઅબાઉટ પર અથડાયા બાદ બે કાર પર કૂદી પડી હતી
    2 days ago
    કૅનેડા,ભારતીયો માટે ખુશ ખબર, કેનેડાની H-1B વિઝાને લઈ મોટી જાહેરાત
    3 days ago
    પીએમ મોદીએ યુક્રેન પર મોટો સંદેશ મોકલ્યો કારણ કે તેઓ પુતિનને કહે છે કે ભારત આજે તટસ્થતાને બદલે શાંતિનું સમર્થન કરે છે
    3 days ago
    યુએસ એરફોર્સનું F-16 ફાલ્કન ફાઈટર જેટ કેલિફોર્નિયાની ડેથ વેલીમાં ક્રેશ થયું, પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રશિયા પહોંચવામાં 16 દિવસનો સમય બચશે, 40ને બદલે 24 દિવસમાં પહોંચશે સામાન
    5 hours ago
    મૃતદેહ સાથે વિરોધ કરવા બદલ 5 વર્ષની જેલ, અંતિમ સંસ્કારમાં વિલંબ પર સજા
    6 hours ago
    કૉંગ્રેસ મુસ્લિમ લીગની સામે ઘુંટણીયે પડી: વડાપ્રધાન મોદી
    6 hours ago
    20 ઉંઈઇ અને 100 ટ્રેક્ટર સાથે 500 પોલીસકર્મીઓ તહેનાત, 250 કરોડની 100 એકર જમીન ખુલ્લી કરાશે
    6 hours ago
    બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    2 days ago
    વોર્મ-અપ ભૂલથી પિચ અને બોલને વિચિત્ર દ્રશ્યોમાં અટવાયા બાદ WBBL મેચ ત્યજી દેવામાં આવી
    2 days ago
    આ ભારતીય-અમેરિકન અબજોપતિ વિરાટ કોહલીના આરસીબીને હસ્તગત કરવા માટે સૌથી આગળ છે.
    3 days ago
    7 છગ્ગા 8 ચોગ્ગા, 47 બોલમાં સદી… IPLની હરાજી અગાઉ સરફરાઝ ખાનનું તોફાની પ્રદર્શન
    5 days ago
    એક મિલિયન પળમાં એક: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી મેચમાં ભારત સતત 20મી ODI ટોસ હારી ગયું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    8 hours ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    1 week ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘેડ વિસ્તારની સમસ્યા મુદ્દે મંત્રી સમક્ષ પ્રશ્નો જડી વરસાવતા ગ્રામજનો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ઘેડ વિસ્તારની સમસ્યા મુદ્દે મંત્રી સમક્ષ પ્રશ્નો જડી વરસાવતા ગ્રામજનો
જુનાગઢ

ઘેડ વિસ્તારની સમસ્યા મુદ્દે મંત્રી સમક્ષ પ્રશ્નો જડી વરસાવતા ગ્રામજનો

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 4:03 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

ઘેડની સમસ્યાનો એક્શન પ્લાન બનાવી બજેટમાં સમાવેશ કરાશે: મંત્રી માંડવિયા

શું વર્ષો જૂની વરસાદી પાણીની સમસ્યાનો ખરેખર ઉકેલ આવશે?

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8

જૂનાગઢ ઘેડ પંથક વર્ષોથી વરસાદી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.જયારે ભારે વરસાદ પડે ત્યારે ઓઝત, ઉબેણ અને ભાદરનું પાણી ઘેડ વિસ્તારમાં ઘુસી જવાથી ખેતી જમીનનું ધોવાણ સાથે ખેતી પાક અને રોડ રસ્તાને ભારે નુકશાની જોવા મળે છે આ વર્ષે પ્રથમ વરસાદે ઘેડ વિસ્તારના અનેક ગામોમાં તારાજી જોવા મળી હતી અને અનેક ગણું નુકશાન થયું હતું જયારે સમગ્ર ઘેડ વિસ્તાર પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના મતક્ષેત્રમાં આવે છે. સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળતા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં સમગ્ર વિસ્તરાનો ચિતાર મેળવ્યો હતો ત્યારે સ્થાનિક ખેડૂતોએ ઘેડની સમસ્યા મુદ્દે પ્રશ્ર્નોની જડી વરસાવી હતી જોકે મંત્રીએ તમામ લોકોને સાંભળીને આગામી દિવસોમાં વરસાદી પાણીથી થતી સમસ્યા અંગે રાજ્ય સરકારમાં ખાસ બજેટમાં જોગવાઈ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ત્યારે સ્થાનિક લોકોનું કેહવું છે કે, શું વર્ષો જૂની વરસાદી પાણી સમસ્યાનો ખરેખર ઉકેલ આવશે ? કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ઘેડ વિસ્તારના વિકાસ માટે અને નદીકાંઠાઓમાં દર વર્ષે થતી મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરાશે.જુનાગઢ જિલ્લાની ઓજત અને મધુવંતી નદીના પાણીથી નુકસાની ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને બધી જ બાબતોને આવરી લઈને લાંબા ગાળાનો પ્લાન ચાલુ વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા અધિકારીઓની સૂચના આપી હતી.

આગામી રાજ્ય બજેટમાં ઘેડના પ્રશ્ર્નોના કાયમી નિરાકરણ માટે નવી આઈટમ તરીકે આ બાબતો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મૂકવામાં આવશે તેવું આયોજન છે એમ પણ મંત્રીશ્રીએ બેઠકમાં જણાવ્યું હતું. લાંબાગાળાના આયોજન ઉપરાંત હાલની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે કરવાની થતી કામગીરીની પણ મંત્રીએ ચર્ચા કરી નદીકાંઠાના ગામોમાં ખેડૂતોને નુકસાની થઈ હોય તેમની નુકસાની અરજીઓ લેવા, ગ્રામ્ય સ્તરે સર્વે શરૂ કરી દેવા, વાડી વિસ્તારમાં વીજળીના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા અને અને જે રસ્તાઓનું કામ બાકી હોય તે તાત્કાલિક મરામત કરી વાહન વ્યવહાર શરૂ થઈ જાય તે માટે તે માટે સુચના આપી હતી. મંત્રીશ્રીએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, અરવિંદભાઈ લાડાણી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાનોના સૂચનો પણ ધ્યાને લઈ સાથે મળીને આયોજનને આખરી ઓપ આપવા માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કલેકટર અનિલ કુમાર રાણાવસીયાએ મિટિંગમાં ઘેડ અને આસપાસના વિસ્તારમાં સૂચિત વિકાસ અને ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પ્રેઝન્ટેશનથી જરૂરી વિગતો રજૂ કરી હતી.કલેકટરે મંત્રીના માર્ગદર્શનમાં થઈ રહેલ આયોજન સંદર્ભે કરવામાં આવેલ તૈયારીઓ અંગે કેશોદમાં ઔદ્યોગિક વિકાસ, કેશોદ થી ખેત પેદાશો અને અન્ય ચીજ વસ્તુઓનું પરિવહન માટે કાર્ગો ટર્મિનલ, એરપોર્ટના વિકાસ માટેનું આયોજન, ઘેડ વિસ્તારના હેરિટેજ સ્થળોનો વિકાસ જેમાં લોએજ, રાખેંગાર વાવ ઉપરાંત ખાસ કરીને વંથલીના રાવણા અને ચીકુ ઉપરાંત પોષકતત્વોથી ભરપૂર અને સ્વાસ્થ માટે ઉપયોગી એવા કાળા મગને વિશેષ ઓળખ મળે તે માટેનું આયોજન, બાગાયતી પાકોના ઓઘોગિક ધોરણે રીહાઇડ્રેશન પ્લાન્ટ માટેના આયોજનો અને રસ્તા પહોળા કરવા સહિતની બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

- Advertisement -

સિંચાઇ વિભાગના અધિકારીઓએ ઓજત અને મધુવંતીના પાણીને લીધે દર વર્ષે ઉદભવતી સ્થિતિ, નદીઓની લંબાઈ-ઊંડાઈ અને પાળાઓ તૂટવાની બાબતમાં કરવાની થતી કામગીરી તેમજ દરિયાના પાણીને નદીપટમાં આવતા રોકવા માટેનું આયોજન ઉપરાંત ડેમના દરવાજાનું આધુનિકરણ સહિતના આયોજનો રજૂ કર્યા હતા. કેન્દ્રીય મંત્રીએ હાલ જે પ્લાન બનાવવામાં આવે તેમાં અગાઉ 1960ની સમિતિ પછી જે સૂચિત આયોજનો હતા તે અંગેનો અહેવાલ પણ હાલના પ્લાનમાં જોડી જન ઉપયોગી બાબતોને આવરી લઈ ઘેડના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને સરકારને દર વર્ષે અમુક પ્રકારની કામગીરીમાં ખર્ચ ન થાય અને લાંબા ગાળાનું આયોજન થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જ્યાં જરૂર પડે અને કાર્યક્ષેત્રમાં આવતી બાબતો અંગે કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ સ્થાનિક તંત્રને સંકલન કરશે. મંત્રીએ પોરબંદર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામો શહેરોના વિકાસ માટે પાંચ વર્ષનો પ્લાન પણ તૈયાર કરવા પણ સૂચના આપી હતી અને ધેડ વિસ્તારના ટીકર બામણાસા બાલાગામ, મટીયાણા માણાવદર સહિતના ગામો-વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોક પ્રતિનિધિઓ, ખેડૂતો, સરપંચ સહિતના આગેવાનો સાથે સંવાદ કરી, ગ્રામજનોની સમસ્યાઓની લેખિત રજૂઆત પણ સ્વીકારી હતી, તેમજ જ્યાં પાણી ભરાય છે તે કાઠા વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં બાલાગામ અને મટીયાણાંમા ગ્રામજનો સાથે વિશેષ મીટિંગ કરી સરકાર દ્વારા કરવામાં આવનાર કામ અને તાત્કાલિક ધોરણે તંત્રને કામગીરી માટે આપવામાં આવેલી સૂચનાઓની માહિતી આપી હતી.

You Might Also Like

અતિરુદ્ર મહાયજ્ઞ: 108 બ્રાહ્મણો દ્વારા 5 દિવસમાં 9 યજ્ઞ કુંડમાં 24 લાખ આહુતિ અર્પણ કરાશે

ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 1377 ભાઈઓ-બેહનો 4 જાન્યુઆરીએ દોટ મુકશે

ગીર સોમનાથમાં ખેડૂતો ખાતર માટે રઝળ્યા: તંત્રની બેદરકારીને કારણે ’ખાતરનો જથ્થો પૂરો પાડો સરકાર’ના નારા લાગ્યા

જૂનાગઢમાં નવનિર્મિત પોલીસ આવાસ, જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

એટીએમમાં મદદના બહાને રૂ. 19,000 તફડાવનાર સુરતનો ‘હીરાઘસુ’ ઠગ ઝડપાયો

TAGGED: Ghed area, junagadh, manasukh mandaviya
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જોશીપુરા રેલવે ઓવરબ્રિજ ડિઝાઇનમાં ફેરફાર કરાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો
Next Article જૂનાગઢમાં ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

અતિરુદ્ર મહાયજ્ઞ: 108 બ્રાહ્મણો દ્વારા 5 દિવસમાં 9 યજ્ઞ કુંડમાં 24 લાખ આહુતિ અર્પણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 1377 ભાઈઓ-બેહનો 4 જાન્યુઆરીએ દોટ મુકશે
ગીર સોમનાથમાં ખેડૂતો ખાતર માટે રઝળ્યા: તંત્રની બેદરકારીને કારણે ’ખાતરનો જથ્થો પૂરો પાડો સરકાર’ના નારા લાગ્યા
જૂનાગઢમાં નવનિર્મિત પોલીસ આવાસ, જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
એટીએમમાં મદદના બહાને રૂ. 19,000 તફડાવનાર સુરતનો ‘હીરાઘસુ’ ઠગ ઝડપાયો
મેંદરડાના માલણકા ગામે સિંહ બાળ સહિત 9 સિંહના કાફલાનો વાડી વિસ્તારમાં આરામ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

અતિરુદ્ર મહાયજ્ઞ: 108 બ્રાહ્મણો દ્વારા 5 દિવસમાં 9 યજ્ઞ કુંડમાં 24 લાખ આહુતિ અર્પણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
જુનાગઢ

ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 1377 ભાઈઓ-બેહનો 4 જાન્યુઆરીએ દોટ મુકશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
જુનાગઢ

ગીર સોમનાથમાં ખેડૂતો ખાતર માટે રઝળ્યા: તંત્રની બેદરકારીને કારણે ’ખાતરનો જથ્થો પૂરો પાડો સરકાર’ના નારા લાગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?