કૃષિ મંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના નેતૃત્વમાં જૂનાગઢના બગડુ ગામે ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમને વધાવવા મોટી સંખ્યામાં ગ્રામજનો હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર જોડાયા હતા.
બગડુ ગામની માધ્યમિક શાળાથી શરૂ થયેલી અને નવદુર્ગા ગરબી ચોક સુધીની તિરંગા યાત્રામાં ડીજેના માધ્યમથી દેશભક્તિસભર ગીતો ગુંજી ઉઠ્યા હતા. આમ, તિરંગાયાત્રામાં આ ગ્રામજનો સહભાગી બનીને ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું. તિરંગા યાત્રા પૂર્વે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ગામ અગ્રણીશ્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્ય હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિપકભાઈ ડોબરીયાએ શાબ્દિક સ્વાગત કરવાની સાથે તિરંગા યાત્રાની પૂર્વભૂમિકા પણ આપી હતી.આ તિરંગા યાત્રામાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, તાલુકા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ડોબરીયા, રસિકભાઈ વેકરીયા, લાલજીભાઈ ડોબરીયા, ઉપસરપંચ ભરતભાઈ ડોબરીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.