પાંચ રાજ્યોમાં covid-19 રસીકરણ પ્રમાણપત્રો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અથવા ચિત્ર હશે નહીં.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ હેતુ માટે CoWin પ્લેટફોર્મમાં ફિલ્ટર્સ ઉમેર્યા છે, સૂત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સમાન પગલાં લેવામાં આવ્યા હતા.
એ નોંધવું અગત્યનું છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ (MCC) હવે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં લાગુ છે. રસીકરણ અભિયાનમાં રસી લીધા પછી એનું પ્રમાણપત્ર આપવામાં આવે છે અને આ દસ્તાવેજ પર પીએમ મોદીનો ફોટો હોય છે.
- Advertisement -
કોરોના મહામારીની ત્રીજી લહેરની ઝપેટમાં આવી ચૂકેલા ભારતમાં આગામી સમયમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી થનારી છે. ચૂંટણી પંચે તાજેતરમાં જ આ પાંચેય રાજ્ય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની વિધાનસભા ચૂંટણી માટે તબક્કાવાર તારીખો જાહેર કરી દીધી છે.
આ દરમિયાન લાગુ કરવામાં આવેલી આચાર સંહિતા હેઠળ હવે ચૂંટણી પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ચૂંટણી પંચે નવો આદેશ આપીને દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં અપાતા વેક્સીન સર્ટીફિકેટ પરથી વડાપ્રધાન નરેન્દ્રો મોદીનો ફોટો હટાવી દેવાનો આદેશ આપ્યો છે. માહિતી અનુસાર આતાર સંહિતા લાગુ થવાને લીધે ચૂંટણી પંચે આ આદેશ આપ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચના આદેશ પછી કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલય પીએમ મોદીના ફોટાને વેક્સીન સર્ટી પરથી હટાવવા માટે કોવિન પ્લેટફોર્મ પર જરુરી ફિલ્ટરને લગાવશે.
ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે સાત તબક્કામાં મતદાન યોજાશે. પરિણામ માટે મત ગણતરી 10 માર્ચે થશે. ચૂંટણીની તારીખો જાહેર થયાની સાથે જ સરકારો, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી ઘાતક લહેર બાદથી દેશમાં કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં વધી રહેલા કેસ વચ્ચે પણ રસીકરણને ગતિમાન બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ગંભીર સમયમાં કોરોનાની રસી લઇ લીધા પછી ફાળવવામાં આવતું પ્રમાણપત્ર અત્યંત મહત્વનું દસ્તાવેજ પૂરવાર થઇ ગયું છે. રસીકરણ સર્ટીફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો છે. જેને પાંચ રાજ્યો માટે હટાવવાનો ચૂંટણી પંચે આદેશ આપ્યા છે.
વિધાનસભા ચૂંટણી 2022 : યુપી, પંજાબ સહિતના પાંચ રાજ્યોમાં 7 તબક્કામાં વોટિંગ, 10 માર્ચે પરિણામ. આ પહેલા માર્ચ 2021માં સ્વાસ્થ મંત્રાલયે કેટલાક રાજકીય પક્ષોની ફરિયાદ પછી ચૂંટણી પંચના આદેશ પર અસામ, કેરલ, તમિલાનાડુ, પશ્ચિમ બંગાળ અને પોંડેચેરીમાં ચૂંટણી દરમિયાન આ પ્રકારનો પગલુ લીધુ હતું.



