ઑરેન્જ એલર્ટ: ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ ઉંચા વિસ્તારમાં બરફવર્ષાની હવામાન ખાતાની ચેતવણી
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા બે દિવસથી ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે જાણે આકાશમાંથી મોત વરસ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. હવામાન ખાતાએ આજે મંગળવારે ભારેથી અતીભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે, ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢના 3500 મીટરથી વધારે ઉંચા વિસ્તારમાં બરફવર્ષાની ચેતવણી પણ છે.
- Advertisement -

ઉત્તરાખંડના નૈનિતાલમાં ભારે વરસાદને કારણે 17ના મોત
વાયુસેના હેલિકોપ્ટર લઈને લોકોને બચાવા પહોચી
ઉત્તરાખંડના નૈનીતાલમાં ભારે વરસાદને કારણે 17 લોકોના મોત થયા છે. સાથેજ હજુ પણ 100 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. જેથી રેસક્યુ ઓપરેશન અહિયા યથાવત રાખવામાં આવ્યું છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલ રામગઢ ગામમાં વાદળ ફાટતા ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અહીયા અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે. વાદળ ફાટતા ઘણા બદા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આસંકા છે. જેથી પોલીસ અને પ્રશાસન પણ સ્થળ પર પહોચીને બચાવની કામગીરીમા લાગી ગઈ છે અને ઘાયલોને બચાવામાં આવી રહ્યા છે. નૈનીતાલના ઉધમસિંહ નગરમાં ભારે વરસાદને કારણે લોકોને બચાવા માટે વાયુસેના હેલિકોપ્ટર લઈને પહોચી ગઈ છે. હાલ અહીયા 100 લોકો ફસાયા હોવાની આશંકા છે. જેથી બધાને બચાવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નદી ઓવરફ્લો થવાને કારણે નદીનનું પાણી હોટલ અને રિસોર્ટમાં ઘુસી ગયું છે. જેથી રિસોર્ટનો રસ્તો બંધતો બંધ થઈ ગયો છે. પોલીસના કહેવા પ્રમાણે રામગઢ જિલ્લામાં અમુક ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજું પણ ઘણા બધા લોકો કાટમાળ નીચે દબાયેલા છે. જોકે કુલ કેટલા લોકો કાટમાણ નીચે દબાયા છે. તેના વીશે હજું કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી શકી.
- Advertisement -

યાત્રાળુઓને દહેરાદૂન, હરિદ્વાર, રુદ્ર પ્રયાગ, સહિતના વિવિધ સ્થળોએ સ્થાનિક તંત્ર દ્વારા રોકી દેવામાં આવ્યા
ઉત્તરાખંડમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલરૂમ શરૂ
ઉત્તરાખંડ કે અન્ય કોઈ રાજ્યમાં હાલ ભારે વરસાદ કે ખરાબ મોસમના લીધે રાજકોટ જિલ્લાના કોઈ પણ લોકો ફસાયેલ હોય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, કલેકટર કચેરી 0281 2471573 અને અમદાવાદ માટે 079-23251900 પર તાત્કાલિક વિગતવાર જાણ કરવા વિનંતી છે

રાજકોટના 180 સહિત રાજ્યના અનેક ઉત્તરાખંડમાં ફસાયા
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે તારાજીના દૃશ્યો સર્જાયા છે. રાજકોટના પ્રાધ્યાપક સહિતના 30 યાત્રાળુ ભારે વરસાદમાં ફસાઈ ગયા છે તેમજ રાજકોટના 180 અને રાજ્યના સેંકડો યાત્રીકો ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ તમામ યાત્રાળુઓને કેદારનાથ નજીક જ અટકાવી દેવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે ભારે વરસાદના પગલે ચારધામની યાત્રાએ જનારા યાત્રિકોને વિવિધ સ્થળે રોકી દેવામાં આવ્યા છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રવાસીઓએ મદદની ગુહાર લગાવી હતી.
આ અંગે ઉત્તરાખંડમાં ફસાયેલા રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે, તે તેના પુત્ર શિવમ સહીતના 30 યાત્રાળુઓ સાથે રાજકોટથી ચારધામની યાત્રાએ ગયા છે. હાલ તેઓ કેદારનાથ નજીક આવેલા સીતાપુર બેઝ કેમ્પમાં પહોંચ્યા છે. પરંતુ ત્યાં પહોચ્યા બાદ સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રકારની હલચલ તેમજ અવર-જવર બંધ કરી દેવામાં આવી છે.

100 જેટલા લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા
છેલ્લા બે દિવસથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ રસ્તા બંધ થઈ ગયા છે. કેદારનાથમાં ઘોડા, પાલખી અને ખરાબ હવામાનના કારણે હેલીકોપ્ટરની સેવા બંધ કરી દેવામાં આવી છે. રવિવારે કેદારનાથમાં 3 હજાર જેટલા શ્રધ્ધાળુઓ એકઠા થઈ ગયા હતા. અને તેની સામે ઘોડા, પાલખી અને હેલીકોપ્ટરની વ્યવસ્થા મર્યાદિત હોવાના કારણે યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ વચ્ચે પણ કેદારનાથમાં દર્શનાર્થીઓએ લાંબી લાઈનો માં ઉભા રહી દર્શન કર્યા હતા. રાજકોટના પ્રોફેસર યશવંત ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, જે લોકો અત્યારે ચારધામની યાત્રાનો પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોય તેવા લોકો બે કે ત્રણ દિવસ સુધી યાત્રા શરુ કરવી નહીં.

જ્યાં સુધી હવામાન સ્વચ્છ ન થાય તેમજ રસ્તાઓ ખુલે નહીં ત્યાં સુધી યાત્રાળુઓને બહાર નીકળવા ઉપર સ્થાનિક તંત્રની પાબંદી
રાજકોટથી ચારધામની યાત્રાનું આયોજન કરનાર આયોજક રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમની સાથે પણ 35 લોકોનો એક સંઘ ચારધામની યાત્રામાં જોડાયો છે અને હરિદ્વારથી બદ્રીનાથ જવા માટે નીકળ્યા ત્યારે વરસાદ અને ભૂસ્મલનને કારણે તેમના સંઘને સીકોટા પાસે અટકાવી દેવામાં આવ્યો છે. તેમજ જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય બને નહીં અને રસ્તાઓ સાફ થાય નહીં ત્યાં સુધી સલામત સ્થળે રોકાઈ જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.



