મોટાભાગે મોટા શહેરોમાં આર્થિક વિષમતા ઘણી વધારે છે અને ઝુંપડપટ્ટીના વધવાની સાથે સાથે મોટી સંખ્યામાં શહેરી ગરીબ વસ્તીમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
દેશમાં શહેરીકરણને વધુ વેગ મળી રહ્યો છે, તેના લીધે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે બાંધકામ ક્ષેત્રમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હૈદરાબાદના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર અને ઈસરોના રિપોર્ટ અનુસાર 2005-06થી 2022-23 સુધીના છેલ્લાં 17 વર્ષમાં ભારતના બાંધકામ વિસ્તારમાં લગભગ 25 લાખ હેક્ટરનો વધારો થયો છે. બાંધકામ ક્ષેત્રમાં અંદાજે 35 ટકાનો ઉમેરો થયો .
આ વિસ્તારમાં જમીન આવરણમાં વાર્ષિક સરેરાશ 2.4% નો વધારો થયો છે. નિર્મિત ક્ષેત્ર માટે વપરાતી જમીનમાં બંજર જમીન અને ખેતીની જમીનનો પણ સમાવેશ થાય છે. એનઆરએસસીના વાર્ષિક લેન્ડ યુઝ એન્ડ લેન્ડ કવર એટલાસ ઓફ ઈન્ડિયાના અભ્યાસ મુજબ નિર્મિત ક્ષેત્રના વિસ્તારમાં બંજર જમીનનો હિસ્સો 12.3% રહ્યો છે. એટલાસ દર્શાવે છે કે નિર્મિત વિસ્તારોની વૃદ્ધિનો મોટો હિસ્સો ખેતીની જમીનના ફેરફાર અથવા ડાઈવર્ઝનને કારણે છે.
ખેતીની જમીન સંપાદનમાં વેગ, પરંતુ ખેડૂતોને વળતર અંગે મડાગાંઠ
પર્યાવરણીય મુદ્દાઓ પર અહેવાલ આપનાર ડાઉન ટુ અર્થે એનઆરએસસીના આ અહેવાલના આધારે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં 34 કિલોમીટર લાંબા ઈન્દોર વેસ્ટર્ન બાયપાસના નિર્માણને મંજૂરી આપી છે. જોકે આ માટે ખેતીની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. આ અંગે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. એનઆરએસસીના વિજ્ઞાની અને ડાયરેક્ટર પ્રકાશ ચૌહાણે જણાવ્યું હતું કે આ એટલાસ એક હોકાયંત્ર તરીકે કામ કરશે અને જમીન સંસાધનોની અમારી સમજણ અને ટકાઉ વિકાસ પ્રથાઓને સરળ બનાવવા માટે માર્ગદર્શન આપશે.
- Advertisement -
બાંધકામમાં તેજી, મૂડીખર્ચમાં 10 ગણો વધારો થયો
રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર નાણાવર્ષ 2005-06માં રાજ્ય અને કેન્દ્રનો મૂડીખર્ચ 1.28 લાખ કરોડ રૂપિયા હતો. તે 2022-23માં 11.92 લાખ કરોડ રૂપિયા થયો. એટલે કે 10 ગણો વધારો થયો. નાણાવર્ષ 2019-20 અને નાણાવર્ષ 2022-23 દરમિયાન મૂડીખર્ચમાં સૌથી વધુ વૃદ્ધિદર (76.34%) થયો હતો. એનઆરએસસી એટલાસ મુજબ નિર્મિત ક્ષેત્ર એટલે ઇમારતો, રસ્તાઓ, પાર્કિંગની જગ્યાઓ, વ્યાપારી અને ઔદ્યોગિક સ્થળો અને ઉદ્યાનો વગેરે બાંધકામના ક્ષેત્રો.
ભારતમાં દર 22 મિનિટે 20થી 30 લોકો ગામ ઓછીને શહેર તરફ પલાયન કરતા હોવાનો જિનિવા સ્થિત વિશ્વ આર્થિક મંચ એટલે કે ડબલ્યુઈએફના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાશો થયો છે.
ડબલ્યુઈએફે જણાવ્યું હતું કે કોરોના સંકટ બાદ વૃદ્ધિની દ્રષ્ટીએ શહેરોની ભૂમિકા મોટી રહેશે. દેશની જીડીપીમાં શહેરોનું યોગદાન લગભગ 70 ટકા છે. ભારતમાં મોટાભાગે મોટા શહેરોમાં આર્થિક વિષમતા ઘણી વધારે છે અને ઝુંપડપટ્ટીના વધવાની સાથે સાથે મોટી સંખ્યામાં શહેરી ગરીબ વસ્તીમાં વધારો થયો છે. શહેરી પરિવારોના 35 ટકા અર્થાત 2.5 કરોડ પરિવાર મકાન ખરીદવાની સ્થિતિમાં નથી. બહેતર રીતે તૈયાર શહેર ગતિશીલ કેન્દ્ર બની શકે છે.
પડકારો અને દીર્ઘકાલીન પરિવર્તન લાવવાનો આ અવસર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગ્રામિણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યાં છે. જો કે, કોરોનાને કારણે લોકોની આર્થિક મુશ્કેલીમાં વધારો થયો છે. પરંતુ શહેરી વિસ્તારમાં સરળતાથી નોકરી મળી હોવાથી લોકો ગામ છોડીને રોજગારીની શોધમાં શહેરોમાં આવે છે.શહેરીકરણના પ્રકારો, સ્વરૂપો અને શહેરીકરણના પ્રકારોને ધ્યાનમાં લેતા, આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો પર ધ્યાન આપવું જોઈએ.
ભૂ-શહેરીકરણ એ માનવ હસ્તક્ષેપને કારણે કુદરતી લેન્ડસ્કેપ્સને કૃત્રિમ લેન્ડસ્કેપ્સમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓનો અભ્યાસ જ્યોર્બન અભ્યાસના અલગ વિજ્ઞાનના માળખામાં કરવામાં આવે છે.
શહેરીકરણના આ તમામ પરિબળો સામાજિક પાસાં પર એક નજર
વાણિજ્યિક અને વ્યાપારી સંબંધોની વૃદ્ધિ, ઔદ્યોગિક ક્ષેત્રનું વૈશ્વિકરણ, મજૂર સ્થળાંતર વગેરે નોંધપાત્ર કારણોમાં પણ છે.
શહેરીકરણના પ્રકારો, સ્વરૂપો અને શહેરીકરણના પ્રકારોને ધ્યાનમાં લેતા, ભૂ-શહેરીકરણ એ માનવ હસ્તક્ષેપને કારણે કુદરતી લેન્ડસ્કેપ્સને કૃત્રિમ લેન્ડસ્કેપ્સમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓનો અભ્યાસ જ્યોર્બન અભ્યાસના અલગ વિજ્ઞાનના માળખામાં કરવામાં આવે છે.
ધ્યાનમાં લેવાનો બીજો ખ્યાલ ઉપનગરીયકરણ છે. ઉપનગરીકરણ એ “ગૌણ” શહેરીકરણ અને સમૂહના વિસ્તરણની પ્રક્રિયા છે, જે તાજેતરના વર્ષોમાં ગતિશીલ વિકાસ દ્વારા વર્ગીકૃત થયેલ છે, ખાસ કરીને માનવ જીવનના તમામ ક્ષેત્રોના વધતા કમ્પ્યુટરીકરણના સંદર્ભમાં. શહેરીકરણ અને ઉપનગરીકરણનો સીધો સંબંધ છે, કારણ કે જ્યારે શહેરી રહેવાસીઓની નિર્ણાયક એકાગ્રતા પહોંચી જાય છે, ત્યારે જ નજીકના પ્રદેશોમાં પ્રવાહની પ્રક્રિયા શરૂ થાય છે.