ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રી ડો. ભાગવત કરાડ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા. સાંજે તેઓ સ્થાનિક અગ્રણીઓ સાથે સોમનાથ આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરેલા, સોમનાથ મહાદેવને પુષ્પો, હાર, બિલ્વપત્ર સહિત પૂજન સામગ્રીઓ અર્પણ કરી હતી. તેઓએ સોમનાથ મહાદેવ ને ગંગાજળ અભિષેક કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના દર્શન બાદ તેઓએ સોમનાથ મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી સોમનાથ સમુદ્ર દર્શન પથ, દક્ષિણ ધ્રુવ, સરદારશ્રીની પ્રતિમાની મુલાકાત લઇ મંદિરના જાજરમાન ઈતિહાસથી માહિતગાર બન્યા હતા.
કેન્દ્ર સરકારના રાજ્ય નાણામંત્રીએ સોમનાથ મહાદેવ દર્શન કર્યા
