ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના હસનપર ગામે કરિયાણાના વેપારીએ ધંધામાં જરૂરિયાત પડતા બે વ્યાજખોરો પાસેથી 17.50 લાખ મેળવી બદલામાં 28.80 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી મફતમાં ચીજવસ્તુઓ પડાવી લઈ જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર પોલીસે બંને વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધી બંનેની તાત્કાલિક ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેરના હસનપર ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા ઉતમભાઇ અવચરભાઇ પીપળીયાએ ધંધામાં જરૂરત પડતા આરોપી ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા (રહે. જલારામ જીન પાસે, ભાટીયા સોસાયટી, વાંકાનેર) પાસેથી 5 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભી (રહે. ધમલપર) પાસેથી રૂ.12.50 લાખ વ્યાજે લીધા હતા બાદમાં ઉત્તમભાઈએ આરોપી વ્યાજખોર ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડાને 3.60 લાખ અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીને 28.80 લાખ ચૂકવી દેવા છતાં પણ બંને આરોપીઓએ વધુ પૈસા કઢાવવા ધાકધમકી આપી દુકાને આવી મફતમાં ચીજ વસ્તુ પડાવી જઈ જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે ઉતમભાઈએ વાંકાનેર સીટી પોલીસે બંને વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી વાંકાનેર સીટી પોલીસે વ્યાજખોર ભરતભાઇ ચોંડાભાઇ પરસોંડા અને સુરેશભાઇ ભલાભાઇ ડાભીની તાત્કાલિક ધરપકડ કરીને બંને વ્યાજખોરોને કાયદાનું ભાન કરાવ્યું હતું.
કરિયાણાના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરોની ધરપકડ
