ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને વાંકાનેર શહેર-તાલુકા કોંગ્રેસે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં AICCના ઓબ્ઝર્વર બી.વી. શ્રીનિવાસજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડો. દિનેશભાઈ પરમાર અને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયા પણ જોડાયા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા, વાંકાનેર યાર્ડના માજી પ્રમુખ સકિલભાઇ પીરજાદા, ગુલામભાઇ પરાસરા અને હરદેવસિંહ જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આતંકી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વાંકાનેરમાં કાશ્મીર આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ: કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ મૌન પાળી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
