ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમાજમાં જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે, ત્યારે લોકો તેના વિશે વાત કરે છે, પરંતુ વાત કરનારા લોકો તેનો ઉકેલ શોધવાનું ક્યારેય વિચારતા નથી. મોટાભાગના લોકો સમસ્યાને ઉકેલવામાં પોતાની કોઈ જ જવાબદારી અનુભવતા નથી. પરંતુ આપણા રાજકોટ શહેરમાં એવા એક વ્યક્તિ છે જે સમસ્યા વિશે ચર્ચા કરવામાં નહીં પરંતુ તેનો ઉકેલ લાવવામાં માને છે. જેમણે પરિવર્તન લાવવા કે નવી શરુઆત કરવા માટે બીજા કોઈની રાહ જોઈ નથી. તેઓએ પોતે જ પરિવર્તન કરવાનું નક્કી કર્યું અને આજે તેમનું નામ રાજકોટ શહેરમાં જ નહીં દેશ-વિદેશમાં ગુંજે છે. સેવાના પર્યાય અને યુવાવર્ગ માટે આદર્શ એવા રાજકોટના મયુધ્વજસિંહ જાડેજાના નામથી કોઈ અજાણ નથી. મયુરધ્વજ સિંહ જાડેજા સફળ બિઝનેસમેન, સમાજસેવક અને સફળ બિલ્ડર છે. આજે તમને જન્મદિવસ છે ત્યારે દેશ-વિદેશથી તેમને શુભકામનાઓ મળી રહી છે. મયુરધ્વજસિંહ જાડેજા એવા વ્યક્તિ છે જે સમાજના દરેક વર્ગ માટે કંઈક કરવા માંગે છે જેથી તેઓ આગળ આવે અને તેમનો પણ ગ્રોથ થાય. અને સૌથી મહત્વનું કે પોતાના સેવાકાર્યોના બદલામાં તેઓ સામેના પક્ષેથી કોઈ જ અપેક્ષા રાખતા નથી. મયુરધ્વજસિંહ જાડેજા ખરા અર્થમાં સામાજિક સાહસિક છે. મયુરધ્વજસિંહ જાડેજા રાજકોટનું જાણીતું નામ છે. તેઓ સફળ બિઝનેસમેન, બિલ્ડર અને સમાજ સેવક છે. તેમનામાં પહેલાથી જ લોક કલ્યાણની ભાવના હતી જેને સાકાર કરવા માટે તેમણે જે.એમ.જે ગ્રુપની સ્થાપના કરી. જે.એમ.જે ગ્રુપનું એક જ ધ્યેય છે કે દીકરીઓની, જરૂરીયાતમંદોની અને વિદ્યાર્થીઓની મદદ અને સેવા કરવી. તેઓએ અનેક બાળકોને પ્રધાનમંત્રી વીમા કવચ હેઠળ આવરી લઈ તેમના પ્રીમિયમ ભરવાની જવાબદારી સ્વીકારી છે. ટુંકમાં કહીએ તો છેલ્લા ઘણા વર્ષોથી મયુરધ્વજસિંહ જાડેજા રાજકોટના અનેક જરૂરીયાતમંદોના જીવનને જ નહીં પણ ભાગ્યને બદલવાની જવાબદારી લીધી છે.
- Advertisement -
સંપત્તિ જ સાચું સુખ નથી, દીકરીઓના આશીર્વાદ મળે અને જે સંતોષ થાય તે અમૂલ્ય છે: મયુરધ્વજસિંહ
જેએમજે ગ્રુપના સ્થાપક મયુરધ્વજસિંહનું નામ આવે એટલે અનેક દીકરીઓના અંતરથી આશીર્વાદ નીકળે. કારણ કે અત્યાર સુધીમાં તેમણે અનેક દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી સાસરે વળાવી છે. સમુહ લગ્ન પણ એવા કે દેશ-વિદેશમાં તેની ચર્ચા થાય. મયુરધ્વજસિંહને આ કાર્યમાં તેમના પત્ની અને પરીવારજનો સહયોગ કરે છે. તેમણે આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારની દીકરીઓના સમુહલગ્ન કરાવવાની શરુઆત વર્ષ 2019થી કરી હતી. જે કાર્ય દર વર્ષે અવિરત પણે ચાલે છે. તેઓ અત્યાર સુધીમાં અનેક દીકરીઓના સંપૂર્ણ કરિયાવર સાથે તેમના જાજરમાન લગ્ન કરાવી તેમને સાસરે વળાવી ચુક્યા છે. ખાસ વાત એ છે કે તેમણે પોતે પણ સમુહલગ્નમાં જ લગ્ન કરી અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે.
મયુરધ્વજસિંહ જાડેજાએ દેશ-વિદેશમાં રાજકોટનું નામ કર્યું રોશન
- Advertisement -
રાજકોટના જેએમજે ગ્રુપના સ્થાપક અને સીએમડી મયુરધ્વજસિંહ જાડેજા વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છે. સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે રહેનાર મયુરધ્વજસિંહ જાડેજા રિયલ એસ્ટેટ, ટેક્સટાઈલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રકચર, લોજિસ્ટિક, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને ફિલ્મ પ્રોડકશન સહિતના સફળ વ્યવસાય ચલાવી રહ્યા છે. આ ક્ષેત્રે પણ તેઓ નંબર વન છે. તેમણે પોતાની બિઝનેસની આવડતથી રાજકોટના નામનો ડંકો દેશભરમાં જ નહીં વિદેશમાં પણ વગાડ્યો છે. સેવા અને બિઝનેસ ક્ષેત્રે યુવા વયમાં અને ઓછા સમયમાં અસાધારણ ઉપલબ્ધિ મેળવવા બદલ મયુરધ્વજસિંહનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પણ કરવામાં આવ્યું છે.



