કાર્યદક્ષ, સમરસ અને એક્ટિવ પેનલ મેદાને: ભાજપની લીગલ સેલે ચૂંટણીમાં ઝંપલાવવાનું ટાળ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી 20 ડિસેમ્બર, 2024ના રોજ યોજાનાર છે. ત્યારે આ વખતે બાર એસોસિએશનની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ વખતે કાર્યદક્ષ પેનલ, સમરસ પેનલ અને એક્ટિવ પેનલે ચૂંટણી મેદાને ઝંપલાવ્યું છે. જ્યારે ભાજપની લીગલ સેલને ગત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હોવાથી આ વખતની ચૂંટણીમાં લડવાનું ટાળ્યું છે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જીત માટે ત્રણેય પેનલ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ત્રિ-પાંખિયા જંગમાં કઈ પેનલ કોના મત તોડી કોને નુકશાન પહોંચાડશે અને કોને ફાયદો કરાવી જીત અપાવશે, તે જોવું મહત્વનું રહેશે.
- Advertisement -
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ દિલીપ જોષીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટ બાર એસોસિએશનમાં છેલ્લા 24 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અગાઉ વર્ષ 2008 અને 2010માં બાર એસોસિએશનમાં કારોબારી તરીકે સેવા આપી ચૂક્યો છું. વર્ષ 2012, 2014, 2018 અને 2023માં સિનિયર પ્રમુખો સાથે સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યો છું. આ વર્ષે મેં મારી ટીમ સાથે કાર્યદક્ષ પેનલ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મારી ટીમના સભ્યો પૈકી ઘણા સભ્યો અગાઉ પણ બાર એસોસિએશનમાં કોઈને કોઈ રીતે સેવા આપી ચૂક્યા છે. તમામ પેટા બાર દ્વારા અમને સમર્થન કરી કાર્યદક્ષ પેનલને ટેકો જાહેર કર્યો છે. રાજકોટમાં નવું કોર્ટ બિલ્ડિંગ કાર્યરત થઇ ગયું છે, પરંતુ વકીલ ભવન માટેની જે જગ્યા ફાળવેલ હતી, ત્યાં અમારૂ અલાયદું વકીલ ભવન આ વર્ષે પૂર્ણ થાય તે માટે કામ કરીશું. વકીલોના જે કોઈ પ્રશ્નો હશે તે પૂર્ણ કરવા માટે અમે તમામને સાથે રાખી પ્રયત્ન કરીશું.
આ ઉપરાંત નવા કોર્ટ બિલ્ડિંગ કેમ્પસમાં વકીલો માટેના 3 માળના બિલ્ડિંગને 5 માળનુ કરવા અંગે હાઇકોર્ટમાં સફળ રજૂઆત કરીને વકીલો માટેના 5 માળના ભવ્ય બિલ્ડિંગનું ખાતમુર્હુત ગુજરાત હાઇકોર્ટના જજોના હસ્તે કરવામાં આવેલું હતુ. નવા બિલ્ડિંગના પ્રારંભ સમયે વકીલોમાં ઉદ્ભવેલા ટેબલ રાખવાનો પ્રશ્નનો રાજકોટના જજ તેમજ હાઇકોર્ટના જજ સાથે સમન્વય કરીને સુખદ નિવેડો લાવી મહત્વના પ્રશ્નનું નિરાકરણ કરેલ છે.
એક્ટિવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને હાલના રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 27 વર્ષથી વકીલાતની સિવીલ તેમજ ફોજદારીની પ્રેક્ટીસ કરે છે. હાલમાં મારી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ છે. રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં 3 વખત પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે. ચાલુ વર્ષે પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી વકીલ હિતના કાર્યો કરેલા છે. ચાલુ ટર્મ દરમિયાન નવા કોર્ટ બિલ્ડિંગનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ સાહેબના હસ્તે ઉદ્દઘાટનનો ભવ્ય કાર્યક્રમ કરી નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
મારી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ છે: બકુલ રાજાણી
એક્ટિવ પેનલના પ્રમુખપદના ઉમેદવાર અને હાલના રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 27 વર્ષથી વકીલાતની સિવીલ તેમજ ફોજદારીની પ્રેક્ટીસ કરે છે. હાલમાં મારી વકીલ આલમમાં કાકા અને 108ની છાપ છે. રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં 3 વખત પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે. ચાલુ વર્ષે પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી વકીલ હિતના કાર્યો કરેલા છે. ચાલુ ટર્મ દરમિયાન નવા કોર્ટ બિલ્ડિંગનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયા ચીફ જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડ સાહેબના હસ્તે ઉદ્દઘાટનનો ભવ્ય કાર્યક્રમ કરી નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
અલાયદું વકીલ ભવન તૈયાર થાય તે માટે કામ કરીશું: દિલીપ જોષી
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ દિલીપ જોષીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટ બાર એસોસિએશનમાં છેલ્લા 24 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. અગાઉ વર્ષ 2008 અને 2010માં બાર એસોસિએશનમાં કારોબારી તરીકે સેવા આપી ચૂક્યો છું. વર્ષ 2012, 2014, 2018 અને 2023માં સિનિયર પ્રમુખો સાથે સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યો છું. આ વર્ષે મેં મારી ટીમ સાથે કાર્યદક્ષ પેનલ તરીકે ઉમેદવારી નોંધાવી છે. મારી ટીમના સભ્યો પૈકી ઘણા સભ્યો અગાઉ પણ બાર એસોસિએશનમાં કોઈને કોઈ રીતે સેવા આપી ચૂક્યા છે. તમામ પેટા બાર દ્વારા અમને સમર્થન કરી કાર્યદક્ષ પેનલને ટેકો જાહેર કર્યો છે. રાજકોટમાં નવું કોર્ટ બિલ્ડિંગ કાર્યરત થઇ ગયું છે, પરંતુ વકીલ ભવન માટેની જે જગ્યા ફાળવેલ હતી, ત્યાં અમારૂ અલાયદું વકીલ ભવન આ વર્ષે પૂર્ણ થાય તે માટે કામ કરીશું. વકીલોના જે કોઈ પ્રશ્નો હશે તે પૂર્ણ કરવા માટે અમે તમામને સાથે રાખી પ્રયત્ન કરીશું.