By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    16 hours ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    2 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    2 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    2 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    2 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    2 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    2 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    3 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    2 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    4 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    4 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    4 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    2 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    4 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    5 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    7 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    3 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    3 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    7 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘બાબરી મસ્જિદ’ને સ્થાને ત્રણ ગુંબજવાળો ઢાંચો: NCERTએ અભ્યાસક્રમ બદલ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘બાબરી મસ્જિદ’ને સ્થાને ત્રણ ગુંબજવાળો ઢાંચો: NCERTએ અભ્યાસક્રમ બદલ્યો
રાષ્ટ્રીય

‘બાબરી મસ્જિદ’ને સ્થાને ત્રણ ગુંબજવાળો ઢાંચો: NCERTએ અભ્યાસક્રમ બદલ્યો

Khaskhabar Editor
Last updated: 2024/06/17 at 5:42 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદની જગ્યાએ ‘રામ જન્મભૂમિ મંદિર આંદોલન’ તરીકે વર્ણવવમાં આવ્યું

ઓપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે ગઈઊછઝએ 12મા ધોરણના પોલિટિકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. આ ફેરફારમાં સૌથી મહત્વની બાબત એ છે કે 12માના પોલિટીકલ સાયન્સના પાઠ્યપુસ્તકમાંથી ‘બાબરી મસ્જિદ’નું નામ દૂર કરી દેવામાં આવ્યું છે. નવા પુસ્તકમાં તેને બાબરી મસ્જિદને બદલે ત્રણ ગુંબજવાળો ઢાંચો કહેવામાં આવ્યો છે. આ સાથે જ પુસ્તકમાં અયોધ્યા પરનું પ્રકરણ ચાર પાનાંથી ઘટાડીને બે પાનાનું કરી દેવામાં આવ્યું છે.

વાસ્તવમાં નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, સોમનાથથી અયોધ્યાની લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા, બાબરી ધ્વસ્ત બાદ થયેલાં રમખાણો, 2002નાં ગુજરાત રમખાણો અને ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા, રાષ્ટ્રપતિ શાસનવાળી ઘટનાઓ વગેરે દૂર કરવામાં આવી છે. આ પુસ્તક શૈક્ષણિક સત્ર 2024-25થી અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે.

જૂના પુસ્તકની જો વાત કરીએ તો જૂના પુસ્તકમાં બાબરી મસ્જિદને ’16મી સદીની મસ્જિદ’ તરીકે રજૂ કરવામાં આવી હતી, તેમાં ઉલેખ કરવામાં આવ્યો હતો કે બાબરીને મુઘલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બકીએ બંધાવી હતી. સાથે જ જૂના પુસ્તકમાં 2 પાના ભરીને અયોધ્યામાં બાબરી ધ્વંસ, હિંદુ-મુસ્લિમ વચ્ચે રમખાણો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ પુસ્તકમાં બાબરીની જગ્યાએ ત્રણ ગુંબજવાળો ઢાંચો લખવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 1986માં, ત્રણ ગુંબજવાળા ઢાંચાના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો, જ્યારે ફૈઝાબાદ (હવે અયોધ્યા) જિલ્લા અદાલતે ઢાંચાના તાળાઓ ખોલવાનો ચુકાદો આપ્યો અને લોકોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી. આ વિવાદ ઘણા દાયકાઓથી ચાલી રહ્યો હતો, કારણ કે એવું માનવામાં આવતું હતું કે શ્રીરામના જન્મસ્થળ પર એક મંદિરને તોડીને ત્રણ ગુંબજવાળી રચના બનાવવામાં આવી હતી. નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદની જગ્યાએ ‘રામ જન્મભૂમિ મંદિર આંદોલન’ તરીકે વર્ણવામાં આવ્યું છે. તેમાં રાજનીતિક તેમજ કાયદાકીય વિવાદનો ભારતીય રાજકારણ પણ પડેલો પ્રભાવ પણ દર્શાવવામાં આવ્યો છે. નવા પુસ્તકમાં અયોધ્યાને પવિત્ર સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે સન 1528માં અહીં ત્રણ ગુંબજવાળો ઢાંચો બનાવી દેવામાં આવ્યો હતો. ગઈઊછઝના નવા પુસ્તકમાં અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે ચુકાદો આપ્યો હતો કે આ જમીન મંદિરની છે. આ સાથે જૂના પુસ્તકમાં કેટલાક અખબારોના કટિંગની તસવીરો જોડવામાં આવી હતી, જેમાં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કલ્યાણ સિંહની સરકારને હટાવવાના આદેશનો પણ સમાવેશ થાય છે. પરંતુ હવે નવા પુસ્તકમાં તેને હટાવી દેવામાં આવ્યું છે.

- Advertisement -

શાળાઓમાં રમખાણો વિશે શિખવવાની જરૂર નથી, નાગરિકો હિંસક અને નાખુશ બની શકે છે : NCERTના ડિરેકટર

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ના ડિરેકટરે કહ્યું છે કે, રમખાણો વિશે શીખવવાથી હિંસક અને નાખુશ નાગરિકો બની શકે છે. આ કારણોસર, ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદના ધ્વંસના સંદર્ભમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. શાળાના અભ્યાસક્રમના ભગવાકરણના આક્ષેપોને પણ ફગાવી દીધા. તેમણે કહ્યું કે, બધું તથ્યો અને સત્ય પર આધારિત છે. NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ જણાવ્યું હતું કે, પુસ્તકોમાં થયેલા ફેરફારો વાર્ષિક રિવિઝનનો એક ભાગ છે. આને વિરોધનો વિષય ન બનાવવો જોઈએ. જ્યારે ગુજરાતના રમખાણો અથવા બાબરી મસ્જિદના ધ્વંસના સંદર્ભમાંNCERT પાઠ્યપુસ્તકોમાં ફેરફાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે સકલાનીએ કહ્યું, ‘શા માટે આપણે શાળાના પાઠ્યપુસ્તકોમાં રમખાણોના સૂત્રો શીખવવા જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ, હિંસક અને હતાશ વ્યક્તિઓ નહીં. શું આપણે આપણા વિદ્યાર્થીઓને એવી રીતે ભણાવવું જોઈએ કે તેઓ આક્રમક બને? શું આ શિક્ષણનો હેતુ છે? શું આપણે નાના બાળકોને રમખાણો વિશે શીખવવું જોઈએ? જ્યારે તેઓ મોટા થશે, ત્યારે તેઓ તેનું સૂત્ર જાણશે. ધો.12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આમાં બાબરી મસ્જિદનો કોઈ ઉલ્લેખ નથી. પુસ્તકમાં તેને ત્રણ ગુંબજ સાથેનું માળખું તરીકે વર્ણવવામાં આવ્યું છે. જેમાં અયોધ્યા વિભાગને ચારથી ઘટાડીને બે પેજ કરવામાં આવ્યો છે. ઉપરાંત, અગાઉના સંસ્કરણમાંથી વિગતો દૂર કરવામાં આવી છે. ડિરેકટરે કહ્યું, ’જો સુપ્રીમ કોર્ટે રામ મંદિર, બાબરી મસ્જિદ અથવા રામ જન્મભૂમિના પક્ષમાં ચુકાદો આપ્યો છે તો તેને પુસ્તકોમાં સામેલ ન કરવો જોઈએ. આમાં શું વાંધો છે?’. તેમણે કહ્યું, ’અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ અને આ અમારા પુસ્તકોનો ઉદ્દેશ્ર્ય છે. અમે તેમનામાં બધું મૂકી શકતા નથી. આપણા શિક્ષણનો હેતુ હિંસક અને હતાશ નાગરિકો પેદા કરવાનો નથી.

You Might Also Like

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ

દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા

TAGGED: Babri Masjid, NCERT changes, NCERT changes syllabus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડીપફેક પર રોક લગાવવા ડિજિટલ ઇન્ડિયા બિલ લાવી શકે મોદી સરકાર: AIના સકારાત્મક ઉપયોગ પર ફોકસ
Next Article ટ્રાયલ રન સફળ રહ્યો: ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ બનીને તૈયાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?