NCRB-2021નો રિપોર્ટ – રાજ્યમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી, જેમાંથી સૌથી વધુ ભણેલા-ગણેલા લોકોએ જીવન ટૂંકાવ્યું
ભણેલા-ગણેલા લોકો સૌથી વધુ સમજદાર હોવાનું માનવામાં આવે છે, ધોરણ 10 કે 12 સુધી, ગ્રેજ્યુએશન સુધી ભણેલા લોકો દિમાગનો વધુ સારી રીતે ઉપયોગ કરી જાણે છે, પરંતુ ગઈછઇ (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના જાહેર થયેલા 2021ના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી છે તેમાં ભણેલા-ગણેલા લોકોનું આત્મહત્યાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. ગુજરાતમાં એક વર્ષમાં કુલ 8789 લોકોએ આત્મહત્યા કરી હતી જેમાંથી 375 લોકો ગ્રેજ્યુએટ થયેલા હતા, 4 લોકો એમબીએ કક્ષાનું પ્રોફેશનલ ભણેલા હતા, આત્મહત્યા કરનાર 1409 લોકો ધોરણ 12 સુધી ભણેલા હતા અને ધોરણ 10 ભણેલા લોકોની સંખ્યા 2142 જેટલી નોંધાઈ છે.
- Advertisement -
એનસીઆરબી દ્વારા જે રિપોર્ટ જાહેર કરાયો છે તેમાં આત્મહત્યા કરવા પાછળના જુદા જુદા કારણો પણ દર્શાવ્યા છે જેવા કે ફેમિલી પ્રોબ્લેમ, નિષ્ફળતા, પ્રેમમાં નિષ્ફળતા, વિવાહિત જીવનમાં નિષ્ફળતા અને બેરોજગારી પણ આત્મહત્યા કરવા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે આત્મહત્યા કરનાર મોટાભાગના વ્યક્તિ સાક્ષર હતા. કોઈ પાંચ ચોપડી તો કોઈ આઠ, કોઈ 10 તો કોઈ 12 ભણેલા, ગ્રેજ્યુએટની સંખ્યા પણ પ્રમાણમાં વધુ રહી છે.
આ રિપોર્ટમાં જેટલા લોકોએ આત્મહત્યા કરી તેમાં સૌથી વધુ 2142 લોકોએ ધોરણ 10 સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. આ ઉપરાંત રિપોર્ટ 143 અન્ય લોકોએ આત્મહત્યા કરી હોવાનું નોંધ્યું છે.આ રિપોર્ટના આંકડાઓ પરથી ભણતર સાથે ગણતર પર ભાર મૂકવા અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. અભણ કરતાં શિક્ષિતોની મહત્વકાંક્ષા વધુ હોવાથી પણ તેમનો આત્મહત્યાનો દર ઊંચો હોવાનું સામે આવ્યું છે.
કેટલું ભણેલા કેટલા લોકોએ અંતિમ પગલું ભર્યું મેળવેલું શિક્ષણ આત્મહત્યા કરનારની સંખ્યા
અભણ 916
5 ધોરણ સુધી ભણેલા 1685
8 ધોરણ સુધી ભણેલા 2056
10 ધોરણ સુધી ભણેલા 2142
12 ધોરણ સુધી ભણેલા 1409
ડિપ્લોમા/ ITI કોર્સ કરેલા 59
ગ્રેજ્યુએટ થયેલા 375
પ્રોફેશનલ/ MBA ભણેલા 4
અન્ય 143