બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ઊર્જા, વોટર રિસોર્સ સહિત સાત મહત્વના ક્ષેત્રે કરાર થયા છે.
બાંગ્લાદેશી પીએમ શૈખ હસીના ભારત આવ્યાં છે. મંગળવારે બપોરે તેમને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ બન્ને દેશોએ સાત મહત્વના કરાર પર હસ્તાંક્ષર કર્યાં હતા.
- Advertisement -
સાત મહત્વના કરાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઊર્જા, વોટર રિસોર્સ, વેપાર, ઈન્વેસ્ટમેન્ટ, બોર્ડર મેનેજમેન્ટ એન્ડ સિક્યુરીટી, ડેવલપમેન્ટ પાર્ટનરીશીપ અને રિજિયોનલ એન્ડ મલ્ટીલેટરલ મેટર્સ જેવા સાત કરાર સામેલ છે.
Seven MoUs signed between India, Bangladesh
Read @ANI Story | https://t.co/yE20OL9wls#SheikhHasina #PMModi #BangladeshIndiaFriendship pic.twitter.com/C2pVjusu2x
- Advertisement -
— ANI Digital (@ani_digital) September 6, 2022
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને બન્ને દેશો વચ્ચે થયેલા કરારની માહિતી આપી હતી.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુશિયારા નદી માટે જળ વહેંચણી કરાર થયો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુશિયારા નદીના જળ વહેંચણીનો પણ કરાર થયો છે. પીએમ મોદીએ કહ્યું કે આ કરારને કારણે સાઉથ આસામ અને બાંગ્લાદેશના સિયલહેટ પ્રાંતને લાભ મળશે.
આઈટી, સ્પેસ અને ન્યુક્લિયર સેક્ટરમાં ભાગીદારી વધારશે
શૈખ હસીના સાથેની મુલાકાત બાદ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ આઈટી, સ્પેસ અને ન્યુક્લિયર સેક્ટરમાં ભાગીદારી વધારશે.
બાંગ્લાદેશી પ્રધાનમંત્રી શેખ હસીના અને પીએમ મોદી વચ્ચે મુલાકાત
ભારત પ્રવાસે આવેલા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રિસ્પેશન સેરેમની રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમને મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં રિસીવ કર્યા હતા. શેખ હસીના 8 સપ્ટેમ્બર સુધી ભારત પ્રવાસે આવેલા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે 7 કરાર થઈ શકે છે. રાષ્ટ્રપતિ ભવનમાં બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યુ કે, જ્યારે લિબરેશન વોર થયું, અમારા દેશે જ્યારે સ્વાધીનતા અપનાવી ત્યારે ભારત અને અહીંના લોકોએ અમારો સાથ આપ્યો, સપોર્ટ કર્યો. તે કન્ટ્રીબ્યૂશન માટે હં ભારતની આભારી રહીશ.