બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકોને નર્સરીમાં હાજરી દર્શાવતા હોવાની ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ TRP અગ્નિકાંડ બાદ વધુ સંવેદનશીલતા દર્શાવી રહ્યું છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે કુડા ચોકડી નજીક શિક્ષણ વિભાગની પરવાનગી વગર શરૂ કરેલ સ્કૂલ સામે હજુ સ્થાનિક શિક્ષણ વિભાગ કોઈ પણ પ્રકારના કડક પગલાં ભરવામાં લાજ કાઢી રહ્યું હજવાનું પણ સામે આવ્યું છે. શિક્ષણ વિભાગની પરવાનગી વગર શરૂ કરેલી સ્કૂલમાં ધ્રાંગધ્રા પંથકના 40થી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ સ્કૂલને શિક્ષણ વિભાગની પરવાનગી જ નહિ વીદફ છતા સ્કૂલના સંચાલક દ્વારા બધું અધ્ધરો અધ્ધર ચલાવી બાળકોના ભાવિ પણ જોખમમાં મૂકી રહ્યા છે. પરવાનગી નહિ હોવા છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી શરૂ કરેલી નર્સરી અને બાલવાટિકા સ્કૂલમાં અભ્યાસ કરતા પાચ વર્ષથી વધુ ઉંમરના બાળકોને ફરજિયાત બાલવાટિકા અભ્યાસ કરાવવો જરૂરી છે પરંતુ અહી સ્કૂલને જ પરવાનગી નહિ મળી હોવાથી બાલવાટિકા માં અભ્યાસ કરતા બાળકોની હાજરી નર્સરીમાં અભ્યાસ કરતા બાળકોના હાજરી પત્રકમાં દર્શાવાય છે. જ્યારે શિક્ષણ વિભાગની પરવાનગી નહિ હુવાથી ઉઈંજઊ નંબર વગર ધમધમતી સ્કૂલમાં આ વર્ષે અભ્યાસ કરતા બાલવાટિકાના બાળકોને ગત વર્ષે પ્રથમ ધોરણમાં અન્ય સ્કૂલ એડમિશન નહિ આપે જેથી બાળકોના શિક્ષણનું ભવિષ્ય શરૂ થયા પહેલા જ અંધકારમાં ધકેલાય તેવી સ્થિતિ ઉદભવ થશે. પરંતુ સ્કૂલ સંચાલક દ્વારા માત્ર થોડા રૂપિયા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત કેટલી યોગ્ય કહી શકાય ? ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ તપાસના આદેશો બાદ ધ્રાંગધ્રા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક ધોરણના 1થી 5 સુધીના બાળકો અભ્યાસ નહિ કરતા હોવાની તપાસ કરી ખરેખર ઊંડાણ પૂર્વક તપાસ કર્યા વગર જ પરત ફરી આવ્યા હતા જેથી પરમિશન વગર ચલાવતા નકલી સ્કૂલના સંચાલકોને વધુ પ્રોત્સાહન મળ્યું છે પરંતુ જિલ્લા શિક્ષણ વિભાગ પરવાનગી વગર ચાલતી સ્કૂલને તદ્દન બંધ કરાવી અભ્યાસ કરતા 40થી વધુ બાળકોના પરિવારોને ઉઘરાવેલી ફી પરત અપાવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.
- Advertisement -
રાજ્ય સરકારમાં શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જે સ્કૂલોમાં નર્સરી (LKG) અને બાલવાટિકા(UKG) અભ્યાસ ક્રમ વર્ષ 2024 પૂર્વેથી ચાલતો હોય તેવી સ્કૂલોમા નર્સરી અને બળવટીકાની પરવાનગી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે પરંતુ જે સ્કૂલો 2024માં નિર્માણ થયેલી છે અને તદ્દન નવી જ પરવાનગી લેવાની છે તેવી સ્કૂલોમાં 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઇન અરજી કરી બાદમાં પરમિશન મેળવવાની રહેશે” જેથી નવનિર્માણ થયેલી સ્કૂલોમાં રાજ્યના શિક્ષણ વિભાગની પરમિશન બાદ જ સ્કૂલમાં અભ્યક્રમ શરૂ કરવાનો છે.