નિર્દોષ લોકોને માર મારવામાં મેંદરડા પોલીસ અવ્વલ
મેંદરડા પોલીસનાં કોન્સ્ટેબલ વનરાજસિંહએ માર માર્યા અંગેની અરજી કરી આઈજી, પોલીસ અધિક્ષક અને કલેક્ટર સહિતનાને રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કાયદાનાં રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય છે ત્યારે નિર્દોષ સામાન્ય માણસને ઝેર પીવાનાં વારા આવે છે. જૂનાગઢ જિલ્લાનું મેંદરડા પોલીસ મથક જાણે લોકોની રક્ષા માટે નહીં પરંતુ નિર્દોષ લોકોને માર મારવા માટે અવ્વલ બની ગઈ છે. ત્રણેક માસ અગાઉ ભાલછેલનાં યુવાન જગદીશભાઈને મેંદરડા પોલીસનાં કોન્સ્ટેબલે કોઈ વાંક-ગુના વગર ઉઠાવી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. જે અંગે ત્યારે જગદીશભાઈએ આઈજી, પોલીસ અધિક્ષક અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી અને ગત તા. 26 સપ્ટેમ્બર 2022નાં રોજ ‘ખાસ-ખબર’નાં જૂનાગઢ કાર્યાલયમાં આવી જગદીશભાઈ ચનાભાઈ પરમાર અને તેમનાં પત્નીએ પોતાની વ્યથા ઠાલવી હતી અને આ જ દિવસે ‘ખાસ-ખબર’ જૂનાગઢ આવૃત્તિમાં એક અહેવાલ પણ પ્રકાશિત કરાયો હતો. પરંતુ આજ સુધી જવાબદારો સામે કોઈ જ પગલાં ન લેવાતાં અંતે જગદીશભાઈએ ઝેરી દવા પીવાનો વારો આવ્યો છે.
જગદીશ ચનાભાઇ પરમારે એવો આક્ષેપ કર્યો છે કે, આજથી ત્રણ મહિના પહેલા કોઇ પણ વાંક ગુના વગર વનરાજસિંહ નામના પોલીસ કોન્સટેબલે મને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં મારી આ રજૂઆતને કોઇએ ધ્યાને ન લેતાં અને ન્યાય ન મળતાં અંતે મેં થોડા દિવસ અગાઉ ઝેરી દવા પી લીધી હતી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ ત્યારે પણ હું બેભાન અવસ્થામાં હતો ત્યારે પોલીસ દ્વારા મારા ભાઇને ધાક ધમકી આપીને ખોટું નિવેદન લઇ લેવામાં આવ્યું હતું. જ્યારે હું હોસ્પિટલથી સ્વસ્થ થઇને ઘરે જતો રહ્યો ત્યાર બાદ ફરી મેંદરડા પોલીસ સ્ટેશને મને નિવેદન લેવા બોલાવ્યો હતો. પણ આખો દિવસ બેસાડી રાખ્યો હતો અને મારૂ નિવેદન લેવામાં આવ્યું ન હતું.
મારા અને મારા પરિવારને જો કંઇ પણ થશે તેના જવાદાર સાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વનરાજસિંહની જવાબદારી રહેશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. મને ન્યાય ન મળતા મેં ઝેરી દવા પી આ પગલું ભર્યું હતું. મેંદરડા પોલીસ સામે અવાજ ઉઠાવનાર નિર્દોષ લોકોને માર મારીને અવાજ દબાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપો અનેકવાર થયા છે અને અપરાધીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પોલીસે ગરીબ લોકોને રક્ષણ કરવાનું હોય તેના બદલે માર મારીને હેરાન પરેશાન કરી રહ્યાનો આક્ષેપ જગદીશ પરમારે કર્યો હતો. મેંદરડા પોલીસ સામે અનેક એવા નિર્દોષ લોકો ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ચુકયા છે. છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઇ પગલા ભરવામાં નથી આવતા જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. એ જ રીતે મેંદરડાના દિપક મકવાણા પણ પોતાની સાથે થયેલ અન્યાય બાબતે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. તેને પણ કોઇ ન્યાય મળ્યો નથી.
- Advertisement -
મેંદરડા પોલીસ વિરૂદ્ધ અનેક રજૂઆત
મેંદરડા પોલીસ વિરૂઘ્ધ અનેક રજૂઆતો થઇ છે કરપ્શનથી લઇને દારૂના ધંધાર્થી વિરૂઘ્ધ રજૂઆતો થવા છતાં કોઇ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી. દેશી દારૂના ધંધાર્થીઓ સામે સામાજીક લોકો અવાજ ઉઠાવે ત્યારે અપરાધી પાસે ખોટી ફરિયાદો કરાવી ખોટા કેમસમાં હેરાન પરેશાન કરવામાં આવ્યાના આક્ષેપો પણ મેંદરડા પોલીસ વિરૂદ્ધ થઇ રહ્યા છે.
દવા પીધા બાદ હું સારવારમાં હતો ત્યારે પોલીસે મારા ભાઈને ધાક-ધમકી આપીને ખોટું નિવેદન લઈ લીધું હતું: જગદીશ પરમાર અને શીતલ પરમારનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…