NSA અજિત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાનાં નામ સમન્સમાં સામેલ
ખાસ-ખબર ન્યૂઝ અમેરિકા
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાની એક કોર્ટે મંગળવારે ભારત સરકારને સમન્સ પાઠવ્યું છે. ભારતના ગજઅ અજિત ડોભાલ, પૂર્વ છઅઠ ચીફ સામંત ગોયલ, છઅઠ એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાનાં નામ પણ આ સમન્સમાં સામેલ છે. અમેરિકન કોર્ટે આ સમન્સનો 21 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. પન્નુએ તેની હત્યાના ષડયંત્રને લઈને અમેરિકાની જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે પન્નુ પર ન્યૂયોર્કમાં ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. સમન્સના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે આ સમન્સ સંપૂર્ણપણે ખોટું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે જ્યારે આ મામલો અમારા ધ્યાન પર આવ્યો તો અમે કાર્યવાહી કરી. આ મામલે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે. 26 જૂને અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ હત્યાના પ્રયાસના મામલામાં ભારત પાસેથી જવાબદારી માગી હતી. યુએસ સરકારના ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે કહ્યું હતું કે અમે આ મુદ્દો સીધો ભારત સરકાર સાથે ઉઠાવ્યો છે. તપાસ કમિટી પાસે રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો. હકીકતમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિક પોલીસે 30 જૂન, 2023ના રોજ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરી હતી.
- Advertisement -
નિખિલને 14 જૂન 2024ના રોજ અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.અમેરિકન એજન્સીઓ અનુસાર, આ પ્લાનિંગ પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન કરવામાં આવ્યું હતું. જોકે આ માહિતી 22 નવેમ્બરે આપવામાં આવી હતી. ચાર્જશીટમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એમાં લખ્યું છે – ભારતના એક પૂર્વ ઈછઙઋ ઓફિસરે તેને પન્નુની હત્યાની યોજના બનાવવા કહ્યું હતું. નિખિલે કામના બદલામાં 83 લાખ રૂપિયા આપવા માટે એક વ્યક્તિ સાથે સોદો કર્યો હતો. પન્નુની હત્યાના કાવતરા પાછળ છઅઠનો હાથ હતો. રિપોર્ટ અનુસાર પન્નુની હત્યાનું સમગ્ર પ્લાનિંગ છઅઠના વરિષ્ઠ અધિકારી વિક્રમ યાદવે કર્યું હતું. તેણે એક હિટ ટીમને કામ પર રાખી હતી. યાદવે પન્નુ વિશેની માહિતી ભારતીય એજન્ટ નિખિલ ગુપ્તાને મોકલી હતી, જેમાં તે ન્યૂયોર્કમાં હોવાનો ખુલાસો થયો હતો. આ પછી નિખિલ ગુપ્તાએ પન્નુને મારવા માટે એક એજન્ટનો સંપર્ક કર્યો. જોકે પ્લાનિંગ સફળ થાય એ પહેલા જ નિખિલ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો એક અમેરિકન નાગરિકની હત્યાના કાવતરાનો હતો. ભારતમાં બેઠેલા અધિકારી પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. આ કારણથી અમેરિકન અધિકારીઓએ આ વાત તેમના ઉચ્ચ અધિકારીઓને જણાવી. 5-6 ઓગસ્ટના રોજ સાઉદી અરેબિયાના જેહાદમાં ભારત સમક્ષ આ મુદ્દો પ્રથમ વખત ઉઠાવવામાં આવ્યો હતો, જ્યારે રશિયા-યુક્રેન મુદ્દે બેઠક થઈ રહી હતી. એ સમયે અમેરિકન ગજઅ જેક સુલિવને ભારતીય ગજઅ અજિત ડોભાલ સાથે આ હત્યાના કાવતરા અંગે અલગથી વાત કરી હતી. ડોભાલે સુલિવાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે વસ્તુઓ આ રીતે કામ કરશે નહીં. પુરાવા અને વિગતો હોય ત્યારે જ ભારત આની તપાસ કરી શકે છે. જો આ બધું ના હોય તો આ બધું બકવાસ છે.