દિલ્હી જળ સંકટ પર સુનાવણી 12 જૂન સુધી ટળી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
- Advertisement -
દિલ્હી જળ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 12 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. સોમવારે કોર્ટે અરજીમાં રહેલી ખામીઓને દૂર ન કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું- કોર્ટના પગલાંને હળવાશથી ન લો. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે કહ્યું કે દિલ્હી સરકારની અરજીમાં ખામીને કારણે રજિસ્ટ્રીમાં એફિડેવિટ સ્વીકારવામાં આવી રહ્યાં નથી. કોર્ટે દિલ્હી સરકારના વકીલને પૂછ્યું કે, તમે અરજીમાંની ભૂલો કેમ ન સુધારી? અમે અરજી ફગાવી દઈશું. છેલ્લી સુનાવણી દરમિયાન આ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તમે ખામી સુધારી નથી.
કોર્ટે કહ્યું કે તમારો કેસ ગમે તેટલો મહત્ત્વપૂર્ણ હોય, કોર્ટના પગલાને હળવાશથી ન લો. તમે સીધા જ કોર્ટમાં ઘણા બધા દસ્તાવેજો સબમિટ કરો છો અને પછી કહો છો કે તમે પાણીની અછતથી પીડિત છો અને આશા રાખો છો કે આજે જ ઓર્ડર પસાર થઈ જશે. તમે ઈમરજન્સીની વાત કરો છો અને તમે પોતે આરામથી બેઠા છો. બધું રેકોર્ડ પર રહેવા દો. હવે અમે 12 જૂને કેસની સુનાવણી કરીશું. કોર્ટે કહ્યું કે અમે સુનાવણી પહેલા ફાઈલો વાંચવા માંગીએ છીએ કારણ કે અખબારમાં ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. જો અમે ફાઇલો નહીં વાંચીએ તો અખબારોમાં જે પણ અહેવાલો આવે છે તેનાથી અમે પ્રભાવિત થઈશું. આ કોઈપણ પક્ષ માટે સારું નથી. આ પહેલા હરિયાણા સરકારના વકીલ શ્યામ દિવાને રાજ્ય સરકારનો જવાબ રજૂ કર્યો હતો. કોર્ટે દિવાનને પૂછ્યું કે તેણે જવાબ કેમ દાખલ કર્યો.
દીવાને જવાબ આપ્યો કે દિલ્હી સરકારની અરજીમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવી ન હોવાથી રજિસ્ટ્રીએ પહેલા જવાબ દાખલ કરવાની મંજૂરી આપી ન હતી. જેના પર કોર્ટે દિલ્હી સરકારના વકીલને ફટકાર લગાવી. ગત સુનાવણીમાં કોર્ટે હિમાચલને દિલ્હી માટે વધારાનું પાણી છોડવા કહ્યું હતું. જો કે અઅઙએ કહ્યું કે આ પાણી હરિયાણા દ્વારા બંધ કરવામાં આવ્યું છે. હકીકતમાં, દિલ્હી સરકારે 31 મેના રોજ હરિયાણા, હિમાચલ અને ઉત્તર પ્રદેશને એક મહિના માટે વધારાનું પાણી આપવાના નિર્દેશો માટે અરજી દાખલ કરી હતી. આના પર જસ્ટિસ પીકે મિશ્રા અને કેવી વિશ્વનાથનની વેકેશન બેંચે 6 જૂને કહ્યું હતું કે હિમાચલને વધારાનું પાણી આપવામાં કોઈ વાંધો નથી, તેથી તેણે 7 જૂનથી અપસ્ટ્રીમથી દિલ્હી તરફ 137 ક્યુસેક પાણી છોડવું જોઈએ.
- Advertisement -
કોર્ટે કહ્યું હતું કે જ્યારે હિમાચલ દ્વારા હથનીકુંડ બેરેજમાંથી આ 137 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, તો હરિયાણા સરકારે વજીરાબાદ સુધી પાણી પહોંચાડવામાં મદદ કરવી જોઈએ, જેથી દિલ્હીના લોકોને કોઈપણ અવરોધ વિના પાણી મળી શકે. બીજી તરફ સુનાવણી પહેલા અઅઙના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું છે કે હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. હરિયાણા સરકારે 137 ક્યુસેક પાણી જે હિમાચલથી આવવાનું હતું તેને મંજૂરી આપી નથી.