પ્રમુખપદે અમિત ભગત, ઉપપ્રમુખપદે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી માટે દિલીપભાઈ મેહતા, જોઈન્ટ સેક્રેટરી માટે ધર્મેશ સખીયા, ટ્રેઝરર માટે જીતેન્દ્ર પારેખ અને લાયબ્રેરી સેક્રેટરી માટે સુમિત વોરાના નામો જાહેર
‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે આવેલ સમરસ પેનલના જે હોદેદારોની યાદી જાહેર થયેલ છે. તેમાં પ્રમુખપદ માટે અમિત એસ. ભગત, ઉપપ્રમુખ માટે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી માટે દિલીપ એસ. મેહતા, જોઈન્ટ સેક્રેટરી માટે ધર્મેશ જી. સખીયા, ટ્રેઝરર માટે જીતેન્દ્ર એચ. પારેખ અને લાયબ્રેરી સેક્રેટરીના પદ માટે સુમિત ડી. વોરાના નામની યાદી જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બાર એસો.ની આગામી તા. 17 ડીસેમ્બરે ચૂંટણી યોજાયેલ છે, ત્યારે આજે તા. 4 ડીસેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થાય છે ત્યારે આજે સમરસ પેનલના હોદેદારોની યાદી જાહેર કરવામાં આવી છે.
‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે આવેલ સમરસ પેનલના જે હોદેદારોની યાદી જાહેર થયેલ છે. તેમાં પ્રમુખપદ માટે અમિત એસ. ભગત, ઉપપ્રમુખ માટે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી માટે દિલીપ એસ. મેહતા, જોઈન્ટ સેક્રેટરી માટે ધર્મેશ જી. સખીયા, ટ્રેઝરર માટે જીતેન્દ્ર એચ. પારેખ અને લાયબ્રેરી સેક્રેટરીના પદ માટે સુમિત ડી. વોરાના નામની યાદી જાહેર કરવામાં આવી છે.
આ 6 ઉમેદવારો આગામી 6 અને સોમવારના રોજ 12.39 કલાકના વિજય મુહુર્તે વાજતેગાજતે ઉમેદવારી નોંધાવશે તેમ પ્રેસ મુલાકત દરમ્યાન જણાવ્યુ હતું.
સમરસ પેનલના જે ઉમેદવારોની સુચિ જાહેર કરવામાં આવી છે. તેને ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપભાઈ પટેલ, શ્યામલ સોનપાલ, ભાજપ લીગલ સેલના હિતેષભાઈ દવે, ક્રિમીનલ બારના તુષાર વસલાણી વિગેરે એ ટેકો જાહેર કર્યો છે. દરમ્યાન કડકડતી ઠંડીમાં વકીલોની ચૂંટણીમાં આજથી ગરમાવોે આવ્યો છે.
રાજકોટના જાણીતા યુવા એડવોેકેટ અને ભાજપ લીગલ સેલના સંયોજક અંશભાઈ ભારદ્વાજની આગેવાની હેઠળ સમરસ પેનલના ઉમેદવારોએ આજે પ્રેસ મુલાકાત લીધી હતી. આ તબક્કે ભારદ્વાજ સાથે પેનલના ઉપરોકત હોદેદારો તેમજ સિનીયર એડવોકેટ જે.એફ. રાણા, રાહુલ પાટડીયા, નિલેશ પટેલ તેમજ રેવન્યુ બાર એસો.ના સી.એચ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના જે ઉમેદવારો જાહેર થયેલ છે તેઓનો ટૂંકો પરિચય નીચે મુજબ છે.
- Advertisement -
અમિત એસ. ભગત (પ્રમુખ પદના ઉમેદવાર)
અમિત એસ. ભગત છેલ્લા 28 વર્ષોથી વકીલાત કરે છે અને સીવીલ, બોર્ડ ઓફ નોમીની તથા ક્રિમીનલ તથા રેવન્યુ પ્રેકટીસ ધરાવે છે. વકીલાતની શરૂઆત રાજકોટના સિનીયર વકીલ શરદભાઈ તથા મધુસુદનભાઈ સોનપાલ સાથે કરેલ. રાજકોટ બારમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતા હોવાથી જેથી 6 વાર કારોબારી સભ્ય, બે વાર જોઈન્ટ સેક્રેટરી, બે વાર ટ્રેઝરર તરીકે સેવા આપેલ અને બે વાર હોદેદારમાં બિનહરીફ પણ ચૂંટાયેલ બારના સિનીયર તથા જૂનીયર ધારાશાસ્ત્રીઓમાં ખૂબ જ લોકચાહના તથા પ્રસિદ્ધિ તેમજ નિર્વીવાદ વ્યકિતત્વ ધરાવે છે અને તમામ સિનીયર તથા જુનીયર વકીલશ્રીઓનો ટેકો સાંપડી રહેલ છે અને સમરસ પેનલમાંથી પ્રમુખપદ પર ચૂંટી કાઢવા નમ્ર અપીલ કરેલ છે.
સિધ્ધરાજસિંહ કે. જાડેજા (ઉપપ્રમુખ પદના ઉમેદવાર)
રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટમાં વકીલાતનો વ્યવસાય સને 1997 ની સાલમાં શરૂ કરેલ અને સને ર001 ની સાલમાં પ્રતિષ્ઠિત રાજકોટ બાર એસોસીએશનમાં કારોબારી સભ્ય તરીકેનાની ઉંમરે જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલ. સને ર003 ની સાલમાં જુનીયર બાર એસોસીએશનમાં પ્રમુખ તરીકે સર્વ સંમતિ થી બિનહરીફ ચૂંટાયેલ હતા તેમજ સને ર008 ની સાલમાં ઇન્ડીયન એસોસીએશન ઓફ લોયરર્સના ડીસ્ટ્રીકટ ચેરમેન તરીકે નિમણુંક પામી વકીલોના પ્રશ્ર્ને સતત જાગૃત રહી અગ્રેસર રહેલ છે. તેમજ સને ર009 ની સાલમાં ક્રિમીનલ બાર એસોસીએશન રાજકોટનાં સેક્રેટરી તરીકે નિમણુંક થયેલ અને ફોજદારી પ્રેકટીશ કરતા વકીલોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ પ્રશ્નોને અગ્રતાક્રમ આપી સત્વરે નિર્ણય લઇ નિકાલ કરેલ હતો. તેમજ સને ર010 માં રાજકોટ બાર એસોસીએશનમાં ટ્રેઝરર (ખજાનચી) તરીકે બિનહરીફ ચૂંટાઇ આવી વકીલોના તમામ પ્રશ્ર્નોનો નિકાલ લાવેલ હતાં. તેમજ સને ર013 અને ર019 ની સાલમાં રાજકોટ બાર એસોસીએશનમાં ઉપપ્રમુખ પદે જંગી બહુમતીથી મતો મેળવીને ચૂંટાઇ આવેલ હતાં. તેઓએ વકીલોને ચૂંટી કાઢવા અપીલ કરી છે.
દિલીપ એમ.મહેતા (સેક્રેટરીના ઉમેદવાર)
દિલીપ.એમ.મહેતા -એડવોકેેટ રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2022ની અત્યંત રોચક ચુંટણીમાં સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધવવા જઇ રહ્યા છે. તેઓ વર્ષ 2002થી રાજકોટ ખાતે સિવિલ તથા રેવન્યુ પ્રેકટીસ કરી રહ્યા છે. અને તેઓની ગુજરા સરકાર (લીંગલ ડીપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તથા આસીસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લીડર તરીકે નિમણુક થયેલ છે. અને તેઓ પ્રમાણિકતાથી નિષ્ઠા અને ખંતપૂર્વક તેમની ફરજ બજાવી રહ્યા છે અને નોટરી બાર એસોસિએશનના સભ્ય છે. દિલીપભાઇ મેહતા રાજકોટ રેવન્યુ બાર એસોશીએશનના સ્થાપક ઉપપ્રમુખ છે. તેઓ લીગલ સેલ, રાજકોટ શહેરમાં કેમ્પસ કન્વિનર તરીકે સેવા આપી ચુકેલ છે. તે ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર છે અને પ્રાથમીક વર્ગ શીક્ષીત છે. તેઓ બ્રહ્મસમાજમાંથી આવતા અત્યંત શાંત, સૌમ્ય અને મળતાવળા સ્વભાવના હોય તેઓની ઉમેદવારી તમામ એડવોકેટોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. તેઓ રાજકોટ બાર એસોસીએશનની સમરસ પેનલમાં સેક્રેટરી પદ માટે ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા હોય તેથી તમામ સીનીયર તથા જુનીયર વકીલોમાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઇ રહ્યુ છે.
ધર્મેશ જી. સખીયા
(એડવોકેટ જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર)
ધર્મેશ જી. સખીયા એડવોકેટ રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં સમરસ પેનલમાંથી જોઇન્ટ સેક્રેટરીના પદ માટે ઉમેદવારી નોંધાવવાના છે. વર્ષ 2015-16માં કારોબારી સભ્ય તરીકે રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં વર્ષ 2015-16 માં કારોબારી સભ્ય તરીકે રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં જંગી બહુમતીથી ચુંટાઇ આવેલ અને તેઓની અમુલ્ય સેવા આપી ચુકેલ છે. તે સમયગાળા દરમ્યાન વકિલો માટેના બે -દિવસ પ્રવાસનું સુંદર આયોજન કરેલ તથા વકિલો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ સફળ આયોજન કરેલ. હાલમાં રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના સંપર્ક પ્રમુખ તરીકે પણ જવાબદારી નીભાવી રહ્યા છે. રાજકોટ ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનમાં સંગઠન કમીટીના સભ્ય તરીકે સેા આપી કોવિડ-19ના લોકડાઉનના સમયમાં વકિલોને ભારતમાં સૌપ્રથમ રાશન કિટ વિતરણ કરવામાં આવેલ તેમાં તેઓએ સહયોગ આપી કિટ વિતરણ વ્યવસ્થામાં અમુલ્ય યોગદાન આપેલ છે. ખોડલધામ લીગલ સેલની નોલેજ શેરીંગ સેન્ટરમાં શરૂઆતથી જ અવિરત પણે સક્રીય રીતે સેવા આપી રહેલ છે.

જીતેન્દ્ર એચ. પારેખ (ટ્રેઝરર પદના ઉમેદવાર)
આગામી રાજકોટ બાર એસોસિએશનની સને -2022ની ચુંટણી યોજાનાર છે. જેમાં સમરસ પેનલમાંથી શ્રી જીતેન્દ્ર એચ.પારેખ ટ્રેઝરર (ખજાનચી) પદ પર ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી રજુ રાખેલ છે. તેઓ સૌપ્રથમ પંકજભાઇ દેસાઇ સાથે ત્યારબાદ મિહીરભાઇ દવે સાથે ત્યારબાદ છેલ્લા અઢાર વર્ષથી આર.ડી.ઝાલા વકિલશ્રી સાથે રહી વકિલાતની ક્રિમિનલ, સિવીલ અને રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહેલ છે. તેઓ જુનિયર એડવોકેટ એસોસિએશન અને હાલ સૌરાષ્ટ્ર જુનિયર એડવોકેટ એસોસિએશનના કો-ફાઉન્ડર તરીકે રહેલા છે અને તેમાં છેલ્લા પંદર વર્ષથી સેવા આપી રહેલ છે.
સુમીતકુમાર ધીરજલાલ વોરા (લાઇબ્રેરી સેક્રેટરીના ઉમેદવાર)
સુમીતકુમાર ધીરજલાલ વોરા-એડવોકેટ રાજકોટ બાર એસોસીએશનની વર્ષ 2020ની ચુંટણમાં સમરસ પેનલમાંથી લાઇબ્રેરી સેક્રેટરી તરીકે ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા છે. તેઓ વકીલાતના વ્યવસાયમાં વર્ષ-2008થી ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના પૂર્વ સાસંદ સ્વ.અભયભાઇ ભારદ્વાજ અને જયદેવભાઇ શુકલની ઓફીસમાં જુનીયર તરીકે સિવિલ, ક્રિમીનલ તથા રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરે છે અને વર્ષ 2014-15 તથા વર્ષ 2016-17માં કારોબારી સભ્ય તરીકે જંગી બહુમતીથી વિજેતા થઇ રાજકોટ બાર એસોસીએશનમાં જવાબદારી સફળતાપુર્વક સંભાળી ચુકેલ છે. રાજકોટ બાર એસોસીએશન દ્વારા વકીલોના હીતમાં ચાલતા એડવોકેટ વેલ્ફર ફન્ડમાં કારોબારી સભ્ય તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે.
રાજકોટ બાર એસોસીએશનની સમરસ પેનલના તમામ ઉમેદવારોને તમામ સિનિયર તથા જુનીયર વકીલોમાંથી પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે.



