7.5 કરોડની સંપત્તિ ધરાવે છે આ મુંબઈનો ભિખારી. જાણો મહિને કેટલા હજારની કમાણી કરી લે છે.
આપણે આપણી રોજિંદી જીંદગીમાં દિવસમાં અનેક ભિખારીઓને ભીખ માંગતા જોઈએ છીએ. આપણે તે લોકોને ગરીબ અને નિરાધાર માનીએ છીએ પરંતુ જ્યારે તમે દુનિયાનાં સૌથી અમીર ભિખારી ભરત જૈન છત્રપતિની કહાની સાંભળશો તો તમારી આંખો પણ પહોળી રહી જશે.
- Advertisement -
મુંબઈમાં 1.5 કરોડનાં ફ્લેટનો માલિક
દુનિયાનો સૌથી અમીર ભિખારી ભારતીય છે. ભરત જૈન છત્રપતિ એક કરોડપતિ ભિખારી છે. તેની પાસે મુંબઈ અને પુણેમાં કરોડો રૂપિયાની સંપત્તિ આવેલી છે. ભરત પાસે મુંબઈનાં પરેલમાં 2 બેડરૂમવાળો 1.5 કરોડની કિંમતનો ફ્લેટ છે.
7.5 કરોડની સંપત્તિ
આ સિવાય થાણેમાં તેની પાસે 2 દુકાનો છે જેમની પાસેથી દર મહિને 30000નું ભાળું તે વસૂલે છે. આ દુકાનોની કિંમત પણ કરોડોમાં હોઈ શકે છે. તેમનો પરિવાર સ્ટેશનરી સ્ટોર ચલાવે છે. ટૂંકમાં ભરત જૈનની કુલ નેટવર્થ 7 કરોડ રૂપિયા છે. ભરત જૈન છત્રપતિ શિવાજી ટર્મિનસ અને આઝાદ મેદાનમાં ભીખ માંગે છે.
મહિનાની 75000 રૂપિયાની કમાણી
ભરત જૈન દરમહિને ભીખ માંગીને 75000 રૂપિયા કમાણી કરે છે. આ વર્ષે તેની આવક 9 લાખ રૂપિયાની છે. જો આપણે દરરોજની વાત કરીએ તો ભરત ભીખથી દિવસનાં 2500 રૂપિયા ભેગા કરી લે છે. આ ભિખારીનાં બાળકો કૉન્વેટ સ્કૂલમાં ભણે છે.