સગા ભાઈનો પણ ભરોસો કરવો નહીં
રંજનબેન શીલુના પતિએ તેના સગાભાઈ પાસેથી 20 લાખ રૂપિયા 3 ટકા લેખે વ્યાજે લીધા હતા
- Advertisement -
જેઠે ફરિયાદી પાસેથી કારખાનું લખાવી લીધુ, અને માત્ર 25 લાખ આપવાનું કહી બધુ ભૂલી જવાનું કહ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં લોકદરબાર યોજાયા બાદ એક પછી એક વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકો સામે આવી રહ્યા છે ત્યારે બી ડિવિઝન પોલીસમાં એક ફરિયાદીએ પોતાના જેઠ વિરુદ્ધ પઠાણી ઉઘરાણી તથા કારખાનું પચાવી લીધું હોવાની ફરિયાદ કરી છે.
આજના જમાનામાં સગા ભાઈનો પણ ભરોસો કરવો નહીં તે કહેવત અહીં સાચી ઠરી છે. સગાભાઈએ પોતાના ભાઈનું કારખાનું પચાવી લીધાની ઘટના સામે આવી છે. કાલાવાડ રોડ પર રહેતા રંજનબેન રમેશભાઈ શીલુએ અરજી કરી છે કે, તેમના પતિને વાવડી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં મીટર પ્રેશર ગેજનું કારખાનું ચલાવી રહ્યા છે. જેના માટે પોતાના સગા ભાઈ ભીખાભાઈ શિવરામભાઈ શીલુ પાસેથી 20 લાખ 3 ટકા લેખએ વ્યાજે લીધા હતા. જેનું વ્યાજ અમે નિયમીત રીતે 60 હજાર ત્રણ વર્ષ સુધી રેગ્યુલર ભરતા આવ્યા છે. લગભગ અત્યાર સુધીમાં 21 લાખથી વધુનું વ્યાજ ચુકવી દીધું છે. છતા પણ જેઠ ભીખાભાઈએ પતિની ગેરહાજરીમાં રંજનબેન પાસેથી કોરા કાગળ પર કારખાનું લખાવી લીધું જેમાં અંદાજે 74 લાખનો માલ છે. જેના 25 લાખ આપવાનું કહી ભીખાભાઈ કારખાનું પચાવી લીધું છે. રંજનબેન શીલુએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના એસીપીએ ન્યાય અપાવવાની બાહેંધરી આપી છે. જ્યારે આ સિવાય ભાણેજ પણ આ કારખાનું ચલાવતો હતો પરંતુ તે પણ દોઢ કરોડ જેટલી રોકડ રકમ લઈને છૂમંતર થઈ ગયો છે.
- Advertisement -
ભાણેજે પણ દગો દીધો !
રંજનબેન શીલુએ વધુમાં જણાવ્યું હતું કે, કારખાનામાં મહેશભાઈ વેગડા કે તેનો સગો ભાણેજ છે તેણે પણ દિલ્હીની પાર્ટી પાસેથી આવેલું પેમેન્ટ તેના પિતાના એકાઉન્ટમાં જમા કરાવી લગભગ દોઢ કરોડ જેટલી રકમ ચાઉં કરી લીધી છે. આમ રંજનબેન શીલુએ જેઠ ભીખાભાઈ શીલુ, હિતેષભાઈ શીલુ, નીતિનભાઈ વેગડા તથા તેના ભાણેજ મહેશભાઈ વેગડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.