ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ખાસ સધન સુધારણા કાર્યક્રમ 2025 અન્વયે વિવિધ મતદારોને ગણતરી ફોર્મ વિતરણ કરવાની તથા વિતરણ કરેલા ફોર્મ મતદારો પાસેથી પરત મેળવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત 86 જુનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભવનાથ ક્ષેત્રમાં વસવાટ કરતા સાધુસંતો, તેમજ દાતાર પર્વત અને ગિરનાર પર્વત પર રહેતા સાધુ સંતો અને પૂજારીઓએ પણ પોતાના ગણતરી ફોર્મ બુથ લેવલ ઓફિસરને જમા કરાવી આપેલ છે. જુનાગઢ જિલ્લાના અન્ય વિસ્તારના મતદાતાઓને પણ પોતાના ગણતરી ફોર્મ વહેલી તકે જમા કરાવવા અપીલ કરવામાં આવે છે.



