‘કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ, બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી’, વળતર પેટે વિધવાઓને મહિને 12000 આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
- Advertisement -
ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માગી છે. છેલ્લે કોર્ટના હુકમના અનાદર બદલ હાઇકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો સામે ક્ધટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી.
ઓરેવા કંપની તરફથી હાઇકોર્ટમાં કોર્ટની ક્ધટેમ્પ્ટ દાખલ કરવાની શો કોઝ નોટિસ અને કલેકટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેકટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતુ તે આપવા કંપની તૈયાર છે. જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને 12 હજાર રૂપિયા પ્રતિમાસ આપવા કલેકટરે સૂચવ્યું હતું, જ્યારે કંપની માત્ર મહિને 05 હજાર આપવા તૈયાર હતી. કંપનીએ કહ્યું કે તેણે કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. કલેકટરે સૂચવ્યા મુજબનું વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજિસ્ટર્ડ થયે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમાં કરાવવા તૈયાર છે.
કોર્ટે પૂછ્યું આ તો દર મહિને કરવાની થતી સહાય છે, કાયમી વળતર અંગે શું વિચાયું છે? કંપનીની ઈજછ જવાબદારીઓનું શું? કંપની આ દુર્ઘટનામાં દોષિત છે, જે દોષ ક્ષમા યોગ્ય નથી ત્યારે કંપનીએ પીડિતો માટે કંઇક વધારે કરવું પડે, આ સામાન્ય અકસ્માત કે એક્ટ ઓફ ગોડ નથી. કંપનીએ જ્યારે બ્રિજનો કોન્ટ્રાક્ટ લીધો ત્યારે તેણે શ્રેષ્ઠ કામ કરવાની જરૂર હતી તે તમારી જવાબદારી બને છે. કંપની તમામ જવાબદારીમાં નિષ્ફળ નીવડી છે. તમને બેનિફિટ ઓફ ડાઉટ મળી શકે તેમ નથી. તમે જાહેર મિલકત સાથે રમત રમી છે, પીડિતોને વધારે આપવાની તમારી જવાબદારી છે.
- Advertisement -
આ દુર્ઘટનામાં એક યુવતી મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેને મુંબઈમાં ફ્લેટ આપવાના કોર્ટના સૂચન વિશે કંપનીએ જણાવ્યું હતું કે કંપની ફ્લેટ કરતા થોડું ઓછું આપશે. જેથી કોર્ટે કહ્યું હતું કે કંપનીના હોદ્દેદારોએ ચેમ્બરમાં બેસીને વિચાર્યું છે કે પીડિતોનું શું થતું હશે? તે લોકો સમાજમાં કેવી રીતે સર્વાઈવ કરશે? જે પીડિતો પાસે પૈસા નથી તેનું શું? વ્યક્તિ જ્યારે પોતે આ ઘટનામાં દિવ્યાંગ બની હોય તે પરીવારનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે? આવા લોકો ઉપર આશ્રિત થયેલા લોકોના જીવન વિશે વિચાર્યું છે?
કોર્ટે કહ્યું હતું કે કંપનીએ આ CRSમાં પીડિતોને વળતર ચૂકવણી અંગે સહકાર આપવાની વાત કરી હતી. શું તમે મુંબઈમાં ખાનગી કંપનીમાં કામ કરતી અને આ દુર્ઘટનામાં 40 ટકા દિવ્યાંગ બનેલી 23-24 વર્ષની યુવતી વિશે વિચાર્યું છે? તેનું આ સમાજમાં શું થશે? તેને હવે જીવનમાં સપોર્ટ મળશે કે કેમ? ભારતમાં દિવ્યાંગ સાથે લગ્ન એક ટેબૂ છે. આપણે દિવ્યાંગ વ્યક્તિઓને નોર્મલ ગણતા નથી. નોર્મલ વ્યક્તિ પોતાને દિવ્યાંગ કરતા ચઢિયાતો ગણે છે.દિવ્યાંગોને દયા દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેમને બહાર નીકળવાની જગ્યાએ ઘરે જ રહેવું જોઈએ તેવું લોકો વિચારે છે. કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે.દિવ્યાંગોને દયા દ્રષ્ટિથી જોવામાં આવે છે. તેમને બહાર નીકળવાની જગ્યાએ ઘરે જ રહેવું જોઈએ તેવું લોકો વિચારે છે. કોર્ટ આ યુવતીને જીવનમાં કોઈની જરૂર ના રહે તેવી વ્યવસ્થા કરવા વિચારે છે.