સરકારના આ નિર્ણય અંગે ‘ખાસ-ખબર’ની વિવિધ ક્ષેત્રની મહિલાઓ સાથે ચર્ચા
– મીરા ભટ્ટ
માત્ર દીકરી જ નહીં આવનારી પેઢી માટે પણ આ નિર્ણય ખુબ જ ફાયદાકારક સાબિત થશે : દીકરીઓને લગ્ન બાદ પડતી મુશ્કેલીઓ મહદઅંશે દૂર થશે
- Advertisement -
કેબિનેટે મહિલાઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પી.એમ. મોદી આ સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન જાહેરાતના એક વર્ષ બાદ કેન્દ્રિય મંત્રીમંડળે મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી છે ત્યારે હવે યુવતીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી યુવતીઓને ઘણી બાબતોથી પડતી મુશ્કેલીઓ દૂર કરશે. આ નિર્ણય માત્ર યુવતીઓ માટે નહીં પરંતુ આવનારી પેઢી માટે પણ ફાયદારૂપ સાબિત થશે.
નાની કુમળી વયમાં કરવામાં આવેલા લગ્ન આગળ જતાં ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. જેમ કે નાની વયની ઉંમરે લગ્ન થતાં બાળકીની માનસિકતા, વિચારસરણી, નિર્ણય શક્તિ હોતી નથી જેમ પરિવારના સભ્યો કહે તે યુવક સાથે લગ્ન કરી લેતી હોય છે. ભણવાની ઉંમરે લગ્નની મોહજાળમાં ફસાય જાય છે અને ત્યાંથી જ તેની સ્વતંત્રતા સહિત ઈચ્છાઓ મરી પરવારે છે. પરિવાર માટે જીવવું, તેનું કામકાજ ગણું બધું…. સ્ત્રી સાક્ષાત દેવીનું રૂપ છે. તેનામાં ઘણી શક્તિઓ, સહનશક્તિઓ પડેલી છે. સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે તેથી જ તે દરેક પરિસ્થિતિને કંટ્રોલ કરવાની તાકાત ધરાવે છે. પરંતુ આ સાથે સ્ત્રીઓની અણસમજની ઉંમરે કરાતા લગ્ન લાંબા સમય બાદ છૂટાછેડાનું પણ એક કારણ અચુકપણે બનતું હોય છે. કહેવાય છે ‘સોળે શાન વીસે વાન’ સોળ વર્ષની હોય ત્યારે જ્ઞાન આવે એ વાત તદ્દન ખોટી અત્યારના યુગમાં સાબિત થઈ છે. ઘણાં નિર્ણયો ખોટા લઈ લેતી હોય છે દીકરીઓ ત્યારે હવે 21 વર્ષની ઉંમરે થતાં લગ્ન દીકરીઓ માટે ઘણા ઘણા અંશે બહુ ફાયદાકારક સાબિત થશે. ખોટા લોકો તેને ભોળવી નહીં શકે, તે પોતાના નિર્ણય લઈ શકશે. શિક્ષણ મેળવી શકશે, સાચી સમજણ શક્તિ આવ્યા બાદ આ સાથે ખાસ મહત્ત્વની બાબત કે સ્વાસ્થ્ય સારૂં રહેશે. નાની ઉંમરે બનેલી ગર્ભવતી સ્ત્રીને આગળ જતાં કેન્સરનો ભોગ બનવું પડે છે. નાની ઉંમરે દીકરી છોકરાની ખોટી મોટી-મોટી વાતોમાં આવી જઈ ભાગી જતી હોય છે અને 19 વર્ષે લગ્ન કરી લે છે ત્યારે કે જ્યારે તેનામાં સાચી સમજણ હોતી નથી ત્યારે ઉતાવળે, વિના વિચાર્યે લીધેલા નિર્ણય યુવતી માટે, તેના પરિવારજનો માટે મુશ્કેલીઓ ઉભી કરે છે ત્યારે આ નિર્ણય કેટલો સરાહનીય છે તે અંગે અનેક ક્ષેત્રની મહિલાઓએ ‘ખાસ-ખબર’ સાથે વાત કરી હતી અને આ અંગે થતાં ફાયદાઓ જણાવ્યા હતા.
સરકારનો નિર્ણય આવનારી પેઢી માટે ફાયદારૂપ
- Advertisement -
રાજકોટમાં પ્રખ્યાત એવા ગાયનેકોલોજિસ્ટ ડૉ. દર્શના પંડ્યાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 18 વર્ષે દીકરીના હોર્મોન્સ ગર્ભ ધારણ કરવા માટે અને નવ મહિના ગર્ભ રાખવા માટે સક્ષમ હોતા નથી. આ ઉપરાંત દીકરીને શિક્ષણ મેળવવાનું પણ બાકી હોય છે. કરિયર બાકી હોય, આમ જો 21 વર્ષે અથવા તે પછી લગ્ન થાય તો તેનું શિક્ષણ પૂરૂં કરી શકે, તેના ભવિષ્ય વિશે સાચા નિર્ણયો લઈ શકે. આમ આ પણ ફાયદો છે. સ્ત્રી 21 વર્ષ પછી ગર્ભ ધારણ કરવામાં આવે તો શારીરિક સક્ષમ થાય, બાળક સાચવવામાં પણ સક્ષમ રહે અને બાળક પણ કુપોષણ ન જન્મે આમ આ નિર્ણયથી બાળક અને માતા બંનેને ફાયદો થશે. આમ મેડિકલી રીતે ઘણા ફાયદાઓ થતાં હોય છે તેવું અંતમાં ડૉ. દર્શના પંડ્યાએ જણાવ્યું હતું. – ડૉ. દર્શના પંડ્યા (ગાયનેકોલોજિસ્ટ )

નાની વયની ઉંમરે કરેલા લગ્ન વધુ ટકતા નથી
દીકરીના લગ્નના કરવામાં આવેલા 21 વર્ષના સરકારના આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે 12થી 18 વર્ષની ઉંમર તરૂણાવસ્થા નજીક હોય છે પરંતુ આ વર્ષની ઉંમરે લગ્ન કરવા યોગ્ય નથી. આ ઉંમરમાં કરેલા લગ્નો લાંબા ટકતા નથી. 18 વર્ષે કરેલા લગ્ન 28 વર્ષની ઉંમરે અચુક તૂટે છે એવા પણ દાખલા છે. 18 વર્ષમાં જો 1 દિવસની પણ વાર હોય તો અણસમજમાં દીકરી ભાગી જતી હોય છે અને 1 દિવસ પૂરો થતાં રજિસ્ટર્ડ મેરેજ કરી લે છે. આવા પણ બનાવ બન્યા છે. સરકારના આ નિર્ણયથી છૂટાછેડાના કેસો ઘટશે. આમ દીકરો હોય કે દીકરી હોય બંનેની ઉંમર 21 વર્ષની હોય ત્યારે કરેલા નિર્ણયો સાચા હોય છે. આમ સરકારના આ નિર્ણયથી અનેક છૂટાછેડાના કેસો ઘટશે અને દીકરી યોગ્ય પૂરૂં શિક્ષણ મેળવતી થશે. – ડૉ. ભાવના કમલેશ જોષીપુરા (રાજકોટ પ્રથમ મહિલા મેયર અને સિનિયર ધારાશાસ્ત્રી)

18થી 20 વર્ષ દરમિયાન માતા બનેલી યુવતીને ગર્ભાશયનું કેન્સરની શક્યતા વધુ
18 વર્ષે કરેલા લગ્નથી સ્ત્રીના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. બાળક કુપોષિત જન્મે છે. 18 વર્ષની વયે ગર્ભાશયનું મુખ મેચ્યોર ન થયું હોય ગર્ભાશયના કોષો બહારની અને અંદરની દિવાલને અલગ સેપરેટ કરે એ વખતે સેક્સ કરવામાં આવે અને પુરુષોના શુક્રાણુઓ અંદર જાય ત્યારે એની સાથે એચ.સી.વી. વાયરસ શરીરમાં જવાથી એનાથી ગર્ભાશયનું કેન્સર થાય છે ત્યારે 18થી 20 વર્ષની ઉંમર વચ્ચે સેક્સ કરવાથી ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા વધે છે. આમ 21 વર્ષ લગ્ન માટે અને ગર્ભવતી બનવા માટે યોગ્ય છે તેમજ 18 વર્ષથી 20 વર્ષ વચ્ચે માતા બને તો તે બાળક સંભાળવા માટે સક્ષમ પણ હોતી નથી. – ડૉ. દિપા મણીયાર (નિષ્ણાત ગાયનેક)



