એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિ.મી.ની દૂર્ગમ મુસાફરી કરી પહોંચે છે
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ, તા.27
- Advertisement -
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલા નેસ અને દેશમાં દેશના એક માત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના ‘ઊદયિુ ટજ્ઞયિં ઈજ્ઞીક્ષતિં’ ના સંકલ્પને સાર્થક કરવાના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ… ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ થી 80 કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાળાથી 25 કિલોમીટર દૂર અને દૂર્ગમ અને અડાબેટ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેને સંલગ્ન વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ આજે સવારે મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉબડ-ખાબડ રસ્તાઓ વળોટીને ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલા વનવિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે 1 પ્રિસાઈડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળા, 2 પોલીસ તેમજ 1 સી.આર.પી.એફ. અને અન્ય સહાયક સ્ટાફ મળી 15થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે.
- Advertisement -
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતાં જણાવ્યું હતું કે, ‘લોકશાહીમાં એક-એક મત કિંમતી છે. દૂર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર, મતદાન કરવાના મૂળભૂત અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર ભગીરથ પ્રયત્નો કરે છે. દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે. જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે. જંગલ વિસ્તારના આવા દૂર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણીતંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ.’