રાજકોટ મનપાના ફૂડ ખાદ્યચીજોનું વેચાણ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
કરતાં કુલ 21 ધંધાર્થિઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર સંવાદદાતા
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના પેડક રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાતં વિવિધ દુકાન ધારકોને ત્યાંથી લુઝ ચાની ભૂકીની પણ ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગના ચેકિંગમાં ભીલવાસ ચોક સ્થિત ‘ભારત બેકરી પ્રા.લી’ પરથી ખાદ્ય ચીજ ‘સ્પે.એલચી રસ’ના નમૂનામાં સેકરીન તથા સીન્થેટિક ફૂડ કલર ટાર્ટ્રાઝીન અને સનસેટ યેલો ઋઈઋની હાજરી જોવા મળી હતી જેને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. જે અંગે દુકાન ધારક હિતેશભાઈ દયાળજીભાઈ બુદ્ધદેવ સામે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે પેડક રોડ પર સ્થિત અક્ષર ગાંઠિયા, શક્તિ કોઠી આઇસ્ક્રીમ, જય સોમનાથ પૂરી શાક, ચિલ્ડ હાઉસ, કનૈયા દાળપકવાન, વિસોતમા સોડા, સાહેબ ખમણ, જે ભગવાન ભૂંગળા બટેટા વાળાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે મધુર બેકરી, મહાદેવ દાળપકવાન, યુવરાજ દાળપકવાન, જય ગણેશ મદ્રાસ કાફે, પ્રિન્સ બદામ શેક, જય મુરલીધર ઘૂઘરા, પટેલ ખમણ, અવધ ડેરી ફાર્મ, રાજ બેકરી, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, સ્વાદિષ્ટ દાળપકવાન, પટેલ વિજય ડેરી ફાર્મ અને જલારામ સ્વીટસ સહિતની દુકાનોમાં ખાદ્યચીજની ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ગંદકી કરવા બદલ ક્રિષ્ના પાન એન્ડ ટી સ્ટોલને તાળા લાગ્યા
રાજકોટ શહેરમાં ઢેબર રોડ પર આવેલ ક્રિષ્ના પાન એન્ડ ટી સ્ટોલ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસન્સ ફેલાવતાં હોવાથી જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય આ બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવારનવાર સૂચના આપવામાં આવી હતી તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવાતા તા. 14ના રોજ સ્થળ તપાસ કરતાં શોપની આસપાસ ખૂબ જ ગંદકી તેમજ કચરો જોવા મળ્યો હતો જેથી ક્રિષ્ના પાન એન્ડ ટી સ્ટોલ સંચાલકોને નોટીસ આપીને ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 376-એ હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.