વહેલી તકે કામગીરી કરવા માંગ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં મચ્છુ 3 સિંચાઈ યોજનાનો ડેમ બનાવવા માટેનું ખાતમુહૂર્ત જે તે વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા બાદ એક મહિના જેવા સમયમાં જ કરવામાં આવ્યું હતું. હાલ આ ડેમ બન્યાને 30 વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છે. આ યોજનાની કેનાલનું ખાતમુહૂર્ત પણ 2016 માં થયું હતું જેને પણ સાત વર્ષ જેવો સમય થઈ જવા પામેલ છે. આમ છતાં આજ દિવસ સુધી આ વિસ્તારના ખેડૂતોને એક ટીપું પણ પાણી
મળેલ નથી.
- Advertisement -
આ યોજનાની કેનાલના કામમાં પણ ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો થયેલ છે.આ વિસ્તારના ખેડૂતોના કહેવા મુજબ કે અમોની એક પેઢી તો આ પાણીની રાહ જોવામાં જ પૂરી થઈ ગઈ હવે પાણી ક્યારે આવશે, અને આવશે ત્યારે પણ અમારા ખેતરે અમો કેવી રીતે પહોંચાડી શકીશું કારણકે આ પાણી ઉપાડવા માટેના જે કુવાઓ કેનાલમાં મુકવામાં આવેલ છે તે જરૂર કરતા ખુબ જ ઓછા છે તેમજ ખેડૂતોએ પોતાના ખેતર સુધી પાણી લઈ જવા માટે વચ્ચે આવતા ક્યાં ખેતરમાંથી પાણી લઈ જવું તેની પણ કોઈ વ્યવસ્થા કે જોગવાઈઓ ત્યારે કરવામાં આવેલ નથી તેમજ કેનાલો પણ તુટવા લાગી છે ત્યારે જો સરકાર દ્વારા આ બાબતે સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એઓસિએશનના જનરલ સેક્રેટરી અને કોંગ્રેસ આગેવાન કે ડી બાવરવાએ ઉચ્ચારી છે.