કડવા પાટીદાર પરિવારોએ દુધપૌવાની રંગત સાથે શરદોત્સવ મનાવ્યો
શુભમંગલ પાર્ટીપ્લોટમાં 30,000 પાટીદારો મા ઉમિયાની મહાઆરતીમાં જોડાયા
વિધાર્થી શિક્ષણ સહાયની આર્થિક મર્યાદા વધારી ઉમા ડાયગ્નોસ્ટિક સેન્ટરનો લાભ લેવા સંસ્થાની હાંકલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા ગઇકાલે શરદપુનમની રઢીયાળી રાતે કલાકાર કમલેશ પ્રજાપતિ અલ્પાબેન પટેલે શુભમંગલ પાર્ટી પ્લોટમાં હજારો પાટીદારોએ પરિવાર સાથે સાંસ્કૃતીક કાર્યક્રમ સાથે દુધપીવાની રંગત માણી હતી. આ કાર્યક્રમમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. રાજકોટના ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શુભમંગલ પાર્ટી પ્લોટ ખાતે ગઈ કાલે તા. 17 ઓકટો.ના રાત્રીના સાડા આઠ કલાકે રાજકોટની ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ દ્રારા યોજાયેલ શરદોત્સવમાં રાજકોટના 30,000 થી વધુ કડવા પાટીદારો એકસાથે બેસીને દુધપીવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવા શરદોત્સવના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના અરવિંદભાઈ પટેલે સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી.
- Advertisement -
ઉમિયા પરિવારના તંત્રી જયેશભાઈ વછાણીએ પાટીદાર સમાજના નાના લોકો માટે મોટું કામ કરતી આ સંસ્થાની પ્રવૃતીને બિરદાવતા જણાવ્યુ હતુ કે સંસ્થાઓ પાસે દાતાઓ, પ્રવૃતિને વેગવંતી બનાવનાર વિઝનરી ટીમ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોનો ત્રીવેણી સંગમ હોય પરિણામે સંસ્થાના દરેક કાર્યોમાં સેવાની સુવાસ જોવા મળે છે. આ કાર્યક્રમમાં હાઈ બોન્ડના મનસુખભાઈ પાણ, રેપ્યુટ પોલીમર્સના કે.બી.વાછાણી, ઉમિયા ચા ના દિનેશભાઈ સાણંદિયા, દાવત બેવરેજીસના ચંદુભાઈ ખાનપરા, જગદીશભાઈ કોટડીયા, ધીરૂભાઈ ડઢાણીયા, રાજુભાઈ કોરડીયા, સંજયભાઈ પાણ, ડો. ચંદ્રકાન્ત રબારા, વિપુલભાઈ માકડીયા, ગૌતમભાઈ ધમસાણીયા, કિશોરભાઈ ખાંટ, અશોકભાઈ વૈશ્નાણી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શુભ મંગલ પાટી પ્લોટમાં યોજાયેલા આ શરદોત્સવમાં ઉપસ્થિત પાટીદારોએ મોબાઈલ ફલેશ લાઈટના સથવારે મા ઉમિયાની મહાઆરતી કરી હતી. આ શરદોત્સવમાં યોજાયેલ રકતદાન કેમ્પમાં 351 બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું.
ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ શરદોત્સવમાં પ્રાસંગીક ઉદ્બોધનમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ દલસાણીયાએ દાતાઓને છુટા હાથે દાન કરવા અપીલ કરતા જણાવ્યુ હતુ કે દાતાઓએ સંસ્થાને આપેલો 1 રૂપીયો જરૂરીયાતમંદ પાસે સવા રૂપીયો થઈને જશે તેવી ખાતરી આપી હતી. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના ઉપપ્રમુખ હરીભાઈ કલોલાએ મેડિકલ તથા શૈક્ષણીક ક્ષેત્રે સંસ્થાએ કરેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી ગોરધનભાઈ કણસાગરાએ સંસ્થાની વિવિધ પ્રવૃતી વિશે વાત કરી હતી. આભારવિધી ટ્રસ્ટી મહેશભાઈ ભુવાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન જે.એમ. પનારા, સી.એન.જાવીયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું યુ ટયુબ તથા ફેસબુકમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ શરદોત્સવના કાર્યક્રમમાં કમલેશભાઈ પ્રજાપતિએ હાસ્યની રમઝટ બોલાવી હતી. જયારે કલાકાર અલ્પાબેન પટેલે મા ઉમિયાની મહાઆરતી સાથે શરદોત્સવના કાયક્રમનો પ્રારંભ કર્યો હતો. ગીત-ભજનની સુરાવલી વચ્ચે કલાકારોએ મા ઉમિયા ભકિત સભર સાંસ્કૃતિક ગીતો દ્વારા દર્શકોને મોહીત કરી દીધા હતા. શરદપુનમની રઢીયાણી રાતે પાટીદાર સમાજના દરેક વ્યકતી પરિવાર સાથે બેસી દુધ પીવાની રંગત માણી શકે અને અંદાજે 30000 થી વધુ જનમેદનીને ગણતરીની મીનીટોમાં દુધ પીવાની પ્રસાદી સ્થળ પર જ મળી રહે તેવી અદભુત વ્યસ્વસ્થા સંસ્થાના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ પ્રમુખ અશોકભાઈ દલસાણિયા, ઉપપ્રમુખ હરીભાઈ કલોલા, મંત્રી સુરેશભાઈ વડાલીયા, ખજાનચી ગોરધનભાઈ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઈ ભુવા, પ્રવિણભાઈ જીવાણી, ચંદુભાઈ કાલાવડીયા, મનસુખભાઈ ભાલોડિયા, અરવિંદભાઈ જીવાણી, કારોબારી સભ્યો પો. જે.એમ. પનારા, જેન્તીભાઈ મારડીયા, હિતેશ શોભાણા, ચિરાગ દેસાઈ, પોપટભાઈ ભાલોડી, વિપુલ વડાલીયા, અલ્પેશ વડાલીયા, દિપક કાલરીયા, જીગ્નેશ વિરોજા, જીતેન્દ્રભાઈ ડઢાણીયા, જેન્તીભાઈ ગોઠી, સંજય કટારીયા, પારસ માકડીયા, નીતીન કાનાણી, જીતેન્દ્ર લાડાણી, અર્જુન બરોચીયા સાવન અધેરા તથા ઓફિસ મેનેજર જેન્તીભાઈ આલોદ્રા જહેમત ઉઠાવી હતી.