By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓબામાને થોડા જ સમયમાં નોબેલ આપી દીધો !અને મને…….. ટ્રમ્પ
    2 hours ago
    જર્મનીએ EU મિશન દરમિયાન ચીને તેના જેટ પર લેસર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો
    3 hours ago
    નેપાળ અને ચીનને જોડતો મુખ્ય પુલ થયો ધરાશાયી, ઓછામાં ઓછા 20 લોકો ગુમ
    3 hours ago
    ફ્રાન્સમાં ભયાનક દાવાનળ : માર્સેલી નજીક ભીષણ આગ, એરપોર્ટ બંધ
    3 hours ago
    ટ્રમ્પે ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી: બાંગ્લાદેશ-જાપાન સહિત 14 દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત
    15 minutes ago
    પક્ષી અથડાયા બાદ દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ
    36 minutes ago
    એશિયાના સૌથી જૂના હાથી વત્સલાનું મધ્યપ્રદેશમાં 100 વર્ષથી વધુ ઉંમરમાં મૃત્યુ
    2 hours ago
    કેન્દ્ર સરકારે રોઇટર્સ સહિત 2,355 એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો
    3 hours ago
    જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    1 day ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    4 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    4 days ago
    શું ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક માટે રોકડ પુરસ્કાર વાજબી છે?
    4 days ago
    પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    1 hour ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    1 day ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    4 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    6 days ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    1 day ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    1 day ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    5 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    21 hours ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે શિક્ષકદિન:જાણો શું કામ ઉજવાય છે.?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આજે શિક્ષકદિન:જાણો શું કામ ઉજવાય છે.?
ગુજરાત

આજે શિક્ષકદિન:જાણો શું કામ ઉજવાય છે.?

khaskhabarrajkot
Last updated: 2020/09/05 at 3:05 PM
khaskhabarrajkot 5 years ago
Share
6 Min Read
SHARE

સચિન જે. પીઠડીયા -માંગરોળ
(એમએ, એમફીલ, નેટ, જીસેટ-સમાજશાસ્ત્ર)

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનએ એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક્ છું અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.

તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને “શિક્ષકદિન” તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું .

- Advertisement -

રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો. ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.

જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં ફિલોસોફર પ્રેસિડેન્ટ તરીકે જાણીતા છે. વર્ષો પહેલાં ફિલોસોફર પ્લેટોએ લખેલું કે આદર્શ રાજ્ય એ કહેવાય જ્યાં રાજા દાર્શનિક હોય. ડો. રાધાક્રિષ્નન રાષ્ટ્રપતિ બન્યા એટલે એ વાત થોડી-ઘણી સાચી સાબિત થઈ. રાધાક્રિષ્નનનો જન્મ ૧૮૮૮માં આંધ્ર પ્રદેશના ધાર્મિક શહેર તિરૂતનીમાં થયેલો. તેમના પિતા સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા ગરીબ બ્રાહ્મણ હતાં. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

- Advertisement -

તેમની પ્રગતિ બહુ સીધી લીટીમાં હતી. દેશમાં ઉપકુલપતિ સુધી પહોંચ્યા પછી તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા. ૧૯૪૯માં કૃષ્ણન રશિયામાં ભારતના રાજદૂત બન્યા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પણ રાધાકૃષ્ણનને બે વખત મળ્યો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં કૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક રાજાએ ધરાર સત્તા હાંસલ કરી એ પછી તેને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન-કૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને આશ્ચર્ય થયેલું. ૧૯૫૨માં દેશને સક્ષમ ઉપરાષ્ટ્રપતિની જરૂર પડતાં રાધાકૃષ્નને ભારત બોલાવી લેવાયા. અહીંથી જ તેઓ ભારતના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. ૧૯૫૪માં તેમને ભારત રત્ન આપી દેવાયો હતો. ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો. અગાઉ નોંધ્યું તેમ તેમની વિશ્વભરમાં ખ્યાતિ હતી. પરિણામે અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા. અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તબિયતની પણ ગંભીર સમસ્યાઓ હતી. એ સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી.

સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 વિચાર

1 ભગવાનની પૂજા નથી થતી, પરંતુ એ લોકોની પૂજા થાય છે જે એમના નામ પર બોલવાનો દાવો કરે છે. 

2 શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને જબરદસ્તી નાંખે. પરંતુ વાસ્તવિક શિક્ષક તો એ છે કે જે એ આવનારા પડકારો માટે તૈયાર કરે.

3 શિક્ષા દ્વારા જ માનવ મસ્તિષ્કનો સદુપયોગ કરી શકાય છે. તેથી વિશ્વને એક માની શિક્ષાનું આયોજન કરવું જોઇએ.

4 પુસ્તક વાંચવાથી આપણાને વિચાર કરવાની ટેવ અને સાચી ખુશી મળે છે. 

5 કોઇપણ આઝાદી ત્યાં સુધી સાચી નથી હોતી, જ્યાં સુધી તેને પામનાર લોકોને વિચારો વ્યક્ત કરવાની આઝાદી ન આપવામાં આવે. 

6 પુસ્તકો એ માધ્યમ છે, જેના દ્વારા વિભિન્ન સંસ્કૃતિઓની વચ્ચે પુલનું નિર્માણ કરવામાં આવી શકે છે.

7 શિક્ષાનું પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવુ જોઇએ, જે ઐતિહાસિક પરિસ્થિઓ અને પ્રાકૃત્તિક આપદાઓ વિરુદ્ધ લડી શકે. 

8 જ્ઞાનના માધ્યમથી અમને શક્તિ મળે છે. પ્રેમ દ્વારા અમને પરિપૂર્ણતા મળે છે. 

9 આપણે ટેક્નિકલ જ્ઞાન સિવાય આત્માની મહાનતાને પ્રાપ્ત કરવી પણ જરૂરી છે.

10 શાંતિ રાજનૈતિક અથવા આર્થિક બદલાવથી નથી આવી શકતી પરંતુ માનવીય સ્વભાવમાં બદલાવથી આવી શકે છે.

You Might Also Like

મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા પુલ દુર્ઘટના પર નિવેદન આપ્યું

ગંભીરા પુલ તૂટી પડતાં 9 લોકોના મોત, ઓછામાં ઓછા 6 ઘાયલ; આણંદ-વડોદરા વચ્ચેનો સંપર્ક ખોરવાયો

રાજકોટની ‘રિસેટ વેલ’ કંપનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

નુરાનીપરાની બેલડીએ ખડકેલા ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેતી પોલીસ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સાત આરોપીએ કરેલી ડિસ્ચાર્જ અરજી રદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડેનિયલ ક્રેગ ‘નો ટાઇમ ટુ ડાઇ’ સાથે જેમ્સ બોન્ડ સિરીઝને અલવિદા કહેશે – જૂઓ વીડિયો
Next Article કેશાેદના અક્ષયગઢ ખાતે આઝાદીના લડવૈયા અને સોરઠ ક્ષય નિવારણ સમિતિના સ્થાપક રતુભાઇ અદાણીનો 23મી પુણ્યતીથીની ઉજવણી કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
પક્ષી અથડાયા બાદ દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ
જો આવા લક્ષણો દેખાય તો, સમજી જવું કે લિવર ખરાબ હોઈ શકે
કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
એશિયાના સૌથી જૂના હાથી વત્સલાનું મધ્યપ્રદેશમાં 100 વર્ષથી વધુ ઉંમરમાં મૃત્યુ
મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા પુલ દુર્ઘટના પર નિવેદન આપ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતવડોદરા

મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા પુલ દુર્ઘટના પર નિવેદન આપ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વડોદરા

ગંભીરા પુલ તૂટી પડતાં 9 લોકોના મોત, ઓછામાં ઓછા 6 ઘાયલ; આણંદ-વડોદરા વચ્ચેનો સંપર્ક ખોરવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટની ‘રિસેટ વેલ’ કંપનીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?