ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આવેલ એસ.ટી.બસ સ્ટેશન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી,વિશ્વ પર્યાવરણ દિવસે વિરપુર એસટી બસસ્ટેન્ડમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા કુલદિપસિંહ.કે.જાડેજાએ વિરપુર આવતા યાત્રાળુંઓ અને એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને પર્યાવરણની જાળવણી તેમજ મનુષ્યના જીવનમાં પર્યાવરણનું કેટલું મહત્વ હોય છે તે માટે માહિગાર કર્યા હતા.
- Advertisement -
વીરપુર એસટી બસ સ્ટેન્ડને કાયમી હરિયાળું બનાવવા ટીસી.કુલદિપસિંહ જાડેજા તેમ વીરપુર 108 એમ્બયુલન્સની ટીમના કર્મચારીઓ તેમજ મુસાફર દ્વારા પર્યાવરણ તેમજ વૃક્ષઓનું સંરક્ષણ, સંવર્ધન, અને વિકાસનો સંકલ્પ લઈ બસ સ્ટેન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.