ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા ગીર ખાતે આવેલ સમસ્ત પ્રજાપતિ સમાજની આસ્થા અને એકતાની કેન્દ્ર એવા શ્રી શ્રીબાઈ માતાજી નું નવનિર્મિત મંદિર 10 કરોડના ખર્ચે ભરતપુર રાજસ્થાની પત્થર થી બનેલ છે. શ્રીબાઈ માતાજી એ હિરણ્યકશ્યપના કાળમા સનાતન ધર્મની જ્યોત ચાલુ રાખી હતી. શ્રી બાઈ ધામ ખાતે વર્ષો થી ભજન સાથે ભોજન માટે અખંડ નિશુલ્ક અન્નક્ષેત્ર પણ કાર્યરત છે. સાથે સાથે આખોના નિદાન માટે સર્વજ્ઞાતિ નિશુલ્ક નિદાન કેમ્પ દર મહિનાના બીજા બુધવારે કરવામાં આવે છે. ગૌશાળા, દીકરા દીકરીઓ ના સમૂહ લગ્નોત્સવ સાથે અનેક સેવાકીય કાર્યો શ્રી બાઈ ધામ સંસ્થા દ્વારા સંચાલિત છે. આ નવ નિર્મિત મંદિરનું પુન: પ્રાણ પ્રતિષ્ઠા આગામી 20,21,22 ફેબ્રુઆરીના યોજાનાર છે. જેમાં ધર્મ સ્થાનેથી સતાધાર થી મહંત શ્રી વિજય બાપુ, પીપળી ધામથી મહંત શ્રીવાસુદેવ મહારાજ, આપગીગાનો ઓટલા ચોટીલા નરેન્દ્ર બાપુ સાથે સાથે મુખ્યમંત્રીભૂેપેન્દ્રભાઇ પટેલ, સી આર પટેલ જી, મુળુભાઇ બેરા , ભરત બોઘરા, દલસુખભાઈ પ્રજાપતિ વડોદરા સહિત ના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ત્રી દિવસીય કાર્યક્રમમા લોલ ડાયરો, શોભા યાત્રા , કાન ગોપી , યુવા સંમેલન, મહિલા સંમેલન સાથે અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શ્રી શ્રીબાઈ માતાજીનું ભવ્ય મંદીર નવ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેના અનુસંધાને હાર્દિક શુભકામનાઓ પાઠવતો શુભેચ્છા સંદેશ પત્ર પણ મોકલ્યો છે.
તાલાલા ગીર શ્રીબાઈ માતાજી નવ નિર્મિત મંદીરે પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.21થી 23 ફેબ્રુ. યોજાશે
