જગપ્રસિદ્ધ મુઘલ સ્થાપત્ય તાજમહાલ આજથી ફરી દેશીવિદેશી પર્યટકો માટે ખુલ્લો મૂકાયો હતો. કોરોનાના પગલે છેલ્લા 188 દિવસથી તાજમહાલ લૉકડાઉન હેઠળ હતો. આજથી એને ફરી ખુલ્લો મૂકાયો હતો. એની સાથોસાથ આગ્રાના કિલ્લાને પણ આજે ખુલ્લો મૂકાયો હતો.
ફક્ત પાંચ હજાર પર્યટકોને તાજમહાલ સુધી જવાની પરવાનગી મળશે
- Advertisement -
આગ્રાના જિલ્લા મેજિસ્ટ્રેટ પી એન સિંઘના કહેવા મુજબ શરૂઆતમાં રોજ ફક્ત પાંચ હજાર પર્યટકોને તાજમહાલ સુધી જવાની પરવાનગી મળશે. આગ્રાના કિલ્લા માટે આ આંકડો 2500નો રાખવામાં આવ્યો હતો. આ બંને પ્રવાસ સ્થળો માટેની ટિકિટો ઓનલાઇન ખરીદવાની રહેશે. આ બંને સ્થળે આવનારા લોકોએ કોરોના વાઇરસ માટે જાહેર કરાયેલી ગાઇડલાઇન્સનો કડક રીતે ઉપયોગ કરવાનો રહેશે.
દેશી પર્યટકો માટે 50 રૂપિયા એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી
વિદેશી પર્યટકો માટે 1100 રૂપિયા અને દેશી પર્યટકો માટે 50 રૂપિયા એન્ટ્રી ફી નક્કી કરવામાં આવી હતી. ઓનલાઇન ટિકિટ ખરીદ્યા પછી ક્યૂઆર કૉડ સ્કેન કરીને પ્રવાસી અંદર જઇ શકશે. દરેક વ્યક્તિએ થર્મલ સ્ક્રીનીંગ હેઠળથી પસાર થવાનું રહેશે. માસ્ક ફરજિયાત રહેશે અને પાર્કિંગ સહિત સર્વે ચૂકવણી ડિજિટલ રીતે કરવાની રહેશે. શાહજહાં અને મૂમતાઝ મહલની કબર સુધી એક સાથે માત્ર પાંચ વ્યક્તિ જઇ શકશે.