આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાજીના માર્ગદર્શન હેઠળ “સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન” અંતર્ગત સ્વાસ્થ્ય સ્વયં સેવકો માટે પ્રશિક્ષણ વર્ગ દેશભરમાં યોજાઈ રહ્યો છે.
જેના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સુચના અનુસાર “સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન” પ્રશિક્ષણ વર્ગ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લાના સ્વાસ્થ્ય સ્વયંસેવકો માટે વર્ગ યોજાયો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, ડોક્ટર સેલના કન્વીનર અને સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના ઇન્ચાર્જ ડો.દીપકભાઈ પીપળીયા, ગોકુલ હોસ્પિટલના ડો.હાર્દિકભાઈ વેકરીયા, પીડીયાટ્રીશ્યન ડો. કેયુર રામાણી, ધોરાજીના ડો.હાર્દિક સંઘાણી તથા રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ અને સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના સહ-ઇન્ચાર્જ રીનાબેન ભોજાણી, ડો.રશ્મીકાન્તભાઈ ઉપાધ્યાય, જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ સહીતના રાજકોટના શ્રેષ્ઠી અને જ્યેષ્ઠી નામાંકિત ડોકટરો ઉપસ્થિત રહી કોરોનાની ત્રીજી લહેરથી બચવા અંગેનું વિસ્તૃતમાં માર્ગદર્શન તેમજ પાવર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
આ તકે ડો.હાર્દિકભાઈ વેકરીયાએ કોરોના વિષે માહિતી આપતા કહ્યું હતું કે, કોરોના કોવીડ-૧૯ નામના વાઈરસથી થતો રોગ છે.સંક્રમણથી રોગો પેદા થાય છે. ઘાતક વાઈરસ છે. જે નાક, મો દ્વારા છાતી ફેફસા ઉપર ઘાતક અસર પહોચાડે છે. કોરોનાના સામાન્ય લક્ષણ તાવ, સુકી ખાંસી, શરદી, સળેખમ, નાકમાંથી પાણી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં બળતરા, સ્વાદ કે સુગંધનો અનુભવ ન થવો આ બધા લક્ષણો કોવીડ-૧૯ કોરોનાના છે. જેનાથી બચવા “દો ગજ કી દુરી” ફેસ માસ્ક, ટ્રીપલ લેયર પ્લાઈ માસ્ક પહેરવું હિતાવહ છે. સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. કોરોનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય સમયસર રસીકરણ કરાવવું અને તેમાં જાગૃતિ લાવવી, ઘર, દુકાન, ફેક્ટરી આસપાસ સ્વચ્છતા જાળવવી જેનાથી કોરોનાનુ સંક્રમણ ખુબ જ ઘટે છે. તમામ સ્વયં સેવકોએ આ બાબતે ઘરે-ઘરે જઈ નાગરીકોને જાગૃત કરવા અભિયાન કરશું તો જ કોરોનાથી દેશ બચશે.
- Advertisement -
આ તકે બીજા સત્રમાં પીડીયાટ્રીશ્યન ડો. કેયુર રામાણીએ, ત્રીજી લહેરની ચેતવણીમાં સાવધાની બાળકોએ રાખવાની ખાસ જરૂરી છે. માટેના વિષયબિંદુ ઉપર માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, ત્રીજી લહેરની અસર ૧૦ થી ૧૭ વર્ષના બાળકો પર વધારે થઇ શકે છે. ઓકટો-નવે.૨૦૨૧માં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ છે. બાળકોમાં ન્યુમોનીયા, વધારે તાવ, આંખો લાલ, મો લાલ જેવા લક્ષણો દેખાય છે. જેનાથી બચવા ખાનપાન, હાઈડ્રેશન અને પોષણ માટે તરલ પદાર્થોનું સેવન કરાવવું. દિવસમાં બે ત્રણ વાર પલ્સ ચેક કરવા. બાળકોમાં સ્વસ્છતા જાળવવી, ભીડવાળી જગ્યાએ બાળકોને લઇ ન જવા, પૌષ્ટિક આહાર આપવો, જેથી બાળકોમાં કોરોનાના લક્ષણોમાં થોડી હળવાશ રહે છે. કોરોનાની ગંભીર બીમારીથી બચી શકાય છે.
આ તકે રાજકોટ જીલ્લા ડોક્ટર સેલના કન્વીનર અને સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના ઇન્ચાર્જ ડો.દીપક પીપળીયાએ, કોરોના મહામારીમાં આપણી કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ પક્ષ દ્વારા લોકોની વચ્ચે રહીને આપણા કાર્યકર્તાઓએ સેવાકીય કાર્યો કર્યા છે. ભવિષ્યમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં આ મહામારી વધુ ઘાતક ન બને તે માટે સાવચેતી રાખવી, રોગપ્રતિરોધક ક્ષમતા વધારવી, બાળકોની દેખરેખ રાખવી વગેરે બાબતો અંગે સમાજમાં જાગૃત્તતા લાવવી તેમજ આપણા વિસ્તારમાં કાર્યરત નજીકનું સારવાર કેન્દ્ર અને સમાજ વચ્ચે આપણે સહુ સ્વાસ્થ્ય સ્વયસેવકોએ સેતુ તરીકે કાર્ય કરવાનું છે.
સ્વાસ્થ્ય સ્વયંસેવકોના નામ મંડલ સ્તરે નિશ્ચિત થઈ ગયા છે, અને પ્રત્યેક બુથ દીઠ ૪ સ્વયંસેવકોના નામ નિશ્ચિત કરીને જીલ્લા કાર્યાલયને મોકલવાના છે. તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવી. આ સ્વાસ્થ્ય સ્વયંસેવકોનો પ્રશિક્ષણ વર્ગ જીલ્લા અને મંડલ સ્તરે યોજવાના છે. જેમાં મંડલ સ્તરે જે ૩ નામો સ્વાસ્થ્ય સ્વયંસેવક તરીકે નિશ્ચિત કર્યા છે તે ૩ વ્યક્તિ અને ૧ વ્યક્તિ મંડલના આઈ.ટી.સેલ માંથી એમ કુલ ૪ કાર્યકર્તા જીલ્લાના પ્રશિક્ષણ વર્ગમાં અપેક્ષિત છે તેમ જણાવ્યું હતું.
આ તકે ડો.હાર્દિક સંઘાણીએ કોવીડ-૧૯ હોમ ટેસ્ટીંગ કીટના ઉપયોગના નિર્દેશ, ઓક્સીજન થેરાપી, બાળકોમાં લક્ષણોની તીવ્રતા અનુસાર વ્યવસ્થાપનની યોજના, વાઈટલ મોનીટરીંગ, યોગ અને આસન થકી કોરોના સંક્રમણને કેવી રીતે રોકી શકાય તેનું પાવર પ્રેઝન્ટેશન કરીને સ્વયંસેવકોને વિસ્તૃતમાં માહિતી આપી હતી.
- Advertisement -
આ તકે રાજકોટ જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોકોના સ્વાસ્થ્ય અંગેની ખુબ જ ચિંતા કરી રહ્યા છે. સંભવિત ત્રીજી લહેરના કહેરથી બચવા ભાજપા સરકારે “સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન” થકી રાજકોટ જીલ્લાના પ્રત્યેક કાર્યકરને આ અભિયાનમાં જોડીને જન-જન સુધી પહોચી લોકોને ત્રીજી લહેરથી બચવા માટે જાગૃતી લાવવામાં આવશે. ભાજપાના પ્રત્યેક કાર્યકરમાં લોકસેવકની ભાવના રહેલી છે. આરોગ્ય વિષયક માહિતી આપીને કોરોના સંક્રમણને ઘટાડવા રાજકોટ જીલ્લાના તમામ બુથો ઉપર માર્ગદર્શન કેમ્પો યોજીને જાગૃતિ લાવવામાં આવશે.
આ તકે જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણીએ સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનની સંગઠનાત્મક માળખાની માહિતી આપી હતી. તમામ કાર્યકર્તાઓએ chc, phc, હોસ્પિટલો તેમજ આંગણવાડી સાથે સંકલન કરીને વ્યવસ્થાની માહિતી આપી હતી.
આ તકે જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલાએ આભારવિધિ કરતા કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દીર્ઘ દ્રષ્ટિ હોવાને કારણે પહેલી અને બીજી લહેરમાં બીજા દેશો કરતા ભારતમાં કોરોનાથી મૃત્યુદર ખુબ જ નીચો રહ્યો છે. ત્રીજી લહેરમાં કાર્યકર્તાઓએ જનજાગૃતિ અભિયાન કરીને કોરોનાથી બાળકો અને વડીલોને બચાવવા એ આપણી ફરજ છે.
સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન અંતર્ગત બેઠકમાં ઉપસ્થિત ડો.હાર્દિકભાઈ વેકરીયા, ડો.કેયુર મણિયારને પુષ્પ ગુચ્છ આપી ડો.રીનાબેન ભોજાણીએ સહુ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
આ બેઠકમાં સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાનના મંડલના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ તથા રાજકોટ જીલ્લાના નામાંકિત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકની વ્યવસ્થા કાર્યાલયપ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, સહ-કાર્યાલયમંત્રી વિવેક સાતા, કિશોર ચાવડા, આઈ.ટી. ઇન્ચાર્જ તન્મય ઉપાધ્યાય, સહ-ઇન્ચાર્જ યશભાઈ વાળાએ જહેમત ઉઠાવી હતી.


