EDની તપાસમાં મની ટ્રેઇલનો પર્દાફાશ: ખેડૂતોની જમીન સસ્તામાં પડાવી ગઅ કરવાનું મોટું કૌભાંડ
EDએ કલેક્ટર કચેરીમાં એક સપ્તાહ સુધી રેકોર્ડ ખંખેર્યા: મની ટ્રેઇલ પર એજન્સીની ખાસ નજર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ગઅ કૌભાંડની તપાસમાં ઊઉએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અંદાજે ₹3,850 કરોડની કિંમતનો સોલાર પ્લાન્ટ પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં હસ્તાંતરિત કરી દેવાયો હોવાનું સામે આવ્યું છે. પોતાનો આર્થિક ફાયદો કરવા માટે અધિકારીઓએ નિયમો નેવે મૂકી આ ખેલ પાડ્યો હોવાની આશંકા છે.
તપાસ એજન્સીએ ખેતીલાયક જમીનને ગેરકાયદે રીતે ઝડપથી બિનખેતી (ગઅ) કરી પ્લોટિંગ કરાવી વિકાસકર્તાઓને ફાયદો પહોંચાડ્યો છે. હાલ ઊઉ દ્વારા બેંક ટ્રાન્ઝેક્શન અને શંકાસ્પદ કંપનીઓના ’મની ટ્રેઇલ’ની તપાસ ચાલી રહી છે, જેમાં અનેક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવેલા ગઅ જમીન કૌભાંડ મામલે તપાસની કાર્યવાહી વધુ તેજ બની છે. ખેડૂતની જમીનને ગેરરીતે ગઅ કરી વિકાસકર્તાઓને ફાયદો પહોંચાડવાના ગંભીર આક્ષેપો વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા એક સપ્તાહ સુધી કલેક્ટર કચેરીમાં વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન જમીન વ્યવહારો, દસ્તાવેજો તથા નાણાકીય લેવડદેવડમાં મોટાપાયે ગેરરીતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સોલાર પ્લાન્ટનો પ્રોજેક્ટ કિંમત આશરે રૂ. 3,850 કરોડ જેટલી થાય છે, તે માત્ર રૂ. 80 કરોડ જેવી અતિ ઓછી કિંમતે હસ્તાંતરિત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં પોતાને આર્થિક ફાયદા માટે આખુંય કૌભાંડ પાર પાડ્યું હોવાની શક્યતા તપાસ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ જમીન વ્યવહારોમાં ખેતીલાયક જમીનને ઝડપી રીતે ગઅ (ગજ્ઞક્ષ-અલશિભીહિીંફિહ) જાહેર કરી, પ્લોટિંગ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન કરી ખેડૂતોની જમીન ઓછી કિંમતે મેળવી વિકાસકર્તાઓ અને જમીન દલાલોને લાભ પહોંચાડવામાં આવ્યો હોવાનું અનુમાન છે. તપાસ દરમિયાન જમીનના નકશા, ગઅ મંજૂરીના આદેશો, વેચાણ કરાર, બેંક ટ્રાન્ઝેક્શન તથા અન્ય મહત્વપૂર્ણ રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી છે.
ઊઉની ટીમ દ્વારા કલેક્ટર કચેરી ઉપરાંત સંબંધિત તાલુકા કચેરીઓ, સબ-રજિસ્ટ્રાર ઓફિસ અને અન્ય વિભાગોના દસ્તાવેજો પણ તપાસવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર કૌભાંડમાં કેટલાક સરકારી અધિકારીઓ, જમીન દલાલો અને ખાનગી વિકાસકર્તાઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને તેમની ભૂમિકા અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા નાણાંના પ્રવાહ (ખજ્ઞક્ષયુ ઝફિશહ)ની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ખાતાઓ, ટ્રસ્ટો તથા કંપનીઓ મારફતે થયેલા વ્યવહારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ સાથે, આવક કરતા વધુ સંપત્તિ એકત્રિત કરવાના મુદ્દે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પ્રશાસન અને તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે જમીન કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બખશો નહીં અને કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં વધુ ખુલાસાઓ અને ધરપકડોની શક્યતા પણ નકારી શકાય નહીં.
પ્રતિ ચો.મી. 10 રુ.નો ભાવ કરાયો હતો નક્કી, એક્સેલ શીટમાં 200 નામો સામેલ
- Advertisement -
સુરેન્દ્રનગરમાં જમીનને બિનખેતી (ગઅ) કરાવવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં પ્રતિ ચોરસ મીટર ₹10ની લાંચનો ખુલ્લો દર નિર્ધારિત કરાયો હતો. સુરેન્દ્રનગર કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓના નિવાસસ્થાને પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળી આવેલી એક બે પાનાની એક્સેલ શીટ પરથી આ કૌભાંડનો ભેદ ઉકેલાયો છે. આ શીટમાં લાંચના વ્યવહારો, લાંચના દરો અને સંડોવાયેલા આશરે 200થી વધુ લોકોના નામોની વિગતો ઝીણવટપૂર્વક નોંધાયેલી છે. તપાસ એજન્સીઓ માટે આ સ્પ્રેડશીટ સૌથી મહત્વનો અને મજબૂત દસ્તાવેજી પુરાવો સાબિત થઈ રહી છે. દસ્તાવેજમાં ગઅ અરજીઓ મંજૂર કરવા માટે ₹10 પ્રતિ ચોરસ મીટરના હિસાબે લાંચ લેવાનો દર સ્પષ્ટપણે નોંધાયેલો છે. એક્સેલ શીટમાં પેન્ડિંગ અને મેળવેલી ચૂકવણીઓની વિગતો તેમજ લાંચના નાણાંના હેતુપૂર્વકના પ્રાપ્તકર્તાઓની ફૂટનોટ્સ પણ ઝીણવટપૂર્વક નોંધાયેલી છે. તેમાં ઓનલાઈન અરજી નંબરો, સર્વે વિગતો, જમીનનો વિસ્તાર, અરજીનો પ્રકાર અને સૌથી મહત્ત્વપૂર્ણ રીતે, વ્યક્તિગત અરજદારો પાસેથી એકત્ર કરાયેલી અથવા બાકી રહેલી લાંચની રકમનો સમાવેશ થાય છે. મળતી વિગતો મુજબ આ શીટમાં ઓછામાં ઓછા 200 નામો છે, જે એજન્સીએ જપ્ત કર્યા છે. આ નામો અને જમીનના પાર્સલની ચકાસણી કરવામાં આવી છે.



