ગીર સોમનાથમાં પૂરક પરીક્ષા-2024ના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
કલેક્ટરે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા માર્ગદર્શન આપ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તા.23/06/2025 થી તા.03/07/2025 દરમિયાન ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ ગેરરીતિ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ પૂરક પરીક્ષાઓની તૈયારીઓ અને સુનિયોજીત આયોજન વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને તમામ પરીક્ષા સ્થળો ખાતે એક મેડીકલ ટીમ રાખવાની સૂચનાઓ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.બોરીચા દ્વારા પૂરક પરીક્ષાના આયોજન અંગે વિગતો આપતા જણાવાયું હતું કે, ધો.10 અને ધો.12ના તમામ ઝોન કાર્યરત રહેશે. તમામ પરીક્ષાઓ જિલ્લા કક્ષાએ લેવાશે. જેમાં ધોરણ-10ના 08 પરીક્ષાસ્થળો અને 01 દિવ એમ કુલ 09 પરીક્ષા સ્થળોના કુલ 78 બ્લોકમાં 2,340 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 01 પરીક્ષા સ્થળમાં 09 બ્લોકમાં કુલ 270 પરીક્ષાર્થીઓ અને ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 01 પરીક્ષા સ્થળોના 14 બ્લોકમાં કુલ 280 પરીક્ષાર્થીઓપરીક્ષાઆપશે.