By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    1 hour ago
    પ્રધાનમંત્રી મોદી SCO સમિટ માટે ચીન જશે, 2019 પછી પહેલી વાર ચીન જશે
    4 hours ago
    હવે એક પણ અફઘાનિસ્તાની પાકિસ્તાનમાં નહીં રહી શકે
    5 hours ago
    ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટના :8 લોકોના મોત; સંરક્ષણ, પર્યાવરણ મંત્રીઓ પણ મૃત્યુ પામ્યા
    5 hours ago
    યુએસ લશ્કરી બેઝ પર ગોળીબાર: 2નાં મોત, 6 ઘાયલ, ફાઈરિંગ કરનારની ધરપકડ
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સારા – સુરક્ષિત માર્ગ વિના ટૉલટેકસ ન વસુલી શકાય : એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ
    1 hour ago
    3 જવાન શહીદ: 15 ઈજાગ્રસ્ત
    1 hour ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    1 hour ago
    ક્રિકેટર યશ દયાલની ધરપકડ થશે : રાજસ્થાન હાઈકોર્ટે જામીન પર રોક ફગાવી
    1 hour ago
    SCનો સરકારને ઝટકો: વીજકંપનીઓને ચાર વર્ષમાં નાણાં ચૂકવવાનો આદેશ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    1 day ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    2 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    2 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    2 days ago
    India vs England: મોહમ્મદ સિરાજ હીરો, ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રખ્યાત જીત મેળવી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    1 day ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    3 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    3 days ago
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    5 days ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    3 hours ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    3 days ago
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 hour ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    2 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    3 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    1 week ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્પેશિયલ છબ્બીસ: હિંસા, અશાંતિ, પાપાચારનાં મૂળ જેવી 26 આયતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > સ્પેશિયલ છબ્બીસ: હિંસા, અશાંતિ, પાપાચારનાં મૂળ જેવી 26 આયતો
AuthorKinnar Acharya

સ્પેશિયલ છબ્બીસ: હિંસા, અશાંતિ, પાપાચારનાં મૂળ જેવી 26 આયતો

Khaskhabar Editor
Last updated: 2022/01/21 at 12:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

થોડાં સમય પહેલાં સમાચાર આવ્યા હતાં કે ચીનનાં સત્તાધિશોએ કુરાન નવેસરથી લખવા અને તેમાંની વાંધાજનક આયતો દૂર કરવા નિર્ણય લીધો છે. આ સમાચાર આવ્યા પછી ચીનમાં તો ખાસ કશું રિએકશન ન આવ્યું, પરંતુ ભારતીય સેક્યુલરોનાં પેટમાં જાણે સલ્ફ્યુરિક એસિડ રેડાયો હોય એવી દર્દભરી ચીસો તેમણે પાડી.

– કિન્નર આચાર્ય 

દૂર ચીનમાં મુસ્લિમોને સુધારવા માટે થતાં પ્રયત્નો જો અહીં તેમને કઠતાં હોય તો હવે તો એમની હાલત વધુ બગડવાની છે. કારણ કે, કુરાનની છવ્વીસ અત્યંત વાંધાજનક આયતો દૂર કરવાના પ્રયત્નો કેટલાંક મુસ્લિમોએ જ આરંભ કર્યા છે. શિયા મુસ્લિમ નેતા વસીમ રિઝવીએ આ અંગે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે અને બધું સમુંસુતરું પાર ઉતર્યું તો કેસ હમણાં દોડવા પણ માંડશે.

- Advertisement -

શા માટે આ છવ્વીસ આયતો સામે જ સમજુ-સ્વસ્થ લોકોને વાંધો છે? વેલ, આ છવ્વીસ આયતો ખૂલ્લેઆમ નફરતનો સંદેશ આપે છે, એ વિધર્મીઓની કત્લેઆમ માટે પ્રેરણા આપે છે, મૂર્તિપૂજામાં માનનારાઓને રીબાવી રીબાવીને ખતમ કરવાનો સ્પષ્ટ મેસેજ આપે છે. અગત્યની વાત એ પણ છે કે, આ છવ્વીસ આયતો મૂળ કુરાનનો હિસ્સો નથી. તેને પાછળથી જોડવામાં આવી છે. પરિશિષ્ટ જેવું જ. અને આ ખતરનાક આયતો પાછળથી કુરાનમાં ઉમેરી છે કોણે? એ ઉમેરો કરાવ્યો પ્રથમ ખલિફા અબુ અલ બંકરએ. મોહમ્મદ પયગંબરની વિદાય પછી કુરાનની આયતોને ગ્રંથસ્થ કરવાનું કાર્ય ખલિફાએ ચાર લોકોને સોંપ્યું. આ ચારમાં ઉબે બિન કાબ, મુઆઝ બિન જબલ, ઝૈદ બિન તાબિત અને અબુ ઝૈદ સામેલ હતાં. બાકીનાં ત્રણ લોકો સર્વસંમતીથી ઝૈદ બિન તાબિતને બધી જ આયતો લખવાનું સોંપી દીધું.

ઝૈદ બિન તાબિતએ કુરાન લખી નાખ્યું અને તેની પ્રત મોહમ્મદ પયગંબરની ચોથી પત્ની તથા બીજા ખલિફા હઝરત ઉમરની દીકરી હફઝાનાં હાથમાં સોંપી દીધી. આ હતું અસલી કુરાન. કારણ કે, તેમાં મોહમ્મદ પયગંબર દ્વારા કહેવાયેલી આયતોને જ સ્થાન મળ્યું હતું. સમસ્યાનું સર્જન ત્રીજા ખલિફાનાં સમયમાં થયું. તૃતિય ખલિફા હઝરત ઉસ્માનનાં જમાનામાં કુરાનનાં અલગ-અલગ ત્રણસો વર્ઝન ઉપલબ્ધ હતા! ક્યું માનવું- ક્યું નહીં? એ સમયે ત્રીજા ખલિફાએ કુરાનની મૂળ પ્રત કંડારનાર ઝૈદ બિન તાબિતને બોલાવ્યા અને તેમને સૂચના આપી કે તેઓ પયગંબર સાહેબની પુત્રી હજરત હફઝા પાસેથી મૂળ પ્રત મેળવીને ફરીથી અસલી કુરાન લખાવવામાં આવે. તાબિતે એ પ્રત મેળવી. પરંતુ તૃતિય ખલિફાએ પુન:લેખનનું કાર્ય પોતાનાં સાથી અબ્દુલ્લા બિન ઝુબૈર, સૈદ બિન અલાસ તથા અબ્દુર્રહમાન બિન હારિત પાસે કરાવ્યું.

અહીં જ કહાની મેં ટ્વિસ્ટ હૈ. ત્રીજા ખલિફાનાં યુગમાં તલવારની અણીએ, હિંસાચાર, અત્યાચાર દ્વારા ઈસ્લામનો પ્રચાર-પ્રસાર કરાવવાનું પાગલપન ચરમસીમા પર હતું. આવા માહૌલમાં મુસ્લિમ યુવાનોને વધુ ભડકાવવા ત્રીજા ખલિફાની સૂચનાથી આ છવ્વીસ આયતો કુરાનમાં ઉમેરવામાં આવી. ત્યારથી ઠેઠ આજ લગી આ 26 આયતો મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશ કરતી આવી છે. જાહેર હિતની અરજી કરનાર વસિમ રિઝવીએ દેશનાં છપ્પન મુખ્ય ઈસ્લામિક સંગઠનોને આ છવ્વીસ આયતો પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે.

- Advertisement -

મોટાભાગની મુસ્લિમ સંસ્થાઓની દુકાન કટ્ટરતા અને ધાર્મિક અંધાપા પર ચાલે છે. આઇ.એસ.આઈ.એસ. અને તેનાં જેવાં અનેક કટ્ટરવાદી સંગઠનોનો કારોબાર પણ આ છવ્વીસ આયતો પર જ ચાલે છે

56માંથી ભાગ્યે જ કોઈ સંગઠન રસ લેશે. કારણ કે, મોટાભાગની મુસ્લિમ સંસ્થાઓની દુકાન કટ્ટરતા અને ધાર્મિક અંધાપા પર ચાલે છે. આઇ.એસ.આઈ.એસ. અને તેનાં જેવાં અનેક કટ્ટરવાદી સંગઠનોનો કારોબાર પણ આ છવ્વીસ આયતો પર જ ચાલે છે. દુનિયાભરમાં ફેલાયેલાં- બહુ જ પોપ્યુલર થયેલાં ‘એકસ-મુસ્લિમ્સ’ આંદોલને આ કારણે જ જોર પકડયું હતું. આ મૂવમેન્ટ એવા લોકોએ ચલાવી હતી- જે મુસ્લિમો આવી હિંસક આયતો અને સંકુચિત વિચારધારાથી ત્રસ્ત થઈ ગયા હોય અને ઈસ્લામ છોડી દીધો હોય.

કુરાનની આ છવ્વીસ આયતો ઉમેર્યા પછી ત્રીજા ખલિફાએ જૂનાં તમામ કુરાનનો, તમામ આવૃત્તિઓનો નાશ કર્યો હતો. આ હિંસક છવ્વીસ આયતો હટાવ્યા બાદ હાલની કોપી અમાન્ય ગણાવી જોઈએ- તેવું તમને પણ લાગશે જ. જે છવ્વીસ આયતો બાબતે જાહેર હિતની અરજી થઈ છે- તેનાં પર એક નજર ફેરવવા જેવું છે.

(1) પછી જ્યારે હરામનાં મહિના પસાર થઈ જાય ત્યારે મુશરિકો (કાફિરો-અલ્લાહને નહીં માનનારા)ને જ્યાં જુઓ ત્યાં કત્લ કરી નાંખો. લપાઈને તેમની રાહ જુઓ, તેમને ઘેરી લો, પકડી લો. જો તેઓ શરણે આવીને નમાજ અદા કરે અને જકાત (નાણાં) આપે તો તેમને છોડી દો. નિસંદેહ અલ્લાહ બહુ ક્ષમાશીલ અને દયાવાન છે.
(2) હે ઈમાન લાવનારાઓ (મુસ્લિમો)! મૂર્તિપૂજક નાપાક છે!
(3) એ વાતમાં કોઈ શંકા નથી કે કાફિર તમારા કટ્ટર દુશ્મન છે.
(4) હે મુસ્લિમો! એ કાફિરોથી લડો- જે તમારી આસપાસ છે, તેમનાં પ્રત્યે કઠોર બનો!
(5) જે લોકોએ અમારી આયતો માનવાથી ઈન્કાર કર્યો તેને અમે અગ્નિમાં હોમી દેશું. જ્યારે તેમની ચામડી સળગી જશે ત્યારે આપણે ફરી તેમની પર ચામડી ચડાવીશું- જેથી એ ચામડી બળવાનું દર્દ બીજી વખત સહન કરે. નિસંદેહ અલ્લાહ જ પ્રભુત્વશાળી અને તત્ત્વદર્શી છે!

(6) જો તમારા ભાઈ કે બાપ અલ્લાહનો ઈન્કાર કરે- નાસ્તિક હોય તો એમને પણ મિત્ર ન બનાવો- સંબંધ ન રાખો. જો તમે તેમની સાથે સંબંધ રાખશો તો આવા જ લોકો જાલીમ બનીને આપણાં પર જ રાજ કરશે.
(7) અલ્લાહ કદી કાફિર (બિન-મુસ્લિમ, મૂર્તિપૂજકો)ને માર્ગ નથી દેખાડતાં.
(8) હે મુસ્લિમો! કાફિરોને મિત્ર બનાવી તેમનું કાસળ કાઢી નાંખો. જો તમે મુસ્લિમ છો તો અલ્લાહથી ડરતા રહો.
(9) મૂર્તિપૂજકો જ્યાં પણ મળી આવશે, તેમને પકડવામાં આવશે અને તેમને ખતમ કરી દેવામાં આવશે.
(10) જો તમે અલ્લાહ સિવાય કોઈને પૂજો છો તો તમે અને એ બેઉ નર્કનાં ઈંધણ બનશો. તમે અવશ્ય નર્કમાં જશો.

(11) અને એવા લોકોથી વધુ જાલીમ કોણ હશે- જેને રબની આયતો દ્વારા ચેતવવામાં આવ્યા હોય છતાં તેઓ એ ન માને. આપણે આવા અપરાધીઓ સામે ચોક્કસ બદલો લેવો જોઈએ.
(12) અલ્લાહે તમને ‘ગનીમતો’ (લૂંટનો માલ)નું વચન આપ્યું છે- જે અવશ્ય તમારા હાથમાં આવશે.
(13) લૂંટનો જે માલ તમે એકઠો કર્યો છે- તે તમારા હક્કનો સમજીને ખાઓ-ઉડાવો.
(14) હે નબી! કાફિરો અને મૂર્તિપૂજકો સામે જેહાદ કરો, એમનાં પર સખતી કરો. તેમનું સ્થાન જહન્નુમ છે, ત્યાં તેમને પહોંચાડી દો.

(15) અલ્લાહનો ઈન્કાર કરનારાઓને, નાસ્તિકોને આપણે અવશ્ય યાતનાની મજા ચખાડીશું. એમનાં કર્મોનો એમને બહુ ખરાબ બદલો આપીશું.
(16) જે અમારી આયતો માનવાનો ઈન્કાર રે છે- તેનો બદલો જહન્નુમની આગ છે. અલ્લાહનાં શત્રુઓની આ જ હાલત થશે.
(17) અલ્લાહ મુસ્લિમોને જાન-માલનાં બદલામાં જન્નત આપે છે. નિસંદેહ અલ્લાહે ‘ઈમાનવાળા’ (મુસ્લિમોને)ને ખરીદી લીધાં છે. તેઓ અલ્લાહનાં માર્ગ પર ચાલતાં-ચાલતાં કાફિરોને મારી પણ નાંખશે અને ખૂદ પણ મરી જશે.
(18) અલ્લાહે મૂર્તિપૂજક પુરુષો અને સ્ત્રીઓ તથા કાફિરો માટે જહન્નુમની આગનું વચન આપ્યું છે. એ લોકો સદા તે આગમાં જ રહેશે. અલ્લાહે એમનાં પર ફિટકાર વરસાવ્યો છે અને તેમને કાયમી યાતના આપી છે.
(19) હે નબી! મુસ્લિમોને લડાઈને રસ્તે લઈ જાઓ. જો તમારામાં વીસ ઝનૂની હશે તો એ બસ્સો પર ભારે પડશે, તમે એકસો હશો તો એક હજાર કાફિરોને હરાવશો. કેમ કે, કાફિરોમાં સમજ-સૂઝ નથી હોતા.

(20) હે મુસલમાનો, તમે યહુદીઓને કે ખ્રિસ્તીઓને મિત્ર ન બનાવો. જો તમે તેમને મિત્ર બનાવશો તો તમે પણ તેવાં જ ગણાશો. જુલ્મીઓને અલ્લાહ માર્ગ દેખાડતો નથી.
(21) જે અલ્લાહમાં માનતા નથી, જેમને અલ્લાહે અને તેનાં રસૂલે હરામ ઠેરાવ્યા છે, જે સાચા ધર્મને પોતાનો ધર્મ માનતા નથી…. એમની સામે લડો. ત્યાં સુધી લડો કે એ લોકો અપમાનીત થઈને જીજીયા (વેરો-ખંડણી) દેવા તૈયાર થઈ જાય.
(22) પછી અમે એમની વચ્ચે કયામતનાં દિવસ સુધી વૈમનસ્ય અને દ્વેષની આગ ભડકાવી અલ્લાહ જલ્દી એમને (વિધર્મી-કાફિરો) એમનું સ્થાન દેખાડશે!
(23) એ લોકો (કાફિરો) ઈચ્છે છે કે, તમે પણ તેમની જેમ કાફિર બની જાઓ, પછી તમે એમનાં જેવા જ બની જશો. એમનામાંથી (કાફિરોમાંથી) કોઈને ત્યાં સુધી સાથી બનાવશો નહીં- જ્યાં સુધી તેઓ અલ્લાહનાં માર્ગ પર ન ચાલે. જો તેઓ આવું ન કરે તો જ્યાં પણ તેમને જુઓ- તેમને પકડો અને તેમની હત્યા કરો.
(24) કાફિરોથી લડો. અલ્લાહ તમારા હાથો દ્વારા તેમને યાતના આપશે, અપમાનીત કરશે. બદલામાં અલ્લાહ તમારી સહાય કરશે તમારા હૃદયમાં ઠંડક પહોંચાડશે!

(25) આપણે શીઘ્ર જ (અલ્લાહનો) ઈન્કાર કરનારાઓ પર ધાક બેસાડી દેશું. એમનું સ્થાન આગમાં છે. અત્યાચારીઓનો આ જ અંજામ છે.
(26) જ્યાં પણ તેમની પર કાબૂ મેળવો- એમને કત્લ કરો અને એમને તગેડી મૂકો. એટલા માટે કે ઉપદ્રવ તો કતલથી પણ વધુ ગંભીર છે. પણ કાબા નજીક તેમની સાથે લડાઈ ન કરો.
છવ્વીસ આયતો અહીં પૂરી થાય છે, પરંતુ આ ધાર્મિક ગાંડપણ ક્યારે ખતમ થશે તે કોઈ જાણતું નથી. ક્યારેક લાગે છે કે, મુસ્લિમોને આ પૃથ્વી પર માત્ર ચીન જ સમજી શક્યો છે અને ઈસ્લામિક કટ્ટરતા સાથે નિપટવાની કળા માત્ર ચીનાઓ જ જાણે છે.

You Might Also Like

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

આ તો સ્વાભાવિક છે

હાસ્ય: જીવનનું ફૂલ

બોલ ગોરી બોલ તેરા કૌન પિયા

ચાણક્યની સાચી સમજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કરેલું ફોગટ જતું નથી
Next Article મહાન અમર જવાન જ્યોતિ મામલે કેન્દ્ર અને વિપક્ષ આમને- સામને

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હેમુ ગઢવી હોલમાં 9 ઓગસ્ટે ગોપી-કિશન સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
પંચનાથ હોસ્પિટલમાં બે MD ફિઝિશિયનની નિમણૂક, દર્દીઓને મળશે વધુ સારી સારવાર
સ્વ. વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ ‘વિજય વ્હાલ સંગમ’ કાર્યક્રમ મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો
આ વખતે લોકમેળામાં ભરપૂર મનોરંજન: ડાન્સ, મ્યુઝિક, ડ્રામા સહિત 34 આઈટમો
1974ના નવનિર્માણ આંદોલનમાં રાજકોટના અનેક યુવા નેતાઓએ સક્રિય ભૂમિકા ભજવી: ગોવિંદભાઈ પટેલ
દારૂની બોટલના પૈસાની ઉઘરાણી મુદ્દે યુવકનું અપહરણ કરી 8000 લૂંટી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

આ તો સ્વાભાવિક છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

હાસ્ય: જીવનનું ફૂલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?