સુરક્ષા એજન્સીઓએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘૃણાસ્પદ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે, જેમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ દુર્ઘટનાનો સામનો કરવા માટે રાષ્ટ્ર સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને શોધવા અને આ ભયાનક હુમલા પાછળની ક્રૂર યોજનાનો પર્દાફાશ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
કેન્દ્રીય એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ના પેટા સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ દુઃખી છે. સરકાર અને તપાસ એજન્સીઓ દિવસ રાત કામગીરી કરી રહી છે. તપાસ એજન્સીએ આતંકવાદીઓના બે સ્કેચ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર વિશ્વના નેતાઓ અને લોકો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી રહી છે.
- Advertisement -
કેન્દ્રીય એજન્સીઓએ સ્કેચ જાહેર કર્યા
કેન્દ્રીય એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) ના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) નું એક પ્રોક્સી આતંકવાદી સંગઠન છે. જેની રચના 2019 માં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા પછી કરવામાં આવી હતી. આ આતંકવાદી સંગઠનની શરૂઆત એક ઓનલાઈન યુનિટ તરીકે થઈ હતી. પરંતુ તે ઝડપથી એક સંપૂર્ણ આતંકવાદી સંગઠન તરીકે વિકસ્યું. જેમાં તહરીક-એ-મિલ્લત ઇસ્લામિયા અને ગઝનવી હિંદ જેવા હાલના સંગઠનોના તત્વો પણ આ સંગઠનમાં જોડાઇ ગયા હતા.