ભાજપ અને મનપાનાં અધિકારીઓ એક, કોને ફરિયાદ કરવી ?
વરસાદનાં પાણીનો નિકાલ જતો ન હોય દુકાનમાં પાણી ભરાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનો મુખ્ય માર્ગ એમજી રોડ છે. અહીં સુવિધા વધારવાનાં બદલે લોકો અને વેપારીઓ કેમ હેરાન થાય તેવું અભિયાન મનપાને ચાલવ્યું હોય તેવું લાગી રહ્યું છે. એમજી રોડ ઉપર વરસાદનાં પાણીનો યોગ્ય નિકાલ ન હોવાનાં કારણે રોડ પર પાણી ભરાઇ જાય છે. વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય છે. ભાજપનાં નેતાઓ અને અધિકારીઓ એકનાં એક જ હોય ફરિયાદ કોને કરવી ? તેવા સવાલ ઉભા થઇ રહ્યાં છે.
જૂનાગઢમાં બે દિવસ પહેલા જરૂર વિના એલઇડી સ્ક્રીન માટે 57 લાખ રૂપિયા ફાળવી દેવામાં આવ્યાં છે. કમિશ્ર્નરની દરખાસ્તને શાસકોએ હોંશે હોંશે મંજુર કરી દીધી છે. ખરે ખર જૂનાગઢમાં સ્વચ્છતાનાં પ્રચાર માટે એલઇડી સ્ક્રીનની જરૂર છે ?, લોકોનો વિરોધ હોવા છતા નેતાઓ આગળ મનપાનાં અધિકારીઓનું ધારિર્યુ થયું છે. આ રકમ જૂનાગઢનાં વિકાસમાં વાપરી હોત તો આજે લોકો હેરાન થતા ન હોત.જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. મનપાનાં પાપે જૂનાગઢનાં મુખ્ય માર્ગ એમજી રોડ ઉપર પાણી ભરાઇ ગયાં છે. જૂનાગઢનાં મુખ્ય માર્ગ ઉપર પાણીનાં નિકાલની કોઇ સુવિધા ન હોવાનાં કારણે રોડ ઉપર પાણી ભરાઇ રહ્યાં છે. સામાન્ય વરસાદ થયા તો પણ રોડ ઉપર પાણી ભરાઇ જાય છે. એમજી રોડ ઉપર પાણીનાં નિકાલની વ્યવસ્થા ન હોવાનાં કારણે પાણી દુકાનોમાં ભરાઇ રહ્યાં છે.
એમજી રોડ ઉપર પાણી ભરાઇ થતા લોકો રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. વરસાદમાં નાના મોટો અકસ્માત થઇ રહ્યાં છે. જૂનાગઢમાં ભાજપનાં નેતા અને મનપાનાં અધિકારીઓ એકનાં એક હોય લોકો ફરિયાદ કરે તો કોને કરે તેવા સવાલ ઉભા થયા છે.માત્ર જૂનાગઢનાં એમજી રોડ ઉપર જ નહી પરંતુ મનપાનાં પાપે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયું છે. લોકોમાં રોષ ફેલાયો છે.



