ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટના રૈયા સ્માર્ટ સીટી ન્યુ રેસકોર્સ પાસે આવેલ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન લાઈટ હાઉસ ખાતે રૈયા લાઈટ હાઉસ ગ્રુપ અને જીજાબાઈ ટાઉનશીપ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી હનુમાન જયંતી તેમજ સંતશ્રી વેલનાથ તિથિ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ચૈત્ર સુદ પુનમ તા. 23-4 મંગળવારે છે જેમાં સાંજે 5 કલાકે દીપ પ્રાગટ્ય, 5-30 કલાકે શોભાયાત્રા, સામૈયુ, સાંજે 6-30 કલાકે મહાઆરતી, સાંજે 7-00 કલાકે 1144 ફ્લેટધારકોનું સ્નેહમિલન સમારોહ, 7-30 કલાકે સ્નેહભોજન, રાત્રે 9-00 કલાકે સંતવાણી તેમજ સાંજે 6-00 કલાકથી રાત્રે 9-00 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ફકત જીજાબાઈ ટાઉનસીપ લાઈટ હાઉસના ફ્લેટધારકો પૂરતુ જ મર્યાદિત રાખેલ છે. આ ઉત્સવ ગયા વર્ષે પણ સૌએ સાથે મળીને ઉજવેલ હતો.
- Advertisement -
લાઈટ હાઉસના ફ્લેટધારકોએ દર વર્ષે શ્રી હનુમાન જંયતી અને વેલનાથ ઉત્સવ ચાત્ર સુદ પુનમના દિવસે વાર્ષિક ધર્મોત્સવ ઉજવશે. હાલમાં 1144 ફ્લેટધારકોમાંથી આશરે 600 જેટલા ફ્લેટધારકો રહે છે. અહીં તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મના લોકો રહે છે. કોઈ પણ ઉજવણી આ ફ્લેટધારકો સાથે મળીને ઉજવે છે. રાજકોટમાં સૌથી વધુમાં વધુ તહેવારોની ઉજવણી લાઈટ હાઉસના આંગણે ઉજવાય છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રૈયા લાઈટ હાઉસ ગ્રુપની સાથે જીજાબાઈ ટાઉનશીપ સોસાયટીમાં ચાલતા તમામ ગ્રુપો, મંડળો સાથે હળીમળીને જહેમત ઉઠાવી રહ્યા છે તેમ રૈયા લાઈટ હાઉસ ગ્રુપના અગ્રણી દેવાંગભાઈ કુકાવા, દિનેશભાઈ અઘોલા તેમજ મેઈન કમિટીના સર્વે હોદ્દેદારોની સંયુક્ત યાદીમાં જણાવેલ છે. આ અંગે ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે દેવાંગભાઈ કુકાવા, પીયુષભાઈ જોશી, સુરેશભાઈ વાળા, નિલેશભાઈ શાહ વગેરે આવેલ હતા.