રાજકોટ અને વાંકાનેરમાં આવેલા અનેક દેરાસરો-ઉપાશ્રયોમાં શાતાકારી નવકારશી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત જૈન સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધીની ચૂંટણીમાં લોકશાહી મહાપર્વની ઉજવણીના ભાગરૂપે જૈન વિઝન ટીમ અને નવકારશી સંકલન સમિતિએ સમસ્ત રાજકોટના તેમજ વાંકાનેરના જૈન ઉપાશ્રયો અને દેરાસરોમાં શાતાકારી નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 15000 લોકો જોડાયા હતા. ગતરોજ લોકશાહીનું મહાપર્વ હતું ત્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા 100 ટકા મતદાન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેનો બહોળો પ્રતિસાદ જૈન સમાજને મળ્યો હતો.
- Advertisement -
સમગ્ર આયોજન જૈન અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતા (મામા), ચંદ્રકાન્તભાઈ શેઠ, દિનેશભાઇ પારેખ, પ્રવીણભાઈ કોઠારી, કિશોરભાઈ દોશી, જયેશભાઇ શાહ અને સુનિલભાઈ શાહ દ્વારા સુંદર માર્ગદર્શન મળ્યું હતું. જૈન વિઝન દ્વારા આ તકે ચારેય ફિરકાના આગેવાનો સ્થાનકવાસી અને મૂર્તિપૂજક દેરાસરના આગેવાનો અને તેમજ ટ્રસ્ટ્રીઓ તેમજ વાંકાનેર જૈન સમાજના આગેવાનોનો સહકાર બદલ ખાસ આભાર માન્યો હતો. સમગ્ર આયોજનમાં ટીમ નવકારશીના આયોજનમાં મહેશભાઈ મણિયાર, સુનિલભાઈ કોઠારી, અનીષભાઈ વાઘર, ડોલરભાઈ કોઠારી, ગીરીશભાઈ મહેતા, અજીતભાઈ જૈને સમગ્ર આયોજન સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
અનેક સ્થળોએ યોજાયેલા શાતાકારી નવકારશી
(1) સ્થા. જૈન મોટા સંઘ, (2) રોયલ પાર્ક જૈન સંઘ, (3) મનહરપ્લોટ જૈન સંઘ, (4) નેમિનાથ વીતરાગ જૈન સંઘ, (5) રેસકોર્ષ પાર્ક જૈન સંઘ, (6) સદર જૈન સંઘ, (7) શેઠ ઉપાશ્રય જૈન સંઘ, (8) મહાવીરનગર જૈન સંઘ, (9) શ્રમજીવી જૈન સંઘ, (10) જૈનચાલ જૈન સંઘ, (12) નૂતનગુરુ વૈયાવચ્ચ ધામ (સંઘાણી) તથા ગોંડલ રોડ વેસ્ટ જૈન સંઘ, (13) ગીતગુર્જરી જૈન સંઘ, (14) સાધનાભવન જૈન સંઘ, (15) અજરામર જૈન સંઘ, (16) વખારીયા જૈન સંઘ, (17) જંકશનપ્લોટ જૈન સંઘ, (18)ભક્તિનગર જૈન સંઘ, (19) રૈયાહિલ જૈન સંઘ તેમજ દેરાસર મણિયાર દેરાસર, પ્રહલાદ પ્લોટ દેરાસર, શ્રમજીવી દેરાસર, વાસુપૂજ્ય દેરાસર, જાગનાથ દેરાસર, વિમલનાથ દેરાસર, પારસધામ દેરાસર, યુનિવર્સીટી દેરાસર, જીરાવાલા દેરાસર, રૈયા હિલ દેરાસર, પંચવટી દેરાસર, ગાંધીગ્રામ દેરાસર, શાંતિનાથ એરપોર્ટ દેરાસર, શંખેશ્વર જિનાલય, નાગેશ્વ પાશ્વનાથ દેરાસર, આનંદગર દેરાસર અને વાંકાનેર જૈન સંઘ સુધી આયોજન થયેલ.