રૂા. 3.40 કરોડના ખર્ચે શાળા નં. 16નું બિલ્ડિંગ અને રૂા. 48.51 લાખના ખર્ચે ફૂલ બજાર તૈયાર થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે વોર્ડ નં. 7માં શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં. 16ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું તથા ફૂલ બજારનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે કરવામાં આવશે.રાજકોટ મહા નગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં. 7માં રૂા. 3.40 કરોડના ખર્ચે શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નં. 16ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું તથા રૂા. 48.51 લાખના ખર્ચે રામનાથપરા મુક્તિધામ પાસે બનાવવામાં આવેલ ફૂલ બજારનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદહસ્તે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાન મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. સંયુક્ત ડાયસ કાર્યક્રમ શાળા નં. 16માં યોજાશે.
શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળામાં ગ્રાઉન્ડ ફ્લોર-2માં આશરે 1868.03 ચો.મી.નું બાંધકામ કરવામાં આવેલું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાર ક્લાસરૂમ, પ્રિન્સિપાલ રૂમ, સ્ટોર રૂમ, એડમિશન રૂમ તેમજ સ્ટાફ પાર્કિંગ, સ્ટુડન્ટ પાર્કિંગ, ટોયલેટ બ્લોક, વોટર રૂમ તેમજ પ્રથમ માળે ચાર ક્લાસ રૂમ, લાયબ્રેરી, સ્ટાફરૂમ, કોમ્પ્યુટર રૂમ, વોટરરૂમ તથા ટોયલેટ બ્લોક, દરેક ક્લાસ રૂમમાં સ્પીકર તથા પી.એ. સિસ્ટમની, ફાયર સેફ્ટીની, સીસી ટીવી કેમેરાની વગેરે સુવિધા આપવામાં આવી છે તથા રૂા. 48.51 લાખના ખર્ચે નિર્માણ પામેલ ફૂલ બજારમાં 990 ચો.મી.માં ગેલ્વેનાઈઝ પતરાનો શેડ બનાવવામાં આવેલ છે તેમજ ફૂલના વેચાણ માટે 83 થડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.