રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા વર્ષ 2016 માં નાપાસ થયેલા વિધાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે વર્ષ 2017 માં નાપાસ થયેલા વિધાર્થીઓ પુનઃ પરીક્ષા આપી શકશે. તેમના માટે એક મુદ્દત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મુદ્દે અનેક વાર અરજી પણ થયેલી
- Advertisement -
સામાન્ય રીતે કોઈ વિધાર્થી જો પરીક્ષામાં નાપાસ થાય તો તેને કોર્ષના પૂર્ણ થયાના એક વર્ષ બાદ એક વધારાની મુદ્દત માટે પુનઃ પરીક્ષા આપવાની તક મળતી હોય છે. જો કે, હાલમાં કોરોનાના કારણે ઘણા બધા વિધાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહ્યા હતા. જે અંગે યુનિવર્સીટીને અનેક વાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતોને ધ્યાને લેતા કુલપતિ નીતિન પેથાણી દ્વારા કોરોનાની ગંભીર પરિસ્થિતિને જોતા તમામ નાપાસ વિધાર્થીઓ માટે એક મુદ્દત વધારવાનો ઉમદા નિર્ણય લીધો છે.
આજથી પરીક્ષાના ફોર્મ ભરવાનું શરુ થશે
પુનઃ પરીક્ષા આપવા માંગતા તમામ વિધાર્થીઓ આજથી 3 દિવસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે. આ પરીક્ષામાં ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના વિધાર્થીઓ પણ બેસી શકશે. અનેક વિધાર્થીઓનું ભવિષ્ય સુધારવાની આ સુવર્ણ તક છે.